________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' એક શેષ વધે. તે કલ્યોજ છે. તેથી હે ગૌતમ ! એમ કહ્યું યાવત્ કલ્યોજ રાશિ કહેવાય. ભગવદ્ ! નૈરયિક શું કૃતયુગ્મ કે યાવત્ કલ્યોજ છે ? ગૌતમ ! જઘન્યપદમાં કૃતયુગ્મ, ઉત્કૃષ્ટપદમાં ચ્યોજ, અજઘન્યોત્કૃષ્ટ પદમાં કદાચિત્ કૃતયુગ્મ યાવત્ કલ્યોજ છે. સ્વનિતકુમાર સુધી કહેવું. વનસ્પતિકાયિકની પૃચ્છા. ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ પદમાં અપદ છે. અજઘન્યોત્કૃષ્ટ પદમાં કદાચ કૃતયુગ્મ યાવત્ કલ્યોજરૂપ હોય છે. બેઇન્દ્રિયની પૃચ્છા. ગૌતમ ! જઘન્યપદે કૃતયુગ્મ, ઉત્કૃષ્ટ પદે દ્વાપરયુગ્મ, અજઘન્યોત્કૃષ્ટ પદમાં કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યો. એ પ્રમાણે યાવત્ ચતુરિન્દ્રિય શેષ એકેન્દ્રિયો, બેઇન્દ્રિયવત્ કહેવા. પંચેન્દ્રિય તિર્યંચયોનિક યાવત્ વૈમાનિક, નૈરયિકવત્ કહેવા. સિદ્ધો, વનસ્પતિકાયિક માફક કહેવા. ભગવદ્ ! સ્ત્રીઓ શું કૃતયુગ્મ છે ? પ્રશ્ન. ગૌતમ ! જઘન્ય પદે કૃતયુગ્મ, ઉત્કૃષ્ટપદે કદાચ કૃતયુગ્મ, અજઘન્યોત્કૃષ્ટપદે કદાચ કૃતયુગ્મ યાવતુ કદાચ કલ્યો. આ પ્રમાણે અસુરકુમારની સ્ત્રીઓ યાવતુ સ્વનિતકુમારની સ્ત્રીઓ જાણવી. એ પ્રમાણે તિર્યંચયોનિક સ્ત્રીઓ અને માનુષી સ્ત્રીઓ જાણવી, એ પ્રમાણે યાવત વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવી જાણવી. 735. ભગવદ્ ! જેટલા અલ્પાયુવાળા અંધકવૃષ્ણી જીવ છે તેટલા જ ઉત્કૃષ્ટાયુવાળા અંધકવૃષ્ણી જીવ છે? હા, ગૌતમ ! જેટલા અલ્પ આયુવાળા અંધકવૃષ્ણી જીવ છે, તેટલા ઉત્કૃષ્ટાયુવાળા અંધકવૃષ્ણી જીવ છે. ભગવન્! આપ કહો છો, તે એમ જ છે, તે એમ જ છે. શતક-૧૮, ઉદ્દેશા-૪નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૮, ઉદ્દેશો-૫ ‘અસુરકુમાર સૂત્ર-૭૩૬ ભગવન્! બે અસુરકુમાર દેવ, એક જ અસુરકુમારાવાસમાં અસુરકુમાર દેવરૂપે ઉત્પન્ન થયા. તેમાં એક અસુરકુમાર દેવ પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ હતો. બીજો અસુરકુમાર દેવ પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ ન હતો. હે ભગવન્! આવું કેમ હોય ? ગૌતમ ! અસુરકુમાર દેવો બે ભેદે છે - વૈક્રિયશરીરી અને અવૈક્રિય શરીરી. તેમાં જે વૈક્રિયશરીરી અસુરકુમાર દેવ છે, તે પ્રાસાદીય યાવતુ પ્રતિરૂપ છે, જે અવૈક્રિય શરીરી અસુરકુમાર દેવ છે, તે પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ નથી. ભગવન્આવું કેમ કહો છો ? ગૌતમ ! જેમ આ મનુષ્યલોકમાં કોઈ બે પુરુષ હોય, તેમાંથી એક પુરુષ અલંકૃત, વિભૂષિત હોય, એક પુરુષ અલંકૃત, વિભૂષિત ન હોય. ગૌતમ ! આ બંને પુરુષોમાં કયો પુરુષ પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ છે અને કયો પુરુષ પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ નથી, જે પુરુષ અલંકૃત અને વિભૂષિત છે તે કે અલંકૃત, વિભૂષિત નથી તે ? ભગવદ્ ! તેમાં જે પુરુષ અલંકૃત અને વિભૂષિત છે, તે પુરુષ પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ છે, જે અલંકૃત, વિભૂષિત નથી તે પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ નથી, તેથી આમ કહ્યું. ભગવન્બે નાગકુમાર દેવો છે, એક નાગકુમાર, ઇત્યાદિ પૂર્વવત્ જાણવું યાવત્ સ્વનિતકુમાર. વ્યંતર, જ્યોતિષ્ક વૈમાનિક આ પ્રમાણે જ છે. સૂત્ર-૭૩૭ ભગવન્! બે નૈરયિક, એક જ નરકાવાસમાં નૈરયિકપણે ઉત્પન્ન થયા, તેમાં એક નૈરયિક મહાકર્મવાળો યાવત્ મહાવેદનાવાળો છે અને એક નૈરયિક અલ્પકર્મવાળો યાવત્ અલ્પ વેદનાવાળો છે. આમ કેમ ? નૈરયિક બે ભેદે છે- માયીમિથ્યાદષ્ટિ ઉપપત્રક અમાયી સમ્યગદષ્ટિ ઉપપત્રક. તેમાં જે માયીમિથ્યાદષ્ટિ છે તે નૈરયિક મહાકર્મવાળો યાવત્ મહાવેદનાવાળો છે, તેમાં જે અનાયી સમ્યગદષ્ટિ. નૈરયિક મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 102