________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૨૦ સૂત્ર-૭૭૯ એક ગાથા દ્વારા આ 20 માં શતકમાં રહેલા 10 ઉદ્દેશાનાં નામો જણાવે છે- બેઇન્દ્રિય, આકાશ, પ્રાણવધ, ઉપચય, પરમાણુ, અંતર, બંધ, ભૂમિ, ચારણ, સોપક્રમજીવ. શતક-૨૦, ઉદ્દેશો-૧ “બેઇન્દ્રિય’ સૂત્ર-૭૮૦ રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આમ કહ્યું- ભગવન્! કદાચ યાવત્ ચાર, પાંચ બેઇન્દ્રિયો મળીને એક સાધારણ શરીર બાંધે ? સાધારણ શરીર બાંધીને પછી આહાર કરે છે ? કે આહાર પરિસમાવે છે, પછી શરીરને બાંધે છે ? ગૌતમ ! તે અર્થ સમર્થ નથી, કેમ કે બેઇન્દ્રિય પૃથ-પૃથક્ આહારી, પૃથ-પૃથક્ પરિણમન કરનાર, પ્રથકુ શરીર બાંધે છે, પછી આહાર કરે છે, પછી તેને પરિણમાવે છે. પછી શરીરને પુષ્ટ કરે છે. ભગવન્! બેઇન્દ્રિય જીવોને કેટલી વેશ્યાઓ છે? ગૌતમ ! ત્રણ. તે આ -કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યા. એ પ્રમાણે જેમ શતક-૧૯માં તેઉકાયના વિષયમાં કહ્યું તેમ અહી યાવત્ ઉદ્વર્તે છે, સુધી કહેવું. વિશેષ એ કે - બેઇન્દ્રિય જીવો સમ્યગુદષ્ટિ પણ છે, મિથ્યાદષ્ટિ પણ છે. પણ સમ્યગુ મિથ્યાદષ્ટિ નથી હોતા. બે જ્ઞાન-બે અજ્ઞાન નિયમા છે. મનોયોગી નથી, વચનયોગી અને કાયયોગી છે. આહાર, નિયમા છ દિશાથી લે. ભગવદ્ ! તે જીવોને શું એવી સંજ્ઞા, પ્રજ્ઞા, મન કે વચન હોય છે કે - અમે ઇષ્ટાનિષ્ટ રસ અને સ્પર્શી અનુભવીએ છીએ ? તે અર્થ સમર્થ નથી, પણ તેઓ અનુભવ કરે જ છે. સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી બાર વર્ષ છે. બાકી પૂર્વવતુ. એ પ્રમાણે તેઇન્દ્રિય, ચતુરિન્દ્રિયમાં પણ જાણવું. માત્ર ઇન્દ્રિય, સ્થિતિમાં ભેદ છે. સ્થિતિ પન્નવણા સૂત્રના પદ-૪ મુજબ જાણવી. ભગવન્! કદાચિત યાવત્ ચાર-પાંચ પંચેન્દ્રિયો મળીને એક સાધારણ શરીર બાંધે ? પૂર્વવતું. બેઇન્દ્રિય જીવો સમાન જાણવુ. વિશેષ એ કે - કેશ્યા-૬, દષ્ટિ-૩, ચાર જ્ઞાન-ત્રણ અજ્ઞાન ભજનાથી, યોગ ત્રણ છે. ભગવન્! તે પંચેન્દ્રિય જીવોને એવી સંજ્ઞા કે પ્રજ્ઞા કે યાવત્ વચન હોય છે કે - “અમે આહાર કરીએ છીએ ?" ગૌતમ ! કેટલાકને એવી સંજ્ઞા કે પ્રજ્ઞા કે મન કે વચન હોય છે કે - “અમે આહાર કરીએ છીએ” કેટલાકને એવી સંજ્ઞા યાવત્ વચન હોતું નથી કે - “અમે આહાર કરીએ છીએ.” જો કે તેઓ આહાર તો કરે જ છે. ભગવન્! તે પંચેન્દ્રિય જીવોને એવી સંજ્ઞા યાવત્ વચન હોય કે - “અમે ઈષ્ટાનિષ્ટ એવા -શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ અનુભવીએ છીએ? ગૌતમ ! કેટલાકને એવી સંજ્ઞા યાવત્ વચન હોય છે કે - અમે ઇષ્ટાનિષ્ટ શબ્દ યાવત્ સ્પર્શ અનુભવીએ છીએ. કેટલાકને એવી સંજ્ઞા યાવત્ વચન હોતા નથી કે અમે ઇષ્ટાનિષ્ટ શબ્દ યાવત્ સ્પર્શ અનુભવીએ છીએ, પણ અનુભવે છે. ભગવદ્ ! તે પંચેન્દ્રિયો જીવો શું પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્યમાં રહેલા હોય છે? ગૌતમ ! કેટલાક પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્યમાં રહેલા હોય છે. કેટલાક પ્રાણાતિપાત, મૃષાવાદ યાવત્ મિથ્યાદર્શન શલ્યમાં રહેલા હોતા નથી. જે જીવો પ્રત્યે, તે જીવો આવો વ્યવહાર કરે છે, તે જીવોમાં કેટલાકને એવું વિજ્ઞાન-જ્ઞાન હોય છે અને કેટલાકને એવું વિજ્ઞાન-જ્ઞાન હોતા નથી. કે અમે માર્યા જઇશું કે આ અમને મારી નાંખશે.. આ જીવોનો ઉત્પાદ યાવત્ સર્વાર્થસિદ્ધ છે, સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૩૩-સાગરોપમ, કેવલી સિવાયના છ સમુધ્ધાતો, ઉદ્વર્તના-તે બધા યાવત્ સર્વાર્થસિદ્ધ સુધી જઈ શકે છે. બાકી બેઇન્દ્રિયવત્ બધુ જાણવું. ભગવનઆ બેઇન્દ્રિય યાવતુ પંચેન્દ્રિયમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ગૌતમ ! સૌથી ઓછા પંચેન્દ્રિય છે, ચતુરિન્દ્રિય તેથી વિશેષાધિક છે? ગૌતમ ! સૌથી ઓછા પંચેન્દ્રિય છે, ચતુરિન્દ્રિય તેથી મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 120