SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ વીર–ધર્મને પુનરુદ્ધાર. વેપારી નિયમ છે કે જ્યાં માલ ડે અને ખરીદાર અથવા તેને મેળવવાના ઉમેદવાર વધારે હોય તે તે ચીજને બજારભાવ ( Market-Rate) વધી જવો સ્વાભાવિક છે. આવી દશામાં કન્યાવિક્રયની વિરૂદ્ધમાં ગમે તેટલી બૂમો પાડવામાં આવે પણ તેનું શું પરિણામ આવવાનું? કન્યાવિક્ય તે ત્યારે બંધ થઈ શકે કે જ્યારે તેણીના ખરીદનાર ન હોય, અર્થાત વિધુરેનો વિવાહ કુંવારીઓ સાથે ન થાય; કુંવારીએ સાથે કુંવારાઓનેજ વિવાહ થાય. આ હાલતમાં પ્રાયઃ ન તે કઈ સંસારાભિલાષી ગ્ય વ્યક્તિ વિવાહ કર્યા વગર રહી શકશે, અને ન કેઈને કન્યા મૂલ્ય આપી લેવી પડશે. બાળવિવાહ પણ બંધ થતું નથી, તેનું પણ એક કારણ આ છે. દરેક છોકરાવાળો એ જ ચિન્તામાં રહે છે કે કેઈ રીતે મારા છોકરાને જલદી વિવાહ કરીને આ “ઘાડ–દેડ” માં જીત મેળવું; વિલંબ કરવાથી, ન માલમ, શું પરિણામ આવે, અને રખેને મારા છોકરાને કુંવારા રહી જવાને વખત આવે. વળી આગળ વધી પુનર્જનના પક્ષકારે પિકાર કરે છે કે પુરૂષ મહેાટી ઉમ્મર સુધી, પરિપકવ ઉમ્મર થવા છતાં પણ, એક પછી એક બાલિકાનાં પાણિગ્રહણ કરતેજ જાય અને બાળ ઉમ્મરની બાળાને પતિ મરી જતાં તેણીને વિધવ્યની દારૂણ ભઠ્ઠીમાં પડતું મૂકવાની જબરન ફરજ પાડવામાં આવે એ કે ન્યાય! કેવી દયા ! કેવું હદય ! અનેકવાર વિવાહ કરવા છતાં પણ પુરૂષની કામ–તૃષ્ણા શાન્ત www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035301
Book TitleVeer Dharmno Punaruddhar
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1931
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy