SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ચંદન ઘસનારી દાસી તરુણ, બળવાન, યુગવાન, યુવાન, રોગરહિત યાવત્ નિપુણ-શિલ્પકર્મવાળી હોય, વિશેષ - અહીં ચર્મેષ્ઠ, હૃધણ, મુષ્ટિક આદિ વ્યાયામ સાધનોથી સુદઢ બનેલ શરીરવાળી, ઇત્યાદિ વિશેષણ ન કહેવા. બાકી પૂર્વવત્ યાવત્ નિપુણ શીલ્પકર્મવાળી, વજમય તિક્ષ્ણશિલા પર, વજમય તિક્ષ્ણલોહથી લાખના ગોળાની સમાન, પૃથ્વીકાયનો મોટો પિંડ લઈ વારંવાર એકઠો કરતી, સંક્ષેપતી- હું હમણા પીસી નાંખીશ, એમ વિચારતી ૨૧વાર પીસે તો હે ગૌતમ ! કેટલાક પૃથ્વીકાયિક સ્પર્શ પામે અને કેટલાક પૃથ્વીકાય સ્પર્શ ન પામે. કેટલાક સંઘટ્ટન પામે અને કેટલાક સંઘટ્ટન ન પામે, કેટલાક પીડા પામે અને કેટલાક પીડા ન પામે, કેટલાક ઉદ્વર્તે અને કેટલાક ન ઉદ્વર્તે. કેટલાક પીસાય અને કેટલાક ન પીસાય. હે ગૌતમ ! પૃથ્વીકાયિકની આટલી મોટી શરીરાવગાહના છે. ભગવન્! પૃથ્વીકાયિક આક્રાંત થતા કેવી વેદના અનુભવતા વિચરે છે ? ગૌતમ ! જેમ કોઈ તરુણ, બળવાન યાવત્ નિપુણ શિલ્પકમ એક પુરુષ હોય, તે કોઈ જીર્ણ, જરાજર્જરીત દેહવાળા યાવત્ દુર્બળ પુરુષના મસ્તકે મુઠ્ઠી વડે પ્રહાર કરે, તો તે પુરુષના મુઠ્ઠી પ્રહારથી તે વૃદ્ધ કેવી પીડા અનુભવે છે? હે આયુષ્યમાન્ શ્રમણ! તે અનિષ્ટ પીડા અનુભવે. તેમ છે ગૌતમ ! તે પુરુષની વેદના કરતા, પૃથ્વીકાયિક જીવ આક્રાંત થાય ત્યારે આથી પણ અધિકતર અનિષ્ઠ, અકાંત યાવત્ અમણામ વેદનાને અનુભવતા વિચરે છે. ભગવન્! અપકાય, સંઘટ્ટન પામતા કેવી વેદના અનુભવે ? ગૌતમ ! જેમ પૃથ્વીકાયિકમાં કહ્યું તેમ જાણવુ. એ રીતે તેઉકાય અને વાયુકાયમાં પણ જાણવું, એ રીતે વનસ્પતિકાયિક પણ જાણવુ. ભગવદ્ ! આપ કહો છો, તે એમ જ છે, એમ જ છે. શતક-૧૯, ઉદ્દેશા-૩નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૯, ઉદ્દેશો-૪ મહાશ્રવ’ સૂત્ર-૭૬૫ ૧.ભગવન્! નૈરયિક જીવ મહાસંવ, મહાક્રિયા, મહાવેદના, મહાનિર્જરાવાળા છે? ગૌતમ! આ અર્થ સમર્થ નથી 2. ભગવદ્ ! નૈરયિકો મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના, અલ્પનિર્જરા વાળા છે? હા, છે. 3. ભગવન્! નૈરયિકો મહાશ્રવ, મહાક્રિયા, અલ્પવેદના, મહાનિર્જરા વાળા છે? ગૌતમ! તે અર્થ સમર્થ નથી. 4. નૈરયિકો મહાશ્રવ, મહાક્રિયા, અલ્પવેદના, અલ્પનિર્જરા વાળા છે? ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. 5. ભગવદ્ ! નૈરયિકો મહાશ્રવ, અલ્પક્રિયા, મહાવેદના, મહાનિર્જરા વાળા છે? ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. 6. ભગવદ્ ! નૈરયિક મહાશ્રવ, અલ્પક્રિયા, મહાવેદના, અલ્પનિર્જરા વાળા છે? ના, તે અર્થ સમર્થ નથી. 7. ભગવદ્ ! નૈરયિક મહાશ્રવ, અલ્પક્રિયા, અલ્પવેદના, મહાનિર્જરા વાળા છે? ના, તે અર્થ સમર્થ નથી. 8. ભગવદ્ ! નૈરયિક મહાશ્રવ, અલ્પક્રિયા, અલ્પવેદના, અલ્પનિર્જરા વાળા છે? ના, તે અર્થ સમર્થ નથી. 9. ભગવદ્ ! નૈરયિક અલ્પા-શ્રવ, મહાક્રિયા, મહાવેદના, મહાનિર્જરા વાળા છે? ના, તે અર્થ સમર્થ નથી. 10. ભગવદ્ ! નૈરયિક અલ્પાશ્રવ, મહાક્રિયા, મહાવેદના, અલ્પનિર્જરા વાળા છે? ના, તેમ નથી. 11. નૈરયિક અલ્પાશ્રવ, મહાક્રિયા, અલ્પવેદના, મહાનિર્જરા વાળા છે? ના, તે અર્થ સમર્થ નથી. 12. નૈરયિક અલ્પાશ્રવ, મહાક્રિયા, અલ્પવેદના, અલ્પનિર્જરા વાળા છે? ના, તે અર્થ સમર્થ નથી. 13. નૈરયિક અલ્પાશ્રય, અલ્પક્રિયા મહાવેદના, મહાનિર્જરા વાળા છે ? તે અર્થ સમર્થ નથી. 14. નૈરયિક અલ્પાશ્રય, અલ્પક્રિયા મહાવેદના, અલ્પનિર્જરા વાળા છે? તે અર્થ સમર્થ નથી. 15. નૈરયિક અલ્પાશ્રવ, અલ્પક્રિયા, અલ્પવેદના, મહાનિર્જરા વાળા છે ? તે અર્થ સમર્થ નથી. 16. નૈરયિક અલ્પાશ્રવ, અલ્પક્રિયા, અલ્પવેદના, અલ્પનિર્જરા વાળા છે? તે અર્થ સમર્થ નથી. આ પ્રમાણે 16 ભંગની પૃચ્છા છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 115
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy