SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ટૌડ રાજસ્થાન, | કુરુક્ષેત્રના મહાયુદ્ધની ઘટનાની પૂર્વે એ હસ્તિનાપુર સ્થપાયેલ છે એમ સઘળા હીંદુના જાણવામાં હશેજ. એ ભીષણ અને સર્વ નાશકર મહાસંગ્રામ પછી કેટલાક સેંકડો વર્ષ ઉપર એટલે ઘણુંકરી આઠસો વર્ષ ઉપર સુપ્રસિદ્ધ માસીડેનયન મહાવીર અલેકઝાંડર ભારતવર્ષમાં આવ્યું હતું. તેની સાથે કેટલાક ગ્રીક પંડિત હતા. તેઓએ ભારતવર્ષનાં ઘણું કરી અનેક નગરને વૃત્તાંત, પિત પિતાના ગ્રંથમાં લિપિબદ્ધ કરી રાખેલ છે. પણ આશ્ચર્યને વિષય છે કે હસ્તિનાપુર સંબંધે કઈ રીતનું વર્ણન તેઓના ગ્રંથમાંથી નીકળતું નથી. મહારાજ હસ્તીના પછી ચંદ્રવંશ વૃક્ષના અજમઢ, દ્વિમીઢ અને પુરૂમીઠની ત્રણ વિસ્તીર્ણ શાખા બહાર પડી. તે ત્રણ શાખા બહુ વિસ્તારવાળી થઈ. પણ તેમાં અજમઢની શાખા વિશેષ પ્રતિષ્ઠા પામી, બીજી બે શાખાનું વિવરણ પુરમાં માલુમ પડતું નથી. અજમીઢના વંશમાં ચેાથો પુરૂષ બાહ્યાવ નામે એક રાજા થયે. તેણે સીધુ નદીની પાસેના કે પ્રદેશમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. બાહ્યાવના મુદગળ, યવીનર વૃહદીષ સંજય અને કપિલય નામના ધુરંધર પાંચ પુત્રો પેદા થવા. કાંપિલયે કપિલય નગરને ઉથાપ્યું. - ચંદ્રવંશમાં કુશ નામને એક રાજા પેદા થયે. તેના દેવતુલ્ય તેજસ્વી ચાર પુત્ર પેદા થયા. જેનાં નામ કુશિક, કુશનાભ, કુશાંબ અને મૂર્તિમાન હતાં. તે ચાર ભાઈઓમાં કુશના અને કુશાંબ વધારે પ્રતિષ્ઠાવાળા થયા. જાણવામાં આવેલ છે જે સરિદ્વરા સુરધુનીના તીરે, કુશનાભે, મહદય નામની નગરી સ્થાપી. કેટલેક કાળ ગયા પછી તે મહદયના બદલે તેનું નામ કાન્યકુબજ કહેવાનું. તે કાન્યકુબ્સ અનેક સમય મોટા ગૌરવ અને સમૃદ્ધિથી વિરાજીત હતું. છેવટે ભારતવિજેતા શાહબુદ્દીનના શાસન કાળમાં તેના અગ્ય અધિપતિ કુપુરૂષ જયચાંદ ( જયચંદ્ર) ના પ્રાયશ્ચિત્ત સાથે તેના પ્રાચીન ગૈરવનું પથ્યવસાન થયું. કાન્યકુજનું એક બીજું પિરાણિક નામ ગાધિપુર છે. ( પુરાણુદિ ગ્રંથમાં જે કૈલાંબી નામના એક પુરાતન નગરને ઉલ્લેખ છે. તે કેશાબનગરી, ઉપર કહેલા કુશળ રાજાએ સ્થાપેલી છે. એકવાર તે કૌશાંબીનગર ભારતવર્ષમાં અધિક પ્રતિષ્ઠાવાળું અને વિશેષ ગૌરવવાળું થયું હતું. પણ આજ તે પ્રતિષ્ઠા અને ગૌરવનું સ્મૃત્તિ ચિન્હ જોવામાં આવતું નથી. તે નગર હાલ દસ્તાવસ્થામાં છે. કેટલાક પુરાતત્વવિદ્ અનુમાન ઉપર આધાર રાખી કહે છે જે કને જથી કેટલેક દરે દક્ષિણે ગંગાતીરે શોધ કરવાથી વૈશબીનાં વસાવસિષ્ઠ ચિહુ માલુમ પડે તેમ છે. ૧ મહાન ૨ ન્યુનત્ય ૩ યાદગાર ૪ નાશ પામેલી સ્થિતિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy