________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 12 વિચારણા આગળ જતાં તે તે શાસ્ત્રપાઠોના સમયે વિચારશું એટલે તેનો બરાબર ખ્યાલ તમને આવી જશે. લૌકિક ધર્મગ્રંથ “મનુસ્મૃતિની જ વાત આગળ વધારીએ તો તેમાંના બીજા પણ કેટલાક શ્લોકો નોંધપાત્ર ગણાય. બ્રાહ્મણો હોવાથી ચોખ્ખાઈની વાતમાં જરાય ઢીલું તો મૂકે જ નહિ. આમ છતાં તેમના મત મુજબ તેમના અતિપવિત્ર ગણાતા ‘અગ્નિહોત્રી અનુષ્ઠાનમાં તેઓ સૂતકનો બાધ ગણતા નથી. જુઓ આ રહ્યા તેના શ્લોકો : शुद्धयेद्विप्रो दशाहेन, द्वादशाहेन भूमिपः। वैश्यः पञ्चदशाहेन, शुद्रो मासेन शुद्धयति // 83 / अ.५ / "(जिसका यज्ञोपवित संस्कार हो चुका हो उस सपिंडके मरने पर और किसी बालकके जन्म में वेदपाठी आदि) ब्राह्मण दश दिनमें, क्षत्री बारह दिन में, वैश्य पंदरह दिन में और शुद्र एक महीने में शुद्ध होता है।" न वर्धयेदधाहानि, प्रत्यूहेन्नाग्निषु क्रियाः। न च तत्कर्म कुर्वाणः सनाभ्योप्यशुचिर्भवेत् // 84 // अ. 5 // "सूतकके दिनोंको न बढावे और अग्निहोत्र ना छोडे, क्योंकि अग्निहोत्र का करनेवाला सपिंडभी अशुद्ध नहीं होता है।" આ બંને શ્લોકોમાં “ચારે વર્ણની સૂતક અંગેની સમયમર્યાદા અલગ અલગ છે; સૂતકના દિવસો વધારવા નહિ, સૂતક સમયે અગ્નિહોત્ર છોડવું નહિ અને સપિંડનું સૂતક લાગ્યું હોય તો પણ અગ્નિહોત્રી અશુદ્ધ બનતા નથી” આવી ચાર માન્યતા મનુસ્મૃતિએ સ્પષ્ટ કરી છે. આ લોકોની માન્યતા અને આપણે ત્યાં ચાલી પડેલી અંધાધૂંધી પર વિચાર કરીએ તો આપણા કદાગ્રહીઓ પર ભારે કરુણા ઉપજે તેવું છે. મનુસ્મૃતિ સૂતકના દિવસો વધારવાની ના પાડે છે અને આપણે ત્યાંના ઉત્સાહી જીવો વધીને 40 - 40 દિવસ સુધી સૂતક ઠોકી બેસાડીને ગર્વ અનુભવે છે. મનુસ્મૃતિ સૂતકમાં અગ્નિહોત્ર છોડવાની ના પાડે છે અને આપણા સૂતકવાદીઓ બુલંદ અવાજે જિનપૂજા છોડી દેવાની ઘોષણા કરે છે. બ્રાહ્મણોમાં