SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ૨૬ મું ચાતુર્માસ મિથિલામાં કર્યું. અને તે જ વખતે મગધ અને વન્યજીએામાં યુદ્ધ શરૂ થયું. ૨૦ મા ચતુર્માસ વખતે ગોશાલાનું મરણ થયું. અને યુદ્ધને અંત વાણિજય ગામમાં થયેલા ૨૮ મા ચોમાસાની વખતે થયે. અહીં ખાસ ધ્યાન દેવા જેવી બાબત એ છે કે યુદ્ધ પૂરું થયા પછી પણ વાણિજય ગામમાં એક અને વૈશાલીમાં ત્રણ ચાતુર્માસ ભગવાને કર્યા. જેમ કહેવામાં આવે છે તેમ જે વૈશાલી યુદ્ધના વખતે જ સર્વથા નષ્ટ થઈ ગઈ હોત તો ભગવાને જે પછીને ત્રણ માસા કર્યા તે કેવી રીતે કર્યા ? શું તે ચાતુર્માસ ખેતર અને ખંડેરે ઉપર કર્યા કે શહેરની સમીપમાં જે શહેરની સમીપમાં કર્યાં હતાં, તો એનો અર્થ એ જ છે કે વૈશાલી પૂર્ણ રૂપથી નાશ છેતી પામી. અને કદાચ નાશ પામી હતી તે તેને પાછી વસાવવામાં આવી હતી. બીજું ભગવતી સત્રમાં મગધ અને વજજીઓ વચ્ચે બે વખત લડાઈ થવાનું વર્ણન આવે છે. એથી જણાઈ આવે છે કે જે મગધ અને વજજીએની લડાઈ બાર વર્ષ સુધી ચાલી. તે બરાબર બાર વર્ષ સુધી નિરંતર નથી ચાલી પરંતુ વચ–વચમાં બંધ પડી ગઈ અને પાછી ચાલતી રહી. અને એ કહેવતના રૂપમાં એવું પ્રચલિત થઈ ગયું કે- “લડાઈકેટલા વર્ષ ચાલી? તો કે બાર વર્ષ.” લડાઈઓમાં વિધ્વંસ અને પુનરચનાનું કાર્ય કેવી રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035295
Book TitleVaishali
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherKashinath Sarak
Publication Year1958
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy