SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 54 આચાર દિનકર'ના આ પાઠનો બાલાવબોધ રજુ કરતા પૂ. આત્મારામજી મ. એ ‘તત્ત્વનિર્ણયપ્રાસાદ'માં નીચે મુજબ લખ્યું છે. [ આ લખાણની વિપરીત રજૂઆત સૂતકવાળાઓ તરફથી કરવામાં આવે છે. માટે લખાણની સાથે જ સમાલોચના રૂપે સ્પષ્ટતા પણ મૂકવામાં આવી 9 શ્રી તત્ત્વનિર્ણયપ્રાસાદ 'तदपीछे बालकके पिता, पितृव्य (चाचा-काका) पितामहोने नाल विना छेद्यां गुरुका और ज्योतिष का बहुत वस्त्र आभूषण वित्तादिसे पूजन करना. क्योंकि नाल छेद्या पीछे सूतक हो जाता है / ' સમાલોચના : બાળક જન્મે એટલે નાલ છેદ્યા પહેલા પણ અશુચિ તો હોય જ. નાલ છેદ્યા પછી જ સૂતક લાગવાની વાત લૌકિક છે. એ જ રીતે નાલ છેદ્યા બાદ સૂતક હોવાથી દાન ન આપવાની માન્યતા પણ લૌકિક જ છે. જૈન શાસ્ત્રોના નિયમ મુજબ માતાને અશુચિ હોવાથી તે દાન ન આપી શકે પરંતુ બાકીના ઘરના સભ્યોને કોઈ અશુચિ ન હોવાથી તેઓ દાન આપી શકે. સૂતકવાળાના ઘરમાં રહેલા દૂધ-પાણી વગેરે અશુદ્ધ બનતું નથી - એવી સ્પષ્ટ માન્યતા લૌકિકમતના “ધર્મસિંધુ' નામના ગ્રન્થમાં જણાવી છે. એટલે સૂતકવાળા ઘરના પાણીથી પૂજા ન થાય, નૈવેદ્ય ન ચઢાવાય, સાધુ-સાધ્વીને આહાર-પાણી ન વહોરાવાય- એવું કોઈ જૈનશાસ્ત્ર માનતું નથી. માટે કોઈ જૈને લૌકિકો પણ ન માનતા હોય તેવી પૂજા ન થાય, વહોરાવાય નહિ એવી ઢંગધડા વિનાની માન્યતા માનવાની હોય જ નહિ. 'सूतक में दक्षिणा नहीं है तदपीछे गुरु स्वस्थाने आयकर जिन प्रतिमा और स्थापित सूर्यको विसर्जन करे. माता और पुत्रको सूतक के भयसे तहाँ जिनप्रतिमा के पास न लावे.' સમાલોચના : “માતા-પુત્રને સૂતકના ભયથી શ્રી જિનપ્રતિમા પાસે ન લાવવા” એનો અર્થ એ જ થયો કે બાકીના ઘરના સભ્યો શ્રી જિનપ્રતિમા પાસે જાય, દર્શન-પૂજન કરે તેમાં સૂતકનો કોઈ ભય રહેતો નથી. અગાઉ જોઈ ગયા તેમ લૌકિકો પણ સૂતકમાં દેવપૂજનને ત્યાજ્ય માનતા નથી. સ્નાન
SR No.035328
Book TitleSutak Sambandhi Shastriya Saral Samaj
Original Sutra AuthorN/A
AuthorVijayjaidarshansuri
PublisherJinagna Prakashan
Publication Year
Total Pages131
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy