SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પુનર્લગ્ન. અને ઓરમાન મા–દીકરાના ખેલાતા અધર્મી કિસ્સા બહાર આવ્યા છે. હાય! મેહાન્માદ ! બહારથી દેખાતા આડંબરી સદાચારની પાછળ ગુપ્ત દુરાચારના જીવ-લેણ સડાઓને નભાવી રાખનાર સમાજ પિતાનું અસ્તિત્વ ક્યાં સુધી ટકાવી શકશે? દિવસે દિવસે એવું કાતિલ ઝેર સમાજમાં ઉંડું ઉતરતું જાય છે, કે સમાજના નેતાઓ સવેળા સાવધ નહિ થાય તે સમાજ-આખે હિન્દુ સમાજ ક્યાં જઈ પડતું મૂકશે, એ વિચાર કરતાં પણ હૃદય થરથરી ઉઠે છે. કારણ કે મુસલમાન અને ઈસાઈઓ હિન્દુ કેમને અળી જવા માટે માં ફાલ બેઠા છે. તેઓ હિંદુઓની કુંભકર્ણ નિદ્રાને ખૂબ લાભ લઈ રહ્યા છે. હિન્દુઓની નિદ્રા જેટલી લંબાશે, તેટલું તેમનું કલેવર કપાતું જવાનું, જેમાં જૈન જેવી દુબલી-પતલી કેમનું ભવિષ્ય તે અતિશય ભયાનક છે. જુઓ ! સન ૧૯૨૧ ની મનુષ્ય-ગણનાના રિપોર્ટના ચોથા અધ્યાયમાં કમિશ્નર મહાશયે સ્પષ્ટ જણાવ્યું છે કે – “ The Jains are rigid observers of Customs of early marriage and probibition of widowmarriage and like Hindus their proportion in population is steadily declining.” અર્થાતુ-જૈનો બાળ-વિવાહની રૂઢિના સખ્ત પક્ષપાતી છે, તેમજ વિધવા-વિવાહના સખ્ત નિષેધક છે, અને એથી હિન્દુઓની જેમ તેમની પણ સંખ્યા અટલ રૂપથી બરાબર ઘટતી ચાલી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035301
Book TitleVeer Dharmno Punaruddhar
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1931
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy