SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ અસંખ્યાતગણા. એ રીતે એકેન્દ્રિયોને વર્જીને યાવત્ વૈમાનિક સુધી અલ્પબદુત્વ કહેવું. એકેન્દ્રિયોમાં અલ્પબદુત્વ નથી તેમ જાણવું. ભગવન્! સિદ્ધોમાં કતિસંચિત, અતિસંચિત, અવક્તવ્યસંચિતોમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા સિદ્ધો કતિસંચિત છે, અવક્તવ્યસંચિત સિદ્ધો સંખ્યાલગણા છે. સિદ્ધો અકતિસંચિત ન હોય. ભગવન્! નૈરયિકો શું ષક્કસમર્જિત છે? નોષકસમર્જિત છે ? ષક અને નોષકથી સમર્જિત છે ? અનેકષક સમર્જિત છે? અનેકષક અને નોષક વડે સમર્જિત છે? ગૌતમ ! નૈરયિકો ષક સમર્જિત છે, નોષક સમર્જિત છે, ષક અને નોષકથી પણ સમર્જિત છે. અનેક ષકોથી પણ સમર્જિત છે અને ષક-નોષકથી સમર્જિત છે. ભગવદ્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જે નૈરયિકો ષક પ્રવેશથી પ્રવેશે છે, તે નૈરયિકો ષક સમર્જિત છે. જે નૈરયિકો જઘન્યથી એક, બે કે ત્રણ વડે ઉત્કૃષ્ટથી પાંચ વડે પ્રવેશે છે તેઓ નોષક સમર્જિત છે. જે નૈરયિકો એક ષક વડે અને બીજા જઘન્યથી એક, બે કે ત્રણ પ્રવેશથી અને ઉત્કૃષ્ટથી પાંચ પ્રવેશ વડે પ્રવેશે છે, તેઓ ષક વડે અને નોષક વડે સમર્જિત છે. જે નૈરયિકો અનેકષક પ્રવેશ વડે પ્રવેશે છે તેઓ અનેકષક સમર્જિત છે. જે નૈરયિકો અનેક ષટ્ક વડે અને બીજા જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ પાંચ પ્રવેશ વડે પ્રવેશે છે, તેઓ અનેક ષકો અને નોષક વડે સમર્જિત છે. તેથી પૂર્વવત્ યાવત્ કહ્યું. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમારો છે. પૃથ્વીકાયિકની પૃચ્છા. ગૌતમ ! ષક સમર્જિત નથી, નોષક સમર્જિત નથી, એક નોષક વડે સમર્જિત નથી, પણ અનેક ષકો વડે સમર્જિત છે. અનેક ષકો અને નોષકો વડે સમર્જિત છે. ભગવન ! એમ કેમ કહ્યું? ગૌતમ ! જે પૃથ્વીકાયિકો અનેક ષકો પ્રવેશનક વડે પ્રવેશે છે, તે પૃથ્વીકાયિકો ષકો વડે સમર્જિત છે. જે પૃથ્વીકાયિકો અનેક ષકો વડે અને બીજા જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી પાંચ પ્રવેશનકો વડે પ્રવેશે છે, તે પૃથ્વીકાયિકો અનેક ષકો અને નોષકો વડે સમર્જિત છે. તેથી એમ કહ્યું છે. એ પ્રમાણે યાવત્ વનસ્પતિકાયિકો સુધી જાણવુ. બેઇન્દ્રિયો યાવત્ વૈમાનિકોને પૂર્વવત્ જાણવા. સિદ્ધો નૈરયિકવત્ ભગવન્! આ નૈરયિકોમાં ષક સમર્જિત, નોષક સમર્જિત, ષક અને નોષક વડે સમર્જિત, અનેક ષકોથી. સમર્જિત, અનેક ષકો અને નોષક વડે સમર્જિતમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ ! સૌથી થોડા નૈરયિક ષટ્સ સમર્જિત છે, નોષક સમર્જિત સંખ્યાતગુણા, ષક અને નોષર્કથી સમર્જિત સંખ્યાતગુણા, અનેક ષકોથી સમર્જિત અસંખ્યાતગુણા, અનેક ષકો અને નોષકથી સમર્જિત સંખ્યાતગુણા છે. આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવુ. ! આ પૃથ્વીકાયિકોમાં ષટક વડે સમર્જિત, અનેક ષટકો અને નોષટક વડે સમર્જિતમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા પૃથ્વીકાયિક અનેક ષટ્કોથી સમર્જિત છે. અનેક ષકો અને નોષક વડે સમર્જિત સંખ્યાલગણા છે. એ રીતે યાવત્ વનસ્પતિકાયિક. બેઇન્દ્રિયો યાવત્ વૈમાનિકોને નૈરયિકોવતુ સમજવા. ભગવદ્ ! આ સિદ્ધોમાં ષક સમર્જિત, નોષક સમર્જિત યાવત્ અનેક ષકો અને નોષક સમર્જિતમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ ! સૌથી થોડા સિદ્ધો અનેક ષકો અને નોષક વડે સમર્જિત છે, ષકો વડે સમર્જિત સંખ્યાતગુણા છે. ષકો અને નોષક વડે સમર્જિત સંખ્યાતગુણા, ષક સમર્જિત સંખ્યાતગુણા, નોષક સમર્જિત સંખ્યાતગુણા. ભગવદ્ ! નૈરયિક જીવો શું દ્વાદશ સમર્જિત છે ? નોદ્વાદશ સમર્જિત છે ? દ્વાદશ અને નોદ્વાદશ વડે સમર્જિત છે? દ્વાદશો વડે સમર્જિત છે? દ્વાદશો અને નોદ્વાદશ વડે સમર્જિત છે? ગૌતમ ! નૈરયિકો દ્વાદશ સમર્જિત પણ છે યાવત્ દ્વાદશો વડે પણ સમર્જિત છે. ભગવન ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જે નૈરયિકો દ્વાદશ પ્રવેશ વડે પ્રવેશે છે તે નૈરયિકો દ્વાદશ સમર્જિત છે. જે નૈરયિકો જઘન્યથી એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટથી અગિયાર પ્રવેશનક વડે પ્રવેશે છે, તે નૈરયિકો નોદ્વાદશ સમર્જિત છે. જે નૈરયિકો દ્વાદશ અને મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 134
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy