SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ જેનેનું કર્તવ્ય : ૨૨ : પડશે. મુસ્લીમકેમ, શીખકેમ, પારસી, ખ્રીસ્તી, હરિજન-આ બધી લઘુમતી કેમેને તેના હક્કો અધિકાર આ બધાનું રક્ષણ મળે, તેના રક્ષણને માટે દર છાશવારે ને છાશવારે પ્રજાકીય સરકાર પિતાના નિવેદને બહાર પાડે ! લેકપ્રતિનિધિ સભામાં મુસ્લીમોના પ્રતિનિધિ છે, શીખના, પારસી તેમજ ખ્રિસ્તીઓના પ્રતિનિધિઓ છે, પ્રધાનમંડળમાં પણ બધી કોમોના પ્રતિનિધિઓ છે, પણ જેન કેમના હકકો-અધિકાર ઈત્યાદિ માટે એને અવાજ રજૂ કરનાર કેણુ છે ? મન, ધન અને તનથી કોંગ્રેસને તેની ચળવળમાં સહાય કરનારા જેને અવાજ આજે કા કઈ સાંભળે છે ? આ વસ્તુ આજે ખાસ યાદ રાખવા જેવી છે. જેનોના મંદિરની વ્યવસ્થા, માલિકી ને રક્ષણને હક્ક જેનેને છે. છતાં હરિજન કામના કહેવાતા લાભની ખાતર જૈન કેમના માલીકી હક્ક પર કોંગ્રેસ સરકાર ત્રાપ મારવા પ્રયત્ન કરે એ ઉચિત નથી. કોંગ્રેસ સરકાર કેવળ હરિજન કેમની નથી, એને મન તે બધી કેમ પિતાની પ્રજા છે, તે એક કોમના કહેવાતા ઉદ્ધારની ખાતર અન્ય કેમના સામાજિક કે ધાર્મિક પરાપૂર્વથી ચાલ્યા આવતા રૂઢ વ્યવહારોની સામે સત્તાધારા અત્યાચાર કરો તે પ્રજાકીય સરકારને શોભે નહિં. કોંગ્રેસ જે કાંઈ કરે કે ગાંધીજી જે કાંઈ કહે તેને વિના વિચારે અંધશ્રદ્ધાથી સ્વીકારી લેનારા આપણું સમાજના સુધારકો આપણને કહે છે કે, “કઈ પણ હરિજન જેનધર્મ પાળે તે શું ખોટું ? જૈન ધર્મ સધળાને છે, માટે હરિજનને મંદિરમાં જવા દેવામાં શું હરકત છે ?' વાત ખરી છે. કોઈ પણ માનવ જૈનધર્મ પાળે–માને તો સહુથી પહેલાં ધર્મગુરુ તરીકે અમને આનંદ થશે. અને એ રીતે જૈનધર્મને પાળનારે દેવગુરુની આજ્ઞા માનનાર હોવો જોઈએ. એને માટે દેવ કે ગુરુ જે આજ્ઞા ફરમાવે તેનું શક્તિ મુજબ પાલન કરવું એ તે જૈન બનેલા હરિજનની ઉચિત ફરજ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035298
Book TitleVartaman Kale Shraddhalu Jainonu Karttavya
Original Sutra AuthorN/A
AuthorKalyan Prakashan Mandir
PublisherKalyan Prakashan Mandir
Publication Year1947
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy