SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ - માસ્વર: ૬૦૭ જતાં જે સ્થળે તેણે છાવણી કરી તે સ્થળે શત્રુઓ તેના ઊપર પડ્યા અને તેને શામાન તેઓએ લુંટ તેના તંબુઓને બાળી નાંખ્યા, કમે તેનું જીવન પણ વિપન્ન દશામાં આવી પડ્યું. પણ જે હાથી ઉપર તે હતો તે હાથીની મંદગતિ જોઈ તે બીલકુલ ગભરાઈગયે. તેને જલદીથી ચલાવાતેણે ઘણા અંકુશ પ્રહાર કરાવ્યા. વિષમ પ્રહારે આર્તનાદ કરી, તે પ્રચંડ રણમાતંગ મતગતિથી દો. પણ તેથી કરીને પણ જગતસિંહની તૃપ્તિ થઈ નહિ. છેવટે કઈ ઉપાય ન દેખતાં તેણે તે જના વરને સંહાર કર્યો. . પણ તેથી તેની ચનીય દશાને પાર આવ્યું નહિ. તેના શત્રુઓનો રેષાગ્નિ શાંત પામે નહિ. જે ચાર રાઠોડ સરદારેએ માનસિંહને અદ્રષોત પિતાના હાથે ફેરવી દીધું હતું તેઓએ જોયું જે જગતસિંહ ચોધપુરને લુટેલે શામાન, જે પિતાના રાજ્યમાં પહોંચાડી દેશે તે રાઠોડ કુળના કલકને પાર રહેશે નહિ. જે કુશાવહ રજપુતેને રાઠોડે ઘણાની નજરે જોતા હતા, તે કુશાવહ રજપુતે જોધપુરને લુંટેલે શામાન લઈ જય પુરમાં જાય તેથી લાંછન ઓછું થાય નહિ. હવે તે લુટેલો સામાન લઈ તેઓ પોતાની રાજધાનીમાં જાય તેના માટે રાઠોડ સરદારે ન કરવા લાગ્યા તેના માટે તે ચાર સરદારે પોતાના દળબળને એકઠું કરી મેરતા ક્ષેત્ર પાસે જઈ ઉભા રહયાં. રાઠોડ કુળને પૂર્વ મંત્રી ઇંદુરાજશંઘવી રાઠોડ સેનાને અધિ નાયક છે. તેણે તે સેના સાથે લઈ કુશાવહ રજપુત ઉપર હુમલો કર્યો. બન્ને દળ વચ્ચે થડે સમય યુદ્ધ ચાલ્યું, કચ્છવહરજપૂતો રાઠોડના બળને પ્રતિરોધ કરી શક્યા નહિ. તેઓ પલાયન કરી ગયા અપહારકની ચાલીશ તે પે અને બીજો શામાન વિજયી રાઠોડના હાથમાં આવ્યું તેણે તે સઘળી વસ્તુઓ ક્યામત્ત કીલ્લામાં રાખી. ઉલ્લાસે ઉકુલ્લ થઈ રાઠોડ રજપુએ, મીરખાંની ઉદર પૂત્તિ માટે કિશનગઢના રાજા પાસે નાણું માગ્યું. કિશનગઢને અધિપતિ અગર જોકે રાઠોડ હતું. પણ તે ગયા યુદ્ધમાં તટસ્થ અને નિ:સંશ્રવ ભાવસ્થ રહેલ હતે તે આ ક્ષણે રાઠોડે સરદારની પ્રાર્થના અગ્રાહ્ય કરી શકે નહિં. ' ' ” બે લાખ રૂપિયા કીસનગઢના અધિપતિએ રડેડ સરદારને આપ્યા. કિશનગઢના અધિપતિએ આપેલા રૂપિઆથી અર્થવૃધુ આમીરખાં સંતુષ્ટ થયે, અને રાજા માનસિંહના સ્વાર્થ સંરક્ષણ માટે પ્રતિજ્ઞા કરી તે ચોધપુરમાં આવ્યું. તે ચાર સરદારે તેની અગાઉ ોધપુરમાં આવી પહોંચ્યા. રાજા માનસિંહે તેઓની દઢ રાજ ભક્તિ જોઈ તેઓને હદય પૂર્વક આલિંગન કર્યું તેઓના સઘળા દોષ માફ કરી તેણે તેઓને ભૂમિસંપતિ આપી. સંઘવી ઇંદુરાજ પણ રાજા પાસેથી ક્ષમા માગી રહેડ સેનાનું અધિનાયકવ પામ્ય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy