SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ 388 श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद ગાથાર્થ:- અન્યથા જો આગમોક્ત વિધિ મુજબ પ્રતિમાકલ્પ સ્વીકારવામાં ન આવે અર્થાત્ ગચ્છમાં બીજા કોઈ બહુશ્રુતના અભાવે સાધુઓને શ્રતની વૃદ્ધિમાં ક્ષતિ આવતી હોય છતાં તે પ્રતિમાકલ્પ સ્વીકારે તો તેણે ભગવાનના આગમનું ગૌરવ કર્યું ન થાય. પ્રવચનમાં આગમનું જો ગૌરવ ન હોત તો દશપૂર્વધરને પ્રતિમાકલ્પનો સ્વીકાર કરવાનો આગમમાં નિષેધ કરવામાં ન આવત. દશપૂર્વધરાદિ વિશિષ્ટ આગમધર હોવાથી તે પ્રવચનને વિશેષ પ્રકારે ઉપકારી હોવાથી પ્રતિમાકલ્પની આરાધના કરવા કરતાં ગચ્છવાસમાં રહેવાથી તેમને વિશેષ લાભ થાય તેમ હોવાથી તેમને પ્રતિમાકલ્પનો સ્વીકાર કરવાનો આગમમાં નિષેધ કરવામાં આવ્યો છે. આમ ગુરુલાઘવની વિચારણા કરવામાં આવી જ છે. જો ગુરુલાઘવની વિચારણા કર્યા વગર ગમે તે રીતે પ્રતિમાકલ્પ સ્વીકારવાનો હોત તો દશપૂર્વધર આદિને પ્રતિમાકલ્પના સ્વીકારનો આગમમાં જે નિષેધ કરાયો છે તે યુક્તિસંગત ન થાત. અન્યથા ગુરુ-લાઘવની વિચારણા કર્યા વગર પ્રતિમાકલ્પ સ્વીકારવામાં શ્રુતનું ગૌરવ ન સચવાય, અને તે ગૌરવના અભાવમાં અહીંયા જે દશપૂર્વીને પ્રતિમાકલ્પ સ્વીકારવામાં દોષ કહ્યો છે તે યુક્તિસંગત ન થાય. ટીકાર્થ:- ‘પત્થ'= આ પ્રતિમાકલ્પમાં “ફદરા'= અન્યથા ગમે તે રીતે પ્રતિમાકલ્પના સ્વીકારમાં ‘ર કુત્તાય'= ભગવાનના આગમનું ગૌરવ ન થાય. ‘તમાવે'= આગમની ગુરુતાના અભાવે સં૫વ્યપહો '= ચૌદ પૂર્વી દશપૂર્વધર આદિને પ્રતિમાકલ્પના સ્વીકારનો નિષેધ ગુરુત્તીધર્વાચિતવન'= ગુરુલાઘવની ચિંતા કર્યા વગર ગમે તે રીતે પ્રતિમાકલ્પને સ્વીકારવામાં ગુત્તિનુત્તો'= સારી રીતે યુક્તિથી સંગત "'= ન થાય. // 877 || 28/36 ગુલાઘવચિંતા કોને કહેવાય ? તે કહે છે : अप्पपरिच्चाएणं, बहुतरगुणसाहणं जहिं होइ। सा गुरुलाघवचिंता, जम्हा णाओववण्ण त्ति // 878 // 18/32 છાયા :- 3 ન્યપરિત્યારોના વિદ્યુત શુ ધનં યત્ર મવતિ | सा गुरुलाघवचिन्ता यस्मात् न्यायोपपन्नेति // 32 // ગાથાર્થ :- જે વિચારણામાં અલ્પ લાભને જતો કરીને જેમાં ઘણો લાભ થતો હોય તેને સ્વીકારવાનું વિચારવામાં આવે તે ગુરુલાઘવની વિચારણા ન્યાયસંગત છે. ટીકાર્થ :- ‘મuપરિત્રાણ'= થોડા લાભને જતો કરીને ‘વતરા '= ઘણાં લાભની સિદ્ધિ નર્દિ'= જેમાં ‘દોડ્ડ'= થાય છે. “સા'= તે ગુરુત્વાયર્વાવ્રત'= ગુરુલાઘવની વિચારણા ‘નર્ટી'= જે કારણથી ‘UTTોવવUT '= ન્યાયસંગત છે. 878 / 18/32. वेयावच्चुचियाणं, करणनिसेहेणमंतरायं ति / तं पि हु परिहरियव्वं, अइसुहुमो होउ एसो त्ति // 879 // 18/33 છાયા :- વૈયાવૃત્યવતીનાં #રપનિષેધેનાન્દરાય તિ | सोऽपि खलु परिहर्तव्योऽतिसूक्ष्मो भवतु एष इति // 33 // ગાથાર્થ :- પ્રતિમાકલ્પમાં વૈયાવચ્ચ કરવાનો નિષેધ હોવાથી (અર્થાતુ તેમાં કોઈની વૈયાવચ્ચ કરવાની નથી હોતી.) વૈયાવચ્ચને ઉચિત બાળ-વૃદ્ધ-ગ્લાન આદિની વૈયાવચ્ચમાં અંતરાય થાય છે. (આમ વાદી કહે છે) પણ તે અંતરાય એ પારમાર્થિક અંતરાય નથી માટે તે ગણના યોગ્ય નથી. આ અતિસૂક્ષ્મ દોષ છે.
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy