SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' મદ્રકને આમંત્રી, ભગવંતે મદ્રુકને આમ કહ્યું - હે મદ્રક ! તે અન્યતીર્થિકોને સારુ કહ્યું. તે તેમને સારો ઉત્તર આપ્યો. હે મદ્રુક! અર્થ, હેતુ, પ્રશ્ન કે ઉત્તરને જાણ્યા-જોયા-સાંભળ્યા-સંમત-વિજ્ઞાત થયા વિના જે કોઈ બહુજના મધ્યે કહે છે - પ્રજ્ઞાપે છે યાવત્ ઉપદેશે છે, તે અરિહંતની-અરિહંત પ્રજ્ઞપ્ત ધર્મની - કેવલીની અને કેવલી પ્રજ્ઞમ ધર્મની આશાતનામાં વર્તે છે. હે મદ્રક! તે તેમને આવો જવાબ આપ્યો. તે ઘણું સારું કર્યું. ઉત્તમ કાર્ય કર્યું. યાવતુ. અન્યતીર્થિકોને નિરુત્તર કરી દીધા. ત્યારે મદ્રક શ્રાવક શ્રમણ ભગવંત મહાવીરે આમ કહેતા હર્ષિત, સંતુષ્ટ થઈને ભગવંતને વાંદી, નમીને સમીપે જઈ યાવત્ સેવે છે. ત્યારે ભગવંતે મદ્રક શ્રાવકને યાવત્ તે મોટી પર્ષદાને ધર્મ કહ્યો યાવત્ પર્ષદા પાછી ફરી. ત્યારે મદ્રક શ્રાવક યાવત્ ધર્મ સાંભળીને હર્ષિત, સંતુષ્ટ થઈને પ્રશ્નાદિ પૂછડ્યા, પૂછીને અર્થો જાણવા, ઉત્થાનથી ઉઠીને ભગવંતને વાંદી-નમી યાવત્ પાછો ગયો. ભન્ત ! એમ આમંત્રી ગૌતમસ્વામીએ ભગવંતા મહાવીરને વાંદી-નમી આમ કહ્યું - હે ભન્ત! મદ્રુક શ્રાવક આપ દેવાનુપ્રિય પાસે યાવત્ પ્રવ્રજિત થવા સમર્થ છે ? ના, તેમ નથી. એ પ્રમાણે જેમ શંખ શ્રાવકમાં કહ્યું, તેમ કહેવું, યાવત તે અરુણાભમાં દેવ થશે, મહાવિદેહે અંત કરશે. જ૫. હે ભગવન્! મહદ્ધિક યાવત્ મહાસૌખ્ય દેવ, હજાર રૂપ વિફર્વી પરસ્પર સંગ્રામ કરવા સમર્થ છે? હા, છે. ભગવદ્ ! તે વૈક્રિય શરીર એક જીવ સંબદ્ધ છે કે અનેક જીવ સંબદ્ધ ? ગૌતમ ! એકજીવ સંબદ્ધ છે, અનેકજીવ સંબદ્ધ નથી. ભગવદ્ ! તે વિકુર્વિત શરીરના અંતરાલ શું એકજીવ સ્પષ્ટ છે કે અનેકજીવ સૃષ્ટ? ગૌતમ ! એકજીવ સ્પષ્ટ છે, અનેકજીવ સૃષ્ટ નથી. હે ભગવન્ ! કોઈ પુરુષ, તે વૈક્રિયકૃતુ શરીરોના અંતરમાં પોતાનો હાથ, પગ વડે સ્પર્શ કરતા યાવત પીડા ઉત્પન્ન કરી શકે ? ગૌતમ ! શતક-૮, ઉદ્દેશા-૩ મુજબ કહેવું યાવતુ તેમાં શસ્ત્રાક્રમણ કરી શકે નહીં. 746. ભગવદ્ ! શું દેવો અને અસુરોમાં સંગ્રામ થાય છે? હા, થાય છે. ભગવદ્ ! દેવો અને અસુરો સંગ્રામમાં વર્તતા હોય ત્યારે કઈ વસ્તુ. તે દેવોના શ્રેષ્ઠ શસ્ત્રરૂપે પરિણત થાય છે ? ગૌતમ ! તે દેવો, તે તૃણ-કાષ્ઠ-પત્રકંકરને સ્પર્શ કરે, તે વસ્તુ તે દેવોને શસ્ત્રરૂપે પરિણમે છે. ભગવન્! જેમ દેવોમાં કહ્યું તેમ અસુરકુમારોમાં કહેવાય ? ના, તે અર્થ સમર્થ નથી. અસુરકુમારોને નિત્ય વિકુર્વિત શસ્ત્ર હોય. 747. ભગવન્! મહર્તુિક યાવત્ મહાસૌખ્ય દેવ, લવણ સમુદ્રને ચોતરફ પ્રદક્ષિણા કરી જલદી આવવાને સમર્થ છે? હા, સમર્થ છે. ભગવદ્ ! મહદ્ધિક યાવત્ મહાસૌખ્ય દેવ, એ રીતે ધાતકીખંડ દ્વીપને ? યાવત્ હા, છે. એ રીતે રુચકવર દ્વીપને? યાવતુ, હા સમર્થ છે. તેનાથી આગળ દેવો જાય છે, પણ તેની ચોતરફ પ્રદક્ષિણા કરતા નથી. 748. ભગવન ! શું એવા પણ દેવ છે, જે અનંત કર્માશોને જઘન્યથી 100, 200, 300 કે ઉત્કૃષ્ટથી 500 વર્ષોમાં ખપાવી દે? હા, છે. ભગવન્! એવા દેવ છે, જે અનંત કર્માશોને જઘન્ય એક-બે કે ત્રણ હજાર અને ઉત્કૃષ્ટ 5000 વર્ષોમાં ખપાવી દે? હા, છે. ભગવનશું એવા દેવ પણ છે, જે અનંત કર્મીશોને જઘન્યથી એક, બે કે ત્રણ લાખ અને ઉત્કૃષ્ટથી પાંચ લાખ વર્ષોમાં ખપાવે ? હા, છે. ભગવન્! એવા કોણ દેવ છે, જે અનંત કર્માશોને જઘન્ય 100 યાવતુ 500 વર્ષોમાં ખપાવે છે ? એવા કોણ દેવ છે, જે યાવતુ 5000 વર્ષોમાં ખપાવે છે? એવા કોણ દેવ છે જે યાવતુ પાંચ લાખ વર્ષોમાં ખપાવે? ગૌતમ ! વ્યંતર દેવો અનંત કર્માશોને 100 વર્ષોમાં ખપાવે છે, અસુરેન્દ્ર સિવાયના ભવનપતિ દેવ અનંત. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 106
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy