SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ વિશુ વધમાન [[૧૭] અકલ્પિત—તે પછી પરસ્પર વિરુદ્ધ વાક્યનો સમન્વય કેવી રીતે સંભવી શકે છે? મહાવીર–આ વાકયમાં વાસ્તવિક કંઈ વિરોધ નથી. પ્રથમ શાસ્ત્રવાકય નરકગતિથી નીકળવા વાળા જીવને અનુલક્ષીને કહ્યું છે કે “નારક મરીને નરકમાં જન્મ નથી લેતે” આ ભાવને લક્ષમાં રાખીને પ્રથમ વાકયમાં નરકમાં નારકની ઉત્પત્તિને નિષેધ કર્યો છે; પરંતુ જીની ઉત્પત્તિને નહી. ભગવાનના આ વિવેચનથી અકસ્પિતને નરક સંબંધી સંદેહ દૂર થયે અને તે નિર્ચન્જ પ્રવચનને સાર સાંભળી ભગવાન પાસે છાત્રમંડલ સહિત પ્રવૃજિત થઈ ગયે. ૯અલભ્રાતાની દીક્ષા પંડિત અચલબ્રાતાની શંકા પ્રકટ કરતાં ભગવાન મહાવીરે કહ્યું–પંડિત! શું તમને પુણ્ય પાપના અસ્તિત્વમાં શંકા છે? અચલભ્રાતા– હા ભગવંત, એક તરફ શાસ્ત્રમાં “પુw pવં િસ ચમૂર્ત જ ભવ્ય, તા મૃતત્વશાનો સરનાવિત્તિ” વગેરે કૃતિવાકયથી પુરુષાદ્વૈતનું પ્રતિપાદન કરાયું છે અને બીજી તરફ “પુષ્યઃ પુન પાપ: વાવેન ર્મળા” વગેરે વદવાકય પુણ્ય પાપનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. આ જુદા જુદા વાક્યથી તે નિશ્ચય કર કઠિન છે કે પુણ્યપાપ કોઈ વાસ્તવિક પદાર્થ છે અથવા ક૯૫ના માત્ર! મહાવીર–“પુરુષ વેઢું” વગેરે વેદવાકય અર્થવાદ માત્ર છે. એનાથી પુરુષનું મહત્વ માત્ર સ્થાપિત થાય છે, નહિ કે અન્ય તને અભાવ? “પુણઃ પુષ્યન" વગેરે વેદવાકય કોઈ ઓપચારિક વચન નથી; સૈદ્ધાતિક વચન છે. પુનર્જન્મ અને કર્મ જન્મનું અસ્તિત્વ એમાં ગર્ભિત છે, જે તર્કસંગત અને વ્યવહારુ વસ્તુ છે. ) અગ્નિભૂતિને સમજાવવા માટે જેવી રીતે પુરુષાદ્વૈતવાદનું હીનપણું સિદ્ધ કર્યું હતું તેવી જ રીતે અચલબ્રાતા આગળ પણ પુરુષાતનું ખંડન કરીને ભગવાને પુણ્યપાપનું અસ્તિત્વ સિદ્ધ કર્યું, તેનાથી અચળભ્રાતાને સંદેહ દૂર થશે અને નિર્ચન્ય પ્રવચનને સાર સાંભળી તેણે પણ પિતાની છાત્રમંડલી સાથે ભગવાન મહાવીર પાસે પ્રત્રજ્યા ગ્રહણ કરી. ૧૦. મેતાર્યની દીક્ષા પંડિત મેતાર્યને પુનર્જન્મના સંબંધમાં શંકા હતી. “વિજ્ઞાન ન ” વગેરે ઋતિવાક્યથી એના દિલમાં પરલોકવાદમાં સંશય થઈ રહ્યો હતે. જ્યારે ભૂત પરિણમ જ ચેતન છે તે એના વિનાશની સાથે એને વિનાશ પણ નિશ્ચિત છે. આ પ્રકારના વિચારોથી મેતાર્યનું ચિત્ત ભૌતિકવાદ તરફ આકૃષ્ટ થઈ રહ્યું હતું. ભગવાન મહાવીરે વેદવાકયને વાસ્તવિક અર્થ સમજાવીને ભૌતિકવાદનું ખંડન કરતાં ભૂતાતિરિક્ત આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરીને પુનર્જન્મના સિદ્ધાન્તનું પ્રતિપાદન કર્યું. આ અમૃતવાણીથી મેતાર્યની સર્વ શંકાઓ દૂર થઈ ગઈ અને તે પણ પિતાની શિષ્યમંડળી સાથે ભગવાનના શ્રમણ પરિવારમાં ભળી ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035311
Book TitleVishvajyoti Vibhu Vardhaman Mahavir
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherVijaydevsuri Sangh
Publication Year1960
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy