SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद oo, ‘શ્રાવક્ષધર્મમ્' આ પદ દ્વારા અભિધેય કહેવાયું છે, આમાં તર્કનુસારીને પ્રકરણ-પ્રયોજન સ્વરૂપ ઉપાય-ઉપય લક્ષણસંબંધ સામર્થ્યથી ગર્ભિત રીતે જણાવાયો છે. અર્થાત્ શબ્દસમૂહની વિશિષ્ટ રચનારૂપ આ પ્રકરણ એ ઉપાય છે. શિષ્યોને તેના અર્થનું પ્રતિપાદન કરવારૂપ જે પ્રયોજન તે ઉપય છે. હ્યું છે કે- “આ પ્રકરણનું આ ફળ (પ્રયોજન) છે એ પ્રમાણેનો જે યોગ= જોડાણ એ સંબંધ કહેવાય છે. આમ સંબંધ એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે છતાં પણ પ્રયોજનની અન્તર્ગત તે કહેવાઈ જતો હોવાથી (કેટલાક પ્રકરણકારો વડે તે સંબંધ પૃથક સાક્ષાત્ કહેવા ઈચ્છતો નથી ||1|ii 1/1 શ્રાવકધર્મને હું કહીશ” એમ ઉપરના શ્લોકમાં જે કહ્યું, તેમાં જેનો આ ધર્મ છે તે શ્રાવક કોણ છે ? તે જણાવે છે : परलोगहियं सम्मं, जो जिणवयणं सुणेइ उवउत्तो।। अइतिव्वकम्मविगमा, सुक्कोसो सावगो एत्थ // 2 // 1/2 છાયા :- પરનોદિત સંખ્ય ય નનવર શ્રોતિ ૩૫યુ: | अतितीव्रकर्मविगमात् सोत्कर्षः श्रावकोऽत्र ગાથાર્થ :- પરલોક માટે હિતકર (તથા) અવિપરીત એવા જિનવચનને અતિતીવ્ર કર્મનો નાશ થવાથી ઉપયોગપૂર્વક જે સાંભળે છે તે અહીં ઉત્કૃષ્ટ શ્રાવક કહેવાય છે. ટીકાર્થ :- ‘ગો'= જે પુરુષ, ‘પત્નોrf'= પરલોક માટે હિતકર, ‘સÍ'= સમ્યગુ અર્થાત્ અવિપરીત, ‘નવયT'= જિનવચનને અર્થાત્ સ્વાધ્યાય (શ્રુતધર્મ) અને ચારિત્રધર્મ સ્વરૂપ જિનધર્મને, ‘વડો'= ઉપયોગપૂર્વક, અર્થાત્ ઉપાદેય બુદ્ધિથી "'= સાંભળે છે. ‘મતિવ્રષ્પવામ'= અતિક્લિષ્ટ મિથ્યાત્વમોહનીય કર્મનો નાશ થવાથી “સુહ્નોસો'= સમ્યગ્દષ્ટિપણાથી તે ઉત્કૃષ્ટ “સાવો'= શ્રાવક ‘ત્થ'= અહીં (કહેવાય છે.) સખ્ત'નો જિનવચનના વિશેષણરૂપે સંબંધ કરાય તો અવિપરીત એવું જિનવચન એવો અર્થ થાય છે. જો તેનો ‘સુનેટ્ટ' સાથે ક્રિયાવિશેષણરૂપે સંબંધ કરાય તો સમ્યગુ રીતે અર્થાત્ અશઠપણાથી સાંભળે છે એવો અર્થ થાય છે. (અશઠપણાથી= પ્રત્યનીકપણાથી નહિ પણ તત્ત્વને જાણવાની જિજ્ઞાસાથી સાંભળે છે). 2 2/2 તે વળી સમ્યક્ત શું છે? જેના સંબંધથી આ શ્રાવક કહેવાય છે, તે જણાવે છે : तत्तत्थसद्दहाणं, सम्मत्तमसग्गहो न एयम्मि / मिच्छत्तखओवसमा, सुस्सूसाई उ हुंति दढं // 3 // 1/3 છાયા :- તત્ત્વાર્થશ્રદ્ધાનં સર્વિસ ન તસ્મિન્ | मिथ्यात्त्वक्षयोपशमात् शुश्रूषादयस्तु भवन्ति दृढम् // 3 // ગાથાર્થ :- જિનોક્ત જીવાદિપદાર્થોની શ્રદ્ધા તે સમ્યક્ત છે. તે સમ્યક્ત હોય ત્યારે મિથ્યાત્વનો ક્ષયોપશમ હોવાથી મિથ્યાગ્રહ હોતો નથી. શુશ્રુષા વગેરે ગુણો દેઢ રીતે હોય છે.
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy