SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ જેનેનું કર્તવ્ય કરાવવાની આટલી બધી લાગણું ઉભરાઈ જતી હોય તે, આપણે કહીશું કે, જેઓ જૈન કુળમાં જન્મ્યા છે, જેન ધર્મ જેઓને કુળધર્મ છે, છતાં મંદિરમાં જેઓ જતા નથી, પોતાના પરમાત્માને હાથ જોડવામાં કે તેની સેવા-પૂજા કરવાને જે લેકેને શ્રદ્ધા, રૂચિ કે ભક્તિ નથી તેઓને પૂજ, દર્શન, કે ભક્તિ આદિ કરાવવા કાયદા દ્વારા પણ ફરજીઆત ફરમાન કાઢો ! આ તે કરવું નથી અને જેઓ શ્રદ્ધાથી પિતાના ધર્મસ્થાનમાં જઈ રહ્યા છે તેઓની પવિત્ર ધાર્મિક લાગણીઓને દુભાવવી છે, આ કઈ રીતે યોગ્ય હોઈ શકે ? - હંમેશાં ન્યાયનિષ્ઠ સરકારે એવો કાયદે કરવો જોઈએ કે, જેથી પૂર્વ પૂણ્યદયે જે સ્વતંત્રતા મળી છે, તે જે રીતે ધર્મના યેગે ટકી રહે, તે મુજબ સહુ પોતાના ધર્માનુષ્ઠાનેમાં રસ લેતા બને. સ્વતંત્રતા ધર્મથી ટકશે. જે તે નહિં હોય તે સત્તા પચશે નહિં. ધર્મને ધક્કો મારવામાં આવશે તે હમજી લેવું કે, સત્તા ધકેલાઇ જશે. માટે સ્વતંત્ર હિંદના સૌ કઈ હિંદીની કે હિંદુની ફરજ એ છે કે અહિંસા આદિ ઉત્તમ ધર્મકરણ અવશ્ય કરવી જોઈએ. આજના આઝાદ હિંદના ઉત્સવોની ઉજવણુમાં, દેશના આગેવાન તરફથી એવો એક પણ કાર્યક્રમ યોજાયો નથી કે “સહુએ આવા દિવસે પિતાના ધર્મસ્થાનમાં પ્રભુ પ્રાર્થના કરવી –આ એક આજની રાજકીય ચળવળની કમનસીબી છે. હિટલરે પણ પિતાના વિજય માટે દેવળોમાં પ્રાર્થના કરવાનું સહુ દેશવાસીઓને ફરમાવ્યું હતું. રશીઆના સ્ટેલીને પણ પિતાના દેશબાંધવોને એ જાતની ભલામણ કરી હતી. ઝીણાએ પણ પાકીસ્તાનની પ્રાપ્તિના ઉત્સવ માટે મજીદમાં બંદગી કરવાનું તેમજ મંદિરમાં પ્રાર્થના કરવાનું જાહેર કર્યું હતું. બાકી એ હતું કે અહિં હિંદમાં કેઈએ પ્રભુપ્રાર્થના માટે જાહેરાત નથી કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ની માટે કે તું નથી કે
SR No.035298
Book TitleVartaman Kale Shraddhalu Jainonu Karttavya
Original Sutra AuthorN/A
AuthorKalyan Prakashan Mandir
PublisherKalyan Prakashan Mandir
Publication Year1947
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy