________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 40 નરેન્દ્ર-સાગરસૂરિજી રજૂ કરી શક્યા નથી એટલે સ્પષ્ટ સમજાય તેવું છે કે તેમણે કરેલા આક્ષેપો તદન ખોટા છે. એનાથી તપાગચ્છાધિપતિ પૂર્વાચાર્ય ભગવંતની સ્પષ્ટ આશાતના થઈ રહી છે. | વિચારવામાં આવે તો સમજાય તેવું છે કે વિક્રમની સત્તરમી શતાબ્દિમાં તપાગચ્છની સુવિહિત સામાચારી કઈ હતી તેની સંપૂર્ણ અધિકૃત જાણકારી તે સમયના તપાગચ્છાધિપતિ પૂ.આ.ભ.શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજાને જ હોય. વિક્રમની એકવીસમી શતાબ્દિમાં શ્રી હીરપ્રશ્ન ઉપર અણછાજતી ટિપ્પણીઓ લખી રહેલા નરેન્દ્રસાગરસૂરિજીને ન જ હોય.એટલે પૂ. તપાગચ્છાધિપતિશ્રી ઉપર જે બે આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા છે તે તેમનો ચોખ્ખો મૃષાવાદ છે. - “સૂતકવાળાના ઘરે વહોરવાની વિધિમાં તો જે દેશમાં જે લોકવ્યવહાર હોય તે અનુસાર સાધુઓએ કરવું જોઈએ.” આવો ઉત્તર આપીને આ પ્રશ્નોત્તરમાં વહોરવાની વિધિમાં લોકવ્યવહાર અનુસાર કરવાનું કહ્યું છે પરંતુ શ્રી જિનપૂજાની વિધિમાં લોક વ્યવહાર મુજબ ચાલવાની વાત જણાવી નથી એટલા માટે સૂતકના નામે આખા ઘર પર પૂજાબંધી લાદી દેનારા જિનપૂજામાં અંતરાય કરવાનું પાપ તો બાંધે જ છે અને તપાગચ્છની સામાચારીથી વિરુદ્ધ પણ ચાલે છે. - રમુજ થાય તેવી વાત છે. સૂતકમાં પૂજા ન કરવાની સામાચારી દેવસૂર સંઘની સામાચારી હોવાનું ઠોકી ઠોકીને કહેવામાં આવે છે. જેનો કોઈ જ આધાર નથી. તપાગચ્છાધિપતિ પૂ. આ. શ્રી દેવસૂ.મ.ના નામે દેવસૂર સંઘ ચાલી રહ્યો છે તેવી વાત પણ કરવામાં આવે છે. સામાન્ય બુદ્ધિથી વિચારવામાં આવે તો પણ સમજાય તેવું છે કે તપાગચ્છાધિપતિ પૂ.આ. શ્રી દેવ સૂ.મ.ના દાદાગુરુ તપાગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી હીર સૂ.મી. છે. શું દાદાગુરુ કરતા તેમની સામાચારી અલગ હોઈ શકે ? દાદાગુરુ જેનું સ્પષ્ટ સમર્થન કરે તેનો વિરોધ ખરતરગચ્છવાળાની જેમ તેમના જ પ્રપટ્ટધર કરે ? શ્રી હરિપ્રશ્નને પૂ. દેવ સૂ.મ. માનતા ન હતા તેવો કોઈ જ ઉલ્લેખ મળતો નથી. છતાં તેમના નામે આજે જે ભ્રમણા ફેલાવવામાં આવી રહી છે તે તેઓ બંને તપાગચ્છાધિપતિ