SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ 13 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ “સૂતકમર્યાદાયે નમઃ” અને “શાસ્ત્રીય સૂતક વિચારમાં ‘ર્વ રચંતિ શેષ:' આ પદ ઉડાવીને સુબોધિકા ટીકાનો પાઠ છાપવા દ્વારા ખોટો ઇતિહાસ ઉભો કરવાનું અને શાસ્ત્રપાઠ ઉપર કાતર ફેરવવાનું મહાપાપ કરવામાં આવ્યું છે. એ જ રીતે “કલ્પસૂત્ર” ખીમશાહી ભાષાંતર નામની આ. શ્રી અશોકસાગરજી મ. સંપાદિત પ્રતમાં પણ “જિનપ્રતિમાની પૂજા પોતે કરે છે અને બીજા પાસે કરાવે છે.” આ વાત ઉડાવી દીધી છે. (જુઓ પૃ. 20O) સ્વ. સાગરજી મ.ના સાધુઓએ સંસ્કૃત અને ગુજરાતી બન્નેમાં આગમટીકાની પંક્તિઓને ઉડાવી દેવાનું ભયંકર જયંત્ર રચીને, ખોટા ઇતિહાસો અને પાઠો ઊભા કરીને શાસ્ત્રકારોનો ભંયકર દ્રોહ કર્યો છે. “આગમોદ્ધારકના સંતાનોએ જે રીતે આગમટીકા અને તેના બાલાવબોધ ઉપર કાતર ફેરવી છે એ જોતાં તેઓએ સંપાદન કરેલું સંસ્કૃત કે ગુજરાતી પ્રાચીન સાહિત્ય તપાસ્યા વિના વિશ્વાસ મુકવા લાયક રહેતું નથી. પોતાના કદાગ્રહને પોષવા માટે આગમટીકાઓ ઉપર કાતર ફેરવવાની સ્થાનકવાસી નીતિના રસ્તે જનારા સાગરસંતાનોને શાસનદેવ સુબુદ્ધિ આપે એવી ભાવદયા ચિંતવ્યા વિના બીજો રસ્તો નથી. સ્થાનકવાસીઓએ શ્રી જિનપૂજાનું સમર્થન કરનારા આગમોને ઉડાવી દીધા, કેટલાય ઉપર કાતર ફેરવી. આજે સાગર સંતાનો, સૂતકમાં શ્રી જિનપૂજાનું સમર્થન કરનારી પંક્તિઓને આગમટીકામાંથી ઉડાવવાના રસ્તે ચાલી રહ્યા છે. આવું ઘોર પાપ કરીને તેઓ કઈ સગતિ સાધવા ઇચ્છે છે, તે સમજાતું નથી ! ના, 3' નો અર્થ શ્રી જિનપૂજા જ થાય શ્રી કલ્પસૂત્રની ટીકાઓમાં ‘ના ' પદનો અર્થ ‘રઈસ્ત્રતિમા પૂના' જ કર્યો છે તેના આધારો આ રહ્યા. (1) પૂ. મહો. શ્રી ધર્મસાગરજી ગણિકૃતા કિરણાવલી ટીકા યા' વપૂના: કેવીદ્નાત્રીત્વતિમાં અવ વાસ્થતયાવકાંતવ્યો:' યાગનો અર્થ દેવપૂજા છે. દેવ શબ્દથી અહીં શ્રી અરિહંત પરમાત્માની પ્રતિમા જ લેવી.” (2) ઉપા. શાંતિસાગરજી ગણિકૃતા કલ્પકૌમુદિટીકા
SR No.035328
Book TitleSutak Sambandhi Shastriya Saral Samaj
Original Sutra AuthorN/A
AuthorVijayjaidarshansuri
PublisherJinagna Prakashan
Publication Year
Total Pages131
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy