SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ = 1980 આદિની સાલમાં છપાયેલ “સુબોધિકા’ ટીકા આદિમાં જે પાઠો ઉપર આપેલા છે તેમાં તેમજ કલ્પસૂત્રની પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓ આદિમાં કોઈપણ સ્થળે ‘પૂર્વ રયંતિ શેષ:' એવો પાઠ લખાયેલો છે જ નહિ !!" શાસ્ત્રીય સૂતક વિચાર'ના આ જૂઠાણાને આગળ વધારતા “સૂતકમર્યાદાયે નમઃ” પુસ્તકમાં 66 પેજ ઉપર લખ્યું છે કે ““પ્રાયઃ ભૂલતો ન હોઉં તો ૧૯૬૭ની પૂર્વેની કોઈપણ છપાયેલ અથવા હસ્તલિખિત પ્રતમાં સર્વત્ પ્રતિમા પુના: પૂર્વન શારયંતિ શેષ:' એટલે “અરિહંત પ્રભુની પૂજા કરી અને કરાવી એવો પાઠ જોવા નહિ જ મળે.” આ બન્ને પુસ્તકોના લેખકોએ “ર્વનું યંતિ શેષ:' આ પદ પ્રક્ષેપિત જ હોવાનું “જકાર” પૂર્વક લખીને પોતાના બીજા મહાવ્રતનો બેધડક ભંગ કર્યો છે. વિ.સં. 1967 પૂર્વની કોઈ પણ છપાયેલ અથવા હસ્તલિખિત પ્રતમાં ફર્વ રયંતિ શેષ:' એવો પાઠ જોવા નહિ જ મળે” એવા પ્રગટ મૃષાવાદને ખુલ્લો પાડતો પુરાવો આ રહ્યો: ર્વનું યંતિ શેષ:' પ્રક્ષેપિત નથી જ. શ્રી સુબોધિકા ટીકા ઉપર પૂ. પંન્યાસપ્રવર શ્રી ખિમાવિજયજી મહારાજે બાલાવબોધ રચેલો છે. તેમાં પણ સ્પષ્ટ લખેલું છે કે હવે તે સિદ્ધાર્થ રાજા દશ દિવસ સુધીની મહોત્સવ રૂપ કુલમર્યાદામાં પ્રવર્તે છતે સેંકડો, હજારો અને લાખો પરિમાણવાળા યાગોને એટલે જિન પ્રતિમાની પૂજાઓને પોતે કરે છે તથા બીજાઓ પાસે કરાવે છે.” આ બાલાવબોધની પ્રશસ્તિમાં રચના સમય બતાવતા લખ્યું છે કે “વર્ષે મુનિ-રીન રિક્ષH[મિતે (2707) રાધાસ સિતાક્ષે' એથી સ્પષ્ટ છે કે, વિ.સં. ૧૭૦૭ની સાલમાં “ચુર્વ રતિ શેષ:' આ પદ સુબોધિકા ટીકામાં હતું જ અને એટલે જ બાલવબોધમાં પૂ. પં. શ્રી ખિમાવિજયજી મ. એ તેનો અર્થ લખ્યો છે. માટે વિ.સં. 1967 પહેલા આ પદ ન જ હતું. એવું જ” કારપૂર્વક બોલનારા લખનારાનું બીજું મહાવ્રત ભાંગે જ એમાં કોઈ શંકા નથી.
SR No.035328
Book TitleSutak Sambandhi Shastriya Saral Samaj
Original Sutra AuthorN/A
AuthorVijayjaidarshansuri
PublisherJinagna Prakashan
Publication Year
Total Pages131
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy