SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ વિભુ વર્ધમાન [૧૬] કરવા લાગે છે અને કર્મબન્ધને નાશ કરીને મુક્તિને પ્રાપ્ત કરી લે છે મહાનુભાવ મંડિક ! અમારા આ કથનનું નીચે લખેલા વેદવાકયથી સમર્થન થાય છે. न ह वै सशरीरस्य प्रियाप्रिययोरपडतिरस्ति. अशरीरं वा वसन्तं प्रियाऽप्रिये न स्पृशतः ભગવાન મહાવીરના મુખારવિન્દથી બંધક્ષની સ્પષ્ટ અને સુરેખ વ્યાખ્યા સાંભળી મંડિકને અજ્ઞાનાન્ધકાર નષ્ટ થઈ ગયા અને તે નિર્ગસ્થ પ્રવચનસાર સાંભળી સપરિવાર એમના ચરણેમાં પ્રવ્રજિત થઈ ગયા. ૭. મૌર્યપુત્રની દીક્ષા હવે ભગવાન મહાવીરે મૌર્યપુત્રની શંકાને પ્રગટ કરતાં કહ્યું કે –મોર્યપુત્ર! શું તમને દેના અસ્તિત્વમાં શંકા છે? મૌર્યપુત્ર–હા ભગવંત, દેવ નામધારી પ્રાણીઓની કઈ સ્વતંત્ર દુનિયા છે અથવા વિશિષ્ટ સ્થિતિ સંપન્ન મનુષ્ય જ દેવ કહેવાય છે? આ વિષયમાં હું સંદેહયુક્ત છું. આ સંબંધમાં શાસ્ત્રની પણ એકવાક્યતા નથી “ો નાનાતિ માયોપમાન નિયમવળાવીન” વગેરે શાસ્ત્રવાક્ય ઈન્દ્ર, યમ, વરુણ, કુબેર વગેરે દેવેને સ્વપ્નપમ (સ્વમ તુલ્ય-અસત) બતાવે છે અને “સ ઇન વાયુપી યજ્ઞમાનોડક્સના સ્વસ્ત્રો ” આ શ્રુતિવાક્ય યજમાનને યજ્ઞની સહાયતાથી સ્વર્ગગતિની પ્રાપ્તિ બતાવે છે. તે “अपाम सोमममृता अभूमागमन् ज्योतिरविदाम देवान् । किं नूनमस्मात्तुणवदरातिः, किमु धूर्त्तिरमृतमय॑स्य" આ વેદવાક્ય પણ દેવકના અસ્તિત્વને પુરવાર કરે છે. આ પરસ્પર વિરુદ્ધ વાક્યોથી કોઈ પણ જાતની ચેખવટ સંભવતી નથી. મહાવીર–મહાનુભાવ મૌર્યપુત્ર! “માયોપમા” વગેરે ઋતિવાકયને વાસ્તવિક અર્થ આપ સમજી નથી શક્યા. આથી જ આપ શંકાશીલ થઈ રહ્યા છે. વસ્તુતઃ ઉક્ત શ્રુતિ દેવાના અસ્તિત્વને નિષેધ નથી કરતી પરંતુ એની અનિત્યતા સૂચિત કરે છે. દેવે જે કહ૫સ્થાયી દીઘાયુષી હોય છે તેઓ પણ છેવટ સ્વમની પેઠે નામશેષ થઈ જાય છે તો મનુષ્યાદિ અલ્પ આયુષ્યવાળા જીનું તે કહેવું જ શું? આ ભાવને પ્રતિપાદન કરવાને માટે પૂર્વોક્ત વાકય પ્રયુક્ત થયું છે, પરંતુ દેવત્વને અભાવ બતાવવા માટે નહિ. યપુત્ર દેવક નામક એક નવી દુનિયાની કલ્પના કરવા કરતાં એમ કેમ ને મનાય કે વિશિષ્ટ સ્થિતિસંપન્ન મનુષ્ય જ દેવ છે. મહાવીર–મનુષ્ય ગતિ તે જ ગતિ છે કે જ્યાં જન્મ પામેલ પ્રાણ સુખદુ:ખમિશ્રિત જીવન વ્યતીત કરે છે. મનુષ્ય લેકમાં એવું કેણ પ્રાણી છે કે જે દુ:ખથી અલિપ્ત રહી સુખમાં જ જીવન ગુજારી શકે? કયા મનુષ્યથી ગવાયનું દુ:ખ નથી ભેગવાયું? શારીરિક અને માનસિક પ્રવૃત્તિઓથી કયે મનુષ્ય વંચિત રહ્યો છે? આ માનવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035311
Book TitleVishvajyoti Vibhu Vardhaman Mahavir
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherVijaydevsuri Sangh
Publication Year1960
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy