SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૨૦, ઉદ્દેશો-૧૦ સોપક્રમ' સૂત્ર-૮૦૩ ભગવદ્ ! જીવો શું સોપક્રમાયુક્યું છે કે નિરુપક્રમાયુષુ? ગૌતમ ! જીવો સોપક્રમાયુષ્ય પણ છે, નિરૂપક્રમાયુષ પણ છે. નૈરયિકો વિશે પ્રશ્ન ? ગૌતમ ! નૈરયિકો સોપક્રમાયુષ નથી, નિરૂપક્રમાયુષ છે. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમારો સુધી કહેવું. પૃથ્વીકાયિકોને જીવ’ સમાન કહેવા. એ પ્રમાણે મનુષ્યો સુધી કહેવું. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકોને નૈરયિકોની સમાન કહેવા. સૂત્ર-૮૦૪ ભગવન્! નૈરયિકો, શું આત્મોપક્રમથી ઉપજે છે, કે પરોપક્રમથી ઉપજે છે કે નિરૂપક્રમથી ઉપજે છે? ગૌતમ ! આત્મોપક્રમથી પણ ઉપજે, પરોપક્રમથી પણ ઉપજે, નિરૂપક્રમથી પણ ઉપજે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. ભગવન્! નૈરયિકો શું આત્મોપક્રમથી ઉદ્વર્તે, પરોપક્રમથી ઉદ્વર્તે કે નિરૂપક્રમથી ઉદ્વર્તે ? ગૌતમ ! તેઓ. આત્મોપક્રમથી ન ઉદ્વર્તે, પરોપક્રમથી ન ઉદ્વર્તે, પણ નિરૂપક્રમથી ઉદ્વર્તે. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું. પૃથ્વીકાયિકો યાવત્ મનુષ્યો ત્રણે રીતે ઉદ્વર્તે, બાકીના નૈરયિક સમાન કહેવા. માત્ર જ્યોતિષ્ક, વૈમાનિક દેવોના ઉદ્વર્તનને સ્થાને ચ્યવે છે એમ કહેવું. ભગવન્! નૈરયિકો આત્મઋદ્ધિથી ઉપજે કે પરઋદ્ધિથી ઉપજે? ગૌતમ! આત્મઋદ્ધિથી ઉપજે, પરઋદ્ધિથી નહીં. એમ વૈમાનિક સુધી કહેવું. ભગવન્! નૈરયિકો આત્મઋદ્ધિથી ઉદ્વર્તે, પરઋદ્ધિથી ઉદ્વર્તે? ગૌતમ ! આત્મઋદ્ધિથી ઉદ્વર્તે, પરઋદ્ધિથી નહીં. એ રીતે વૈમાનિક સુધી કહેવું. વિશેષ એ કે - જ્યોતિષ્ક, વૈમાનિક ચ્યવે છે તેમ કહેવું. ભગવન ! નૈરયિક શું આત્મકથી ઉપજે કે પરકર્મોથી ઉપજ ? ગૌતમ ! આત્મકર્મથી ઉપજે છે. પરકર્મોથી. નહીં. એ રીતે વૈમાનિક સુધી કહેવું. એમ ઉદ્વર્તના કહેવી. ભગવન ! નૈરયિક આત્મપ્રયોગથી ઉપજે, પરપ્રયોગથી ઉપજે ? ગૌતમ ! આત્મપ્રયોગથી ઉપજે પરપ્રયોગથી નહીં. એ રીતે વૈમાનિક સુધી કહેવું. એમ ઉદ્વર્તના કહેવી. સૂત્ર-૮૦૫ ભગવનનૈરયિક કતિસંચિત છે, અકતિસંચિત છે કે અવક્તવ્ય સંચિત છે? ગૌતમ ! નૈરયિકો કતિસંચિત પણ છે, અતિસંચિત પણ છે, અવક્તવ્યસંચિત પણ છે. ભગવદ્ ! એમ કેમ કહો છો? ગૌતમ ! જે નૈરયિક સંખ્યાત પ્રવેશ વડે પ્રવેશે છે, તેઓ કતિસંચિત છે. જે નૈરયિક અસંખ્યાત પ્રવેશ વડે પ્રવેશે છે, તે નૈરયિક અતિસંચિત છે. જે નૈરયિક એક-એક પ્રવેશ વડે પ્રવેશે છે, તે નૈરયિક અવક્તવ્યસંચિત છે. તે કારણથી હે ગૌતમ ! યાવત્ અવક્તવ્યસંચિત પણ છે. સ્વનિતકુમાર સુધી આ પ્રમાણે કહેવું. પૃથ્વીકાયિકની પૃચ્છા. ગૌતમ ! પૃથ્વીકાયિક કતિસંચિત નથી, અકતિસંચિત છે, અવક્તવ્યસંચિત નથી. એમ કેમ કહ્યું? યાવત્ અવક્તવ્યસંચિત નથી ? ગૌતમ ! પૃથ્વીકાયિક અસંખ્યાત પ્રવેશ વડે પ્રવેશે છે. તેથી આમ કહ્યું છે. એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી કહેવું. બેઇન્દ્રિયોથી વૈમાનિકને નૈરયિકવત્ જાણવા. સિદ્ધોની પૃચ્છા. ગૌતમ ! સિદ્ધો કતિસંચિત છે, અકતિસંચિત નથી, અવક્તવ્યસંચિત પણ છે. ભગવનું ! એમ કેમ કહ્યું? ગૌતમ ! જે સિદ્ધો સંખ્યાના પ્રવેશ વડે પ્રવેશે છે, તેઓ કતિસંચિત છે, જેઓ એક-એક પ્રવેશન વડે પ્રવેશે છે, તેઓ અવક્તવ્યસંચિત છે. તેથી આ પ્રમાણે કહ્યું. ભગવન્! આ કતિસંચિત, અતિસંચિત, અવક્તવ્યસંચિત નૈરયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા નૈરયિક અવક્તવ્યસંચિત છે, કતિસંચિત સંખ્યાતગણા, અકતિસંચિત મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 133
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy