SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ફાહિયાને લખ્યું છે કે- વૈશાલી નગરના ઉત્તરમાં રહેલા “મહાવનમાં કૂટાગારવિહાર છે કે જે બુદ્ધદેવનું નિવાસસ્થાન છે. આનંદનો અર્ધાંગ સ્વપ છે. શહેરમાં અંબપાલી નામની વેશ્યા રહેતી હતી. તેણે બુદ્ધદેવને સ્તૂપ બનાવરાવ્યું, તે હજુ સુધી તે જ છે. શહેરના દક્ષિણમાં ત્રણ લી ઉપર અંબપાલી વેશ્યાનો બગીચો છે, જે તેણે બુદ્ધદેવને દાનમાં આવ્યો કે તેઓ આમાં રહે. બુદ્ધદેવ પરિનિવણને માટે જયારે શિખ્યો સાથે વૈશાલીના પશ્ચિમ દરવાજે થઈને નિકળ્યા તો જમણી તરફ વૈશાલી નગરને જોઈને શિષ્યને કહ્યું કે આ મારી છેલ્લી વિદાય છે, પછી લેકે એ ત્યાં સ્તૂપ બનાવરાવ્યું. અહીંથી પશ્ચિમ તરફ ત્રણ ચાર “લી” ઉપર એક સ્તૂપ છે. બુદ્ધદેવના પરિનિર્વાણ પછી સે વર્ષ બાદ વૈશાલીના ભિક્ષકોએ વિનય દશ-શીલની વિરુદ્ધ આચરણ કર્યું હતું. આ સ્થળેથી ચાર યોજન આગળ ચાલીને પાંચ નદીએના સંગમ ઉપર પહોંચ્યા. આનન્દ પરિનિર્વાણ માટે મગધથી વૈશાલી ગયે. દેવતાઓએ અજાતશત્રુને ખબર આપી. અજાતશત્રુ તરત જ સેના સાથે રથ ઉપર ચડીને નદી ઉપર પહોંચ્યો. વશાલીના લિછવિઓએ પણ આનંદનું આગમન સાંભળ્યું અને સત્કાર કરવા નદી ઉપર જઈ પહોંચયા. આનન્દ વિચાર્યું કે, આગળ જઈશ તે અજાતશત્રુને ખોટું લાગશે અને પાછા વળીશ તો લિચ્છવિઓ રાકશે. પરિણામે તેઓએ નદીની વચમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035295
Book TitleVaishali
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherKashinath Sarak
Publication Year1958
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy