SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 108 નિશ્ચિત કાળ વિના નષ્ટ નથી થતો. તો શું સૂતકમાં શુદ્ધિ હેતુ કાળ પાક્યા વિના શરીર ધોવાથી સ્નાન કરવાથી) અશુચિમય પુદ્ગલો દૂર થઈ જાય ખરા ? ના, ન જ થાય. ત્રીજી વાત :- તે શું પેલા શિકારી કૂતરાની વાત નથી સાંભળી ? ચોરને પકડવા માટે પોલીસ તંત્ર કૂતરાને સાથે ફેરવે છે. કૂતરો ભૂમિ સૂંઘતો સુંઘતો આગળ વધે છે. જે ભૂમિ ઉપરથી ચોર પસાર થયો હોય છે, તે ભૂમિ ઉપરથી બીજા પણ સેંકડો-હજારો માનવ પ્રાણી ગણ પસાર થયેલ હોય છે. છતાં તે ચોરના પરમાણુના પુગલો નષ્ટ નથી થતા હોતા એને કૂતરો ઓળખી કાઢે સૂતક મર્યાદામૈ નમ:ના ક્રમ મુજબ જ આ મુદ્દાઓ પર વિચારીએ. શાસ્ત્રકાર ભગવંતોએ પરિમિત જલથી સ્નાન કરીને શ્રી જિનપૂજા કરવાનું જણાવ્યું છે, પણ સ્નાન કર્યા પછી રાસાયણિક પરીક્ષણ કરાવવાનું જણાવ્યું નથી. સ્નાન કર્યા બાદ પણ રાસાયણિક પરીક્ષણ કરાવીને જ પૂજા કરવાનું શાસ્ત્ર આ લેખક સિવાય કોઈએ વાંચ્યું નથી. એમ તો શરીરમાંથી લોહી વગેરે અશુચિ નીકળતી બંધ થાય પછી પણ રાસાયણિક પરીક્ષણ કરાવે તો કદાચ અશુદ્ધિ દેખાય પણ ખરી. પણ આવું કરાવ્યા પછી શુદ્ધિ જણાય તો જ પૂજા કરવી એવું શાસ્ત્રકારોએ ફરમાવ્યું નથી “સૂતકવાળાના ઘરના સભ્યો અને સૂતક વિનાના ઘરના માણસોનું રાસાયણિક પરીક્ષણ કરાવતા, સૂતકવાળાં ઘરના સભ્યોના શરીર ઉપર અશુચિદ્રવ્યો મળી આવ્યા અને સૂતક વિનાના ઘરના માણસોના શરીર ઉપર અશુચિ દ્રવ્યો ન મળ્યા” આવી જાહેરાત લેખક કરે ત્યાં સુધી આપણે રાહ જોઈએ. છબસ્થ સાધુ શાસ્ત્રીય મર્યાદાપૂર્વક શ્રુતજ્ઞાનનો પૂરતો ઉપયોગ રાખીને નિર્દોષ જણાતો આહાર લઈ આવે અને એ આહાર કેવલી ભગવંતના જ્ઞાનમાં દોષિત દેખાતો હોય તોય કેવલી ભગવંત એ આહાર વાપરી જાય. પેલા સાધુને “આહાર દોષિત હતો એમ કહે નહિ. જ્યારે આ લેખક પરિમિત જળથી સ્નાન કર્યા બાદ શ્રી જિનપૂજા થઈ શકે - તેવી શાસ્ત્રમર્યાદાની સાથે રાસાયણિક પરીક્ષણનું પારાયણ લઈ મંડ્યા છે. તેમનું
SR No.035328
Book TitleSutak Sambandhi Shastriya Saral Samaj
Original Sutra AuthorN/A
AuthorVijayjaidarshansuri
PublisherJinagna Prakashan
Publication Year
Total Pages131
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy