SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद 275 ગાથાર્થ :-જે ભોજન આધાકર્મ ભોજનના અંશથી યુક્ત થાય તે પૂતિદોષ છે. પ્રથમથી જ ગૃહસ્થ અને સાધુ માટે ભેગું બનાવવામાં આવે તે મિશ્રદોષ છે. ટીકાર્થ :- “નયંત'= જે આહાર ‘સ્મવિયવમેય'= આધાકર્મ ભોજનના અંશથી યુક્ત સંમાવિજ્ઞતિ'= હોવાની સંભાવના કરાય અર્થાત્ જણાય, ‘તં પૂરું'- તે આહાર પૂતિદોષથી દૂષિત છે. “પઢમં વિય'= પ્રથમથી જ અર્થાત્ ભાતનું આંધણ મૂકવાના સમયે જ ‘હિસંનયમો'= ગૃહસ્થ અને સાધુ બંનેને માટે ભેગું ‘૩વવૃવાડુ'= રાંધવામાં આવે “પીરં તુ'= તે આહાર મિશ્રદોષથી દૂષિત છે. // 603 // 139. સ્થાપના અને પ્રાભૃતિક દોષને કહે છેઃ साहोभासियखीराइठावणं साहूणऽट्ठाए / सुहमेयरमुस्सक्कणमवसक्कणमो य पाहुडिया // 604 // 13/10 છાયા :- સાધ્વવમાષિતક્ષીર વિસ્થાપનં સાધૂનામથયા सूक्ष्मेतरमुत्ष्वष्कणमवष्वष्कणं च प्राभूतिका // 10 // ગાથાર્થ:- સાધુએ માંગેલું દૂધ વગેરે સાધુને માટે રાખી મૂકવામાં આવે તે સ્થાપના દોષ છે. સૂક્ષ્મ ઉધ્વષ્કણ, બાદર ઉધ્વષ્કણ, સૂક્ષ્મ અવqષ્કણ અને બાદર અવધ્વષ્કણ એ પ્રાભૃતિકા દોષ છે. ટીકાર્થ :- ‘સાદમણિય'= સાધુએ યાચેલા “રા'= દૂધ આદિને ‘સાહૂVISઠ્ઠાણ'= સાધુના માટે જે ગૃહસ્થ વડે સ્થાપન કરાય છે તે ‘વાવ'= સ્થાપના દોષ છે. હવે પ્રાભૃતિકાને કહે છે. :- “સુદ્યુમેયરમ્'= સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારે ‘ડસઋ'= મોડું કરવું ‘અવસ '= વહેલું કરવું ‘મો'= આ નિપાત છે, “પાદુડિયા'= પ્રાભૃતિકા નામનો દોષ છે. અર્થાત્ સાધુભગવંત ગામમાં વહેલા અથવા મોડા પધારવાના હોય તો તેમને વહોરાવવાનો લાભ મળે એ માટે લગ્નાદિ ઉત્સવો વહેલા મોડા રાખે તે પ્રાકૃતિકા દોષ છે. / 604 || 13/10 પ્રાદુષ્કરણ અને ક્રીત દોષ કહે છે : णीयदुवारंधयारे गवक्खकरणाइ पाउकरणं तु। दव्वाइएहिं किणण, साहूणट्ठाएँ कीयं तु // 605 // 13/11 છાયા :- નીવાર ન્યારે વિક્ષરપર પ્રાપુર તા द्रव्यादिभिः क्रयणं साधूनामर्थाय क्रीतं तु // 11 // ગાથાર્થ:- નીચા દ્વારના કારણે ઘરમાં અંધારું પડતું હોય તેથી સાધુ વહોરે નહિ. આથી સાધુના માટે બારી આદિ કરાવે તે પ્રાદુષ્કરણ છે. દ્રવ્યાદિથી સાધુ માટે ખરીદવું તે ક્રીત દોષ છે. ટીકાર્થ:- ‘vયદુવાધયારે '= નીચા દ્વારના કારણે ઘરમાં અંધારું પડતું હોય તેથી “નવવસ્થRUTIટ્ટ'= બારી વગેરે કરાવવા તે. “આદિ' શબ્દથી પ્રકાશ માટે મણિ મૂકે અથવા દીવો કરે તેનું ગ્રહણ થાય છે. “પાડેશ્વર તુ'= પ્રકાશ કરવો તે પ્રાદુષ્કરણ દોષ છે, હવે ક્રીત દોષ કહે છે. :- “વ્યાર્દિક દ્રવ્ય અને ભાવથી ‘સાદૂછોટ્ટા'= સાધુના માટે 'IiT'= ખરીદવું તે ‘યં તુ'= ક્રીત નામનો દોષ છે. પૈસા વગેરે કોઈ વસ્તુ આપીને ખરીદે તે દ્રવ્યક્રીત છે, પોતાની સંગીત, નાટક આદિ કળાથી લોકોને ખુશ કરીને તેના બદલામાં તેમની પાસેથી સાધુને વહોરાવવા માટે કોઈ વસ્તુ ગ્રહણ કરે તે ભાવક્રીત છે. || 605 || 13/11.
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy