SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ મારવાડ ૫૪૫ થેાડા સમયમાં યુદ્ધનું સઘળું આયેાજન પુરૂ થયું. ત્યારપછી સંવત્ ૧૭૮૬ના ચૈત્ર માસની દશમે વિરાટ રાઠોડ સેના લઈ અભયસિંહ નગરની બહાર નીસયે. જુદાજુદા ૫ રજપુત સરદારોએ પોતાની સેનાથી રાઠોડ સેનાની અંગ પુષ્ટિ કરી. રાજકુમાર ભકતસિંહ રાઠોડ સેનાના જમણા ભાગ રક્ષતા અગ્રસર થયા ને સેના સાથે શીરોહી તરફ ચાલ્યા. શીરાહીના દેવરાજ પોતાના સેનાદળના ગથી કાઈને ગણકારતા નહોતા. આજ રાઠોડ રાજ તેના ગર્વને નિગ્રહ કરવા માટે તેના પ્રદેશ ઉપર આવી પડયા. અભયસિંહ પણ કેટલાક પ્રદેશમાં થઇ દેવર રાજ્ય તરફ ચાલ્યા. તેણે હીવારે કીલ્લાને ઘેર્યાં. શત્રુઓની તલવારેએ પુષ્કળ રાઠોડાના શોણિતપાત કર્યા ક્રમે યુદ્ધ ઘાર થઇ પડયુ. રાઠોડેાના પ્રચંડ પરાક્રમે પરાજ્ય પામી દેવર રજપુત્તા પલાયન કરી ગયા. તે પર્વત પ્રદેશમાં પોતાનુ થોડુક સેનાદળ રાખી અભયસિંહ, પલાશીયા તરફ ચાલ્યે, વિરાટ અને વિશાળ અબુઇરાત્ર આજ કપવા લાગ્યા. શીરાઈ વિષમ યંત્રણાથી પીડીત થયું. તેના અધિપતિએ જ્યારે સાંભળ્યુ જે રીવારા અને યશાલીયા ધ્વસ્ત થયા ત્યારે નિરાશાથી તેના પગ ભાંગી ગયા, તે પેાતાના રક્ષણ માટે વિચારવા લાગ્યા, તેણે અભયસિંહને પોતાની દીકરી આપી તેના ક્રેાધની શાંતિ કરવાના વિચાર ક '' રાવનારાયણદાસ સંધિ સ્થાપવાને કૃત સ’કલ્પ થયા. તેણે સારવંશીય એક રજપુત માયારામને મધ્યસ્થ નીમ્યા, માયારામ અભયસિંહ પાસે આભ્યા, તેણે શીરાહીરાજને અભિપ્રાય વ્યક્ત કર્યા . અને કહ્યું મહારાજ ! દેવરરાજ માનસિંહને નાનેા ભાઇ રાવનારાયણદાસ પેાતાની ભત્રીજીને આપને વિવાહમાં આપવા ઇચ્છે છે. આ ક્ષણે અનુગ્રહ કરી તેની ઇચ્છા પૂર્ણ કરી ! અભયસિંહ સમત થયા, તે ઘાર સંગ્રામના સમયે શીરાહીથી વિવાહનું નાળીએર આવ્યું. રાઠોડરાજે તે આદરથી ગ્રહણ કર્યું. સૈન્ય સામાએ યુદ્ધ સજજા છોડી દીધી. તેઓએ વિવાહની સજ્જા કરવાનું શરૂ કર્યું. રાણા અભયસિંહ, શીરાહી રાજ સાથે મૈત્રી અને કુટુંબ સંબંધ બાંધી થોડો સમય શીરોઈમાં રહયા. યુદ્ધયાત્રાની ફરી શરૂઆત થઇ, વિશાળ રાઠોડ સેના શીરબુલંદના અહંકાર તાડી નાંખવા સરસ્વતી તટે આવેલા પાલણપુર અને સિદ્ધપુરમાં થઇ ગુજરાત તરફ ચાલી, દેવર સરદારે પણ પેાતાના સૈન્યથી રાડેડવાહિનીને અંગપુષ્ટિ કરી. અભયસિંહે સિદ્ધપુરની પાસે છાવણી રાખી શીરબુલંદ તરફ્ દ્રુત મોકલ્યો. તે આવી શીરબુલંદને નિવેદન કર્યું જે “ સમ્રાટના આદેશ ક્રમે રાઠોડરાજ અભયસિહુ આપને વિજ્ઞાપન કરે છે જે આપ, રાજકીય તાપ બંધુક અસશસ્ત્ર યાનવાહન અને બીજી સામગ્રી તેના હાથમાં સોંપી àા. અને અમદાવાદમાંથી અને બીજા ૬૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy