SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ 67 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ बारसदिवसंमि नाणाविह वंजणसमेयं बहुप्पगारखण्डखज्जपरिपुन्नम्" / (पृ. 224) અર્થ : “ભગવાન મહાવીર પ્રભુના જન્મ પછી અગિયારમો દિવસ આવે છે તે રીતે કહેલું છે. તેવી રીતનાં વિધાનો કરી જન્મ સૂતક કર્મને દૂર કરે છે. બારમા દિવસે વિવિધ પ્રકારનાં શાકોએ કરી યુક્ત ઘણા પ્રકારનાં ખાંડનાં ખાજાં વગેરેથી પરિપૂર્ણ એવું.” શ્રી કલ્પસૂત્ર પ્રદીપિકા: तएणं समणस्स भगवओ महावीरस्स अम्मापियरो पढमे दिवसे ठिइवडियं करेंति तइए दिवसे चंदसूरदंसणियं करेंति, छठे दिवसे धम्मजागरियं जागरेति / एक्कारसमे दिवसे विइकंते निव्वत्तिए असुइजम्मकरणे संपत्ते बारसाह दिवसे विपुलं असणं पाणं खाइमं साइमं उवक्खडाविति रत्ता. (पृ. 57) તાત્પર્ય : આમાંય “અશુચિકર્મ દૂર કરીને બારમે દિવસે” એમ પાઠ આગમોના આ પાઠોનાં તેઓએ કરેલા અર્થઘટનામાં એક જ વાત કરવામાં આવે છે કે “શ્રી તીર્થકરોથી માંડીને રાજપુત્રો-ચોરપુત્ર સુધીનાનાં જન્મનું વર્ણન કરતી વખતે સૂત્રકાર-ટીકાકારે “જન્મની અશુચિ અગિયાર દિવસ (ચોર પુત્રમાં દસ દિવસ)ની માની છે. માટે એટલા દિવસ સુધી પૂજા ન થાય, સાધુ-સાધ્વીને વહોરાવાય નહિ અને કોઈને જમાડાય પણ નહિ.' આમાં સૌથી પહેલી વાતઃ શ્રી તીર્થકર ભગવંતોનો જન્મ થાય તે જ રાતે છપ્પન દિકુમારીઓ પોતાના શાશ્વત આચાર મુજબ અશુચિ ટાળી જ દે છે. એટલે અગિયાર દિવસ સુધી અશુચિ હોતી જ નથી. બીજી વાત સૂત્રકાર-ટીકાકારે અશુચિ કર્મ નિવર્તનની વાત લખી છે તે ચરિત્રવર્ણનસ્વરૂપ જ છે. ચરિત્રવર્ણનમાં તો ચોરી-યુદ્ધ-પરિગ્રહવગેરે બધી ય વાત આવે. સિદ્ધાર્થ મહારાજા સૂર્યોદય પછી ઉઠ્યા, વ્યાયામ અને મલ્લયુદ્ધ કર્યું. અનેક પ્રકારના તેલથી માલિશ કરાવ્યું અને અનેક પ્રકારનાં પાણીથી સ્નાન કર્યું. એવી વાત શ્રીકલ્પસૂત્રમાં આવે છે. એટલે બધા શ્રાવકોએ સૂર્યોદય પછી ઉઠવાથી માંડીને અનેક પ્રકારનાં પાણીથી સ્નાન કરવા સુધીનો આદર્શ
SR No.035328
Book TitleSutak Sambandhi Shastriya Saral Samaj
Original Sutra AuthorN/A
AuthorVijayjaidarshansuri
PublisherJinagna Prakashan
Publication Year
Total Pages131
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy