SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૩ : જેનું કર્તવ્ય પણ આ બીલને આ ઉદ્દેશ નથી. કેવળ હિંદુ કે જેને મંદિરમાં સત્તાધારા પિતાને પગદંડો જમાવવાની આજની કેગ્રસ સરકારની તેમજ જૈન સમાજના સુધારાની આ બહાના હેઠળ છૂપી નેમ છે. સમાનતાની વાતમાં દંભ છે! હરિજન કોમના હિતની કેવળ વાત છે. હરિજન કે જે ઢેઢ, ભંગી અને ચમાર જાતના છે તે લોકોના ધર્મમાં તેઓને જે મકકમ કરવા હોય કે તેઓને જે પરમાત્માનાં દર્શન, પ્રાર્થના કરાવવાની જે કોંગ્રેસ સરકારને લાગણી થતી હોય તે, તેઓને માટે અલગ મંદિર બંધાવી આપવા એ કોંગ્રેસ સરકારને કદાચ ઉચિત છે. પણ આ ન્હાને ઈરાદાપૂર્વક કઈ પણ કેમની લાગણને દુભવવાને પ્રયત્ન કરવો એ સત્તાને આંધળો ઉપયોગ છે. પરમાત્માને બધા સરખા છે.' એવી દલીલ કરનારા કેવળ આ દલીલ પિતાના કદાગ્રહને પોષવાને માટે કરી રહ્યા છે. આત્મવત સર્વભૂતેષુ” એ ઉપદેશ પરમાત્માએ આપે છે. એ આ લેકો પોતાના વ્યવહારમાં કયાં ને કેવી રીતે આચરે છે ? જે આ સૂત્રને માનવામાં આવે તે, વાંદરાં, હરણ, રોઝ, માછલાં, કબુતર, ચકલાં વિગેરેને માવાને હુકમ કેમ નીકળે? એને મારીને માંસાહાર કરનારને તેમ કરવાની ક્ટ કેમ અપાય ? આ સ્થાને તે સમાનતાવાળું સૂત્ર કેમ ઉપયોગમાં લેવાતું નથી ? જો બધા સમાન છે તે આ બધા પ્રાણીઓને નાશ કરવાનો ઉપદેશ કેમ અપાય છે ? આ ઉપદેશ કયા ધર્મશાસ્ત્રમાં દર્શાવ્યો છે ? કોંગ્રેસના સર્વસ્વ ગણાતા ગાંધીજીની વાતોમાં કયાં પ્રાણીમાત્રની સમાનતા જણાય છે ? તેઓ જણાવે છે કે, “ જ્યાં વાંદરાંઓ ઉપદ્રવરૂપ હોય ત્યાં તેમને મારવામાં હિંસા થતી દેખાય તો તે ક્ષમ્ય ગણાય, એટલું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com .
SR No.035298
Book TitleVartaman Kale Shraddhalu Jainonu Karttavya
Original Sutra AuthorN/A
AuthorKalyan Prakashan Mandir
PublisherKalyan Prakashan Mandir
Publication Year1947
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy