SearchBrowseAboutContactDonate
Page Preview
Page 839
Loading...
Download File
Download File
Page Text
________________ ७४४ ટૅડ રાજસ્થાન. સંકટમાં પડી શા ઉપાયે બન્નેના માનની રક્ષા થાય, તે બાબતમાં તે નિર્ચ કરી શકી નહિ. છેવટે અધર્મની પ્રરચનામાં તે પ્રવ્રુત્ત થઈ. જાલિમસિંહના સ્વાર્થની રક્ષા કરી વિદ્રોહનું દમન થાય, તે દેશમાં શાંતિ થાય. વળી અને જના સંધિપત્રના સૂત્રની પણ રક્ષા થાય. એવી રીતને નિશ્ચય કરી બ્રીટીશ એજટે બુંદી રાજા પાસે સમાચાર મોકલાવ્યા જે, “ સગોવિય પલાયિત રાજાને આશ્રય આપી આપે આપની આતિથેયતાને સારો પરિચય આપ્યો. મહારાજના અતિથી સત્કારમાં અમે બાધા આપી શકીએ તેમ નથી. પણ તેથી રાજ્યમાં શાંતિભંગનું કાંઈ પણ કારણ પિદા થાશે અને રાજ પ્રતિનીધી જાલિમસિંહના વિરૂધે શત્રુતા પ્રકાશ કરવા પલાયિત્ત કટારાજ આપના રાજયમાં લશ્કર એકઠું કરશે તે આપ વિદ્રહિ દળના દાયી થાશે.” નીમચ નગરમાં જે બ્રીટીશ સેના હતી તેના નાયક ઉપર એ હુકમ ગયે જે ગરધનદાસ જે જાયાથી બુંદીમાં આવવાની ચેષ્ટા કરે તે રસ્તામાંથી પકડીને તેને અમારી પાસે લાવે તે ઉદ્યમમાં તેનું મૃત્યુ થાય તેમાં કઈ પણ જાતની ક્ષતિ નથી. તેનો દેહ સજીવ હોય વા મૃત હોય તે પણ તેને બંદીની અવસ્થામાં લાવ. એ હુકમ મેળવતા અંગ્રેજ સેનાપતિ દળ સાથે જાલેયા અને બુંદીના મધ્યમાં છાવણી રાખી સાવધપણાથી ગરધનદાસની પ્રતિક્ષા કરવા લાગ્યા. પણ ચતુર ઝાલા વીરે અંગ્રેજને દુરભિસંધી જા. બુંદી રાજનો તે કામમાં સંશ્રવ છે એમ જાણી ગરધનદાસે મારવાડ તરફ કુચ કરી. દુઃખને વિષય એટલે કે તે ત્યાં પણ આશ્રય પામી શકે નહિ. ત્યારે બનશીબ ગરધનદાસ દીલ્લિ નગરમાં ગયે. તે દીવસથી તેના ઉપર બ્રીટીશ કર્મચારીઓની તીક્ષણ દ્રષ્ટિ પડી. એ ઘટના પછી થોડા જ ઉપર મહારાજ કિશોરસિંહ પુણ્યમય વંદાવનની યાત્રાએ ચાલ્યું. તેના સ્વાભાવિક ધર્માનુરાગની ચિંતા કરી અનેકના મનમાં આવ્યું હતું જે શાંતિમય વ્રજધામમાં વંદારણ્યમાં પિતાના કુળદેવ વ્રજનાથજીના દર્શન કરી મહારાવ કિશેરસિંહ તે સ્થળેજ પિતાના જીવિત સમય કાઢશે. અને સંસાર વ્યાપારમાં હવે નિલિત રહેશે. તે જ સમયે બુંદીમાં હેતે હતા તે સમયે ત્યાંના પુરવાસીઓ તેને ધાર્મિક ગણતા હતા. ચિત્ત વિદન ચંદાવન અને પરમ પવિત્ર વ્રજધામમાં મંદીરે મંદીર ભમી મહારાજ કિશોરસિંહ કમેક્રમે સંસાર સુખમાં વીતરપૃહ થઈ પડશે. તેના હદયમાં પરમાર્થ ચિંતા કમેકને ઉદ્ભિક્ત થવા લાગી. જયદેવની સુલલિત પદાવળીમાં કૃષ્ણ રાધીકાનું સ્વર્ગિય પ્રણય વિવરણ વાંચી તે કવિવર ચાંદભાટની રચેલી ચેહાણ વિરત્વગાથા ઉપર કેવળ અનાદરવાળે થયે. એ રીતની હાલતમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy