________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 88 એવાઓનું અનુમોદન કરે. તે ભિક્ષુને એક માસનું ઉદ્ઘાતિત પ્રાયશ્ચિત્ત આવે.” ડવાના તુ સુવિહી નોર્થ તોડત્તરી સમાસ | इत्तरिय आवकहिया दुविहा पुण लोइया हुंति / / 1617 // सूयगमयगकुलाइ, इत्तरिया जे य होंति णिज्जूढा / जे जत्थ जुंगिता खलु, ते होंति आवकहिया तु / / 1618 / / दुविहा लोउतरिया वसहिसंबंधा इत्तरा चेव / सत्तघरंतर जाव तु वसधीतो वसधिसंबद्धा / / / / 1619 / / दाणे अभिगमसड्डे सम्मत्ते तहेव खलु मिच्छत्ते / मामाए अचियत्ते य एतरा होंति नायव्वा / / 1620 // एतेसामण्णतरं ठवणाकुलं जो तु पविसति भिक्खू / पुव्वं अपुच्छित्तूणं सो पावेति आणमादीणि / / 67 / / 1621 // સ્થાપના કુળો સંક્ષેપ કરી લૌકિક અને લોકોત્તર એમ પ્રકારે છે. તેમાં લૌકિક સ્થાપનાકુળ બે પ્રકારે (1) ઇતરિક અને (2) યાવત્રુથિક (તે જ વાતને વિસ્તારતા ૧૬૧૦મી ગાથામાં) જન્મ-મરણ આદિવાળાં (સૂતક) કુળો જે થોડા કાળ માટે દૂર કરેલાં છે તેને ઇરિક સ્થાપનાકુળ કહે છે. અને જે દેશમાં જે દુગંછિત હોય તેને યાવત્રુથિક - જાવજીવ ત્યાગ કરેલાં સ્થાપનાકુળો કહે છે. (હવે ૧૬૧૧મી ગાથામાં લોકોત્તર સ્થાપના કુળ) લોકોત્તર સ્થાપનાકુળો - વસતિ સંબંધવાળા તથા વસતિના સંબંધ વિનાના એમ બે પ્રકારે છે. ઉપાશ્રયથી સાત ઘર સુધી વસતિનાં સંબંધવાળાં ઘરોને વસતિ સંબંધવાળાં સ્થાપના કુળો કહે છે. 1612 ગાથામાં સદાવ્રતાદિ, નવો શ્રાવક આપણે જેને સમકિત પમાડ્યું હોય તે, આભિગ્રહિક મિથ્યાત્વી, મારા ઘરમાં આવશો નહિ એમ કહે ત્યાં, તથા ઘેર આવતાં ન ઇચ્છતા હોય તેને ઘેર, આવાં સ્થાનોને સંબંધ વિનાનાં સ્થાપનાકુળો કહે છે. તે રૂત્તર કહેતા ઇવર - થોડા કાળ માટેનાં સ્થાપનાકુળો જાણવા. ૧૬૧૩મી ગાથામાં કહે છે કે આવાં કુળો કે તેમાંનાં કોઈપણ કુળોમાં (‘પહેલેથી પૂળ્યા વિના' આ અર્થ છૂપાવ્યો છે.) જે પ્રવેશ કરે તે