SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 39 માનવું પડે કે ક્યાં તો તેમને ભાષાજ્ઞાન નથી, ક્યાં તો મહાપુરુષોના નામે પોતાને ફાવતી વાતો પકડી રાખવાની ટેવ પડી છે. કારણ કે આજથી 400 વર્ષ પહેલા તે સમયના પૂ. તપાગચ્છાધિપતિશ્રીએ જાહેર કર્યું હતું કે સૂતકવાળાનાં ઘરનાં પાણીથી દેવપૂજા શુદ્ધ ન થાય તેવા અક્ષરો શાસ્ત્રમાં જાણ્યા નથી ત્યારે કે આજે ચારસો વર્ષ પછી પણ, તેવા અક્ષરો શાસ્ત્રમાંથી કોઈ કાઢી શક્યા નથી. આ જ વાતથી પુરવાર થાય છે કે તેવા અક્ષરો શાસ્ત્રમાં નથી. - આજની વાત કરીએ તો “સૂતકમાં પૂજા ન થાય તેવા ખરતરગચ્છના મતને માન્યતા - આપનારા આચાર્ય શ્રી નરેન્દ્રસાગરસૂરિજીએ આ પ્રશ્નોત્તરનો ‘શાસ્ત્રમાં નિષેધ નથી' એવો અર્થ સ્વીકારીને જ “શ્રી હીરપ્રશ્નોત્તર ટિપ્પનિકા'માં 62 મા પાને લખ્યું છે કે ‘સત્ર યહે પુત્રपुत्रीप्रसवो जातो भवति तद्गृहपानीयेन देवपूजा न शुद्धयतीत्यक्षराणि शास्त्रे ज्ञातानि न सन्तीति पूज्यैर्यन्निगदितं तत्सुविहितसामाचारीलोपकं शास्त्रोत्तीर्ण च પ્રતિમતિ " એટલે કે “અહીં જેના ઘરે પુત્ર કે પુત્રીનો જન્મ થાય છે, તે ઘરનાં પાણીથી દેવપૂજા શુદ્ધ ન થાય તેવા અક્ષરો શાસ્ત્રમાં જાણ્યા નથી, આ પ્રમાણે આપે (શ્રી હીરપ્રશ્નોત્તરમાં) જે સમાધાન આપ્યું તે સમાધાન સુવિહિત સામાચારીનું લોપક છે અને શાસ્ત્રવિરુદ્ધ છે એમ (નરેન્દ્રસાગરસૂરિજીને) લાગે છે. આ ટિપ્પણીમાં નરેન્દ્રસાગરસૂરિજીએ પૂ. તપાગચ્છાધિપતિ આ.ભ.શ્રી વિજય હીર સૂ. મ. ઉપર બે આક્ષેપો કર્યા છે. પહેલો આક્ષેપ, આપે આપેલ સમાધાન સુવિદિત સામાચારીનું લોપક બીજો આક્ષેપ, આપે આપેલ સમાધાન શાસ્ત્રવિરુદ્ધ છે. તેમણે કરેલા આ બે આક્ષેપો સાચા છે, “અભ્યાખ્યાન' નામનું તેરમું પાપ નથી એવું સિદ્ધ કરવા માટે તેમણે ટિપ્પણીમાં તેવા આધારો - શાસ્ત્રપાઠી આપવા જોઈએ. પરંતુ ‘સૂતકવાળાનાં ઘરનાં પાણીથી શ્રી જિનપૂજા શુદ્ધ ન થાય તેવો શાસ્ત્રાધાર કે તેવી સામાચારી તપાગચ્છની છે તેવો આધાર,
SR No.035328
Book TitleSutak Sambandhi Shastriya Saral Samaj
Original Sutra AuthorN/A
AuthorVijayjaidarshansuri
PublisherJinagna Prakashan
Publication Year
Total Pages131
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy