SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ १०४ વીર-ધર્મને પુનરુદ્ધાર. ચિત્ત બનાવે છે. એથી તેમની શારીરિક અને માનસિક શક્તિએને હાસ થાય છે અને શરીરયન્ટની ક્રિયા મન્દ પી જાય છે. આખરે એનું પરિણામ મૃત્યુમાં આવે છે. ૫ ભારતવર્ષમાં વિદ્યારંભ–સંસ્કારના સમયે બાળકોને બ્રહ્મચર્યના મહિમાને સદુપદેશ અપાયા કરતે. આચાર્ય કે ગુરૂ શિષ્યને પ્રતિદિન બ્રહ્મચર્ય પાળવાનું શિખવતા. તેમને આ પુનીત માર્ગથી વિચલિત ન થવા લા. પ્રત્યેક બાળક અને બાલિકા ચોગ્ય ઉમ્મર સુધી અખંડ બ્રહાચર્યપૂર્વક વિદ્યા સંપાદન કરીને પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતાં. પણ દુર્ભાગ્યવશ સમયે પલટે ખાધે છે, અને તે એ કે જે એકના સાધનથી બધું સધાતું હતું, તે બ્રહ્મચર્યના સાધનનું વિધાન જ આજે લુપ્તપ્રાય થઈ ગયું છે. સમાજની અધોગતિ થવામાં મુખ્ય કારણ બ્રહ્મચર્યને નાશ છે. આજે વિષમય વાતાવરણ દિવસે દિવસે બહુ વધતું જાય છે. બાળક અને યુવકનાં ચરિત્રામાં વધારે સડે પેસ જાય છે. તેમને પહેરવેષ, તેમની રહેણી અને તેમની રીતભાત કામવાસનાને પોષણ આપનારાં હોય છે. માબાપને તેમના બાળકના ચારિત્ર માટે ધ્યાન આપવાની ફુરસદ નથી. રસ્કૂલ અને કોલેજોનાં વાતાવરણ પણ કંઈ ઓછાં મેલાં નથી. વૃતો દુનિયાના કિનારે બેઠા છે, જ્યારે યુવકે અધિકાંશ છેલછબીલા બની વિષયવિલાસ શોધતા ફરે છે. નાટક-સીનેમા અને હોટલના શેખ તેમને ખુવાર કરી રહ્યા છે. ગારિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035301
Book TitleVeer Dharmno Punaruddhar
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1931
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy