SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧) એટલું જ નહીં પણ મન કલ્પિત-કપોલકલ્પિત ગ્રન્થ ભરી આડી અવળી સત્યાસાય વાર્તાઓને પટાં મોટાં પુસ્તકોને જાહેરમાં મુકી તેવી પ્રવૃત્તિથી સંતોષ મનાય છે કિંતુ મહાત્માઓનું અનુકરણિય જીવન કાળમાં તેઓએ કેવા પ્રકારની પ્રવૃત્તિ સેવી છે. કેવા પ્રકારના જનસમાજને પોતાના આ ક્ષણભંગુર શરીરથી લાભ આપેલા છે કેવા પ્રકા- : સાહિત્યમાં પોતાના જીવનથી અધિક વધારાઓ કરી દીધું છે. તથા તેવા દરેક જાતનાં મનનિય-દર્શનિય–અને વર્તનમાં મૂકવા પેચ કામ બજા વેલાં છે તેની સંકલન કરી તેનું જ્ઞાન જન સમાજને આપવા કોઈ તરફથી અથાત્ પૂર્વથીજ કાંઈ શ્રમ ઉઠાવેલ નથી, તેથી આવા કદાચ કે સ્વલ્પ વૃત્તાંતનું દર્શન થાય તો સહજ આશ્ચર્યચકિત થવાથ છે. ભાઈ પુરૂષોત્તમના સમગ્ર જીવનવૃત્તનું અવલોકન આપણને જ્ઞાન અને ગમ્મત સાથે શિક્ષણ આપે છે કે મનુષ્ય માત્રમાં સંકટ સમયે કેવા પ્રકારના પૈયની અગત્ય છે દુઃખ દાવાનળમાં કેવા પ્રકારની શાંતિની જરૂર છે અને આ પત્તિ-વિપત્તિકાળે મનને કેટલી દઢતાની અપેક્ષા છે, તે ભાઈ પુરૂષોત્તમનું જીવન વૃત્ત આપણને બરાબર અનુકરણ કરવા પ્રબોધે છે. લૂંટારાઓના પ્રસંગ–અગ્નિ પ્રલયને સમય-મરકીની સ્થિતિ આદિ તેમજ તેવા પ્રકારના અનેક દુઃખદ પ્રસંગને નિવિને પાર ઉતર્યા છતાં તેજ કાર્યમાં સતત્ મંડયા રહેવાનું તેઓનું અસાધારણ ધર્યબળ મિત્રો તરફના નેહભાવનું સ્મરણ અને ભિન્ન ભિન્ન પ્રકારનાં પુતક બનાવી જનસમાજની સેવામાં ભેટ કરવાની તેઓની પ્રવૃત્તિ અલબત, સંપૂર્ણ સ્તુતિપાત્ર જોવામાં આવે છે. ઈત્યાદિ ઇત્યાદિ પ્રસંગે, નિઃસંશય અનુસરણિય ભાસે છે પછી તો પ્રેક્ષક જેવા પ્રકારની દષ્ટિથી જુવે તેવા પ્રકારને ભાવદ્યોતન કરી શકે છે. એટલે આ સ્થાને હવે વધારે વિવેચન કરવાનું અનુચીત લાગતું નથી. ભાઈ પુરૂષોત્તમ સાથેના હારા સ્નેહ સંબંધનું સ્મરણિય બન્ધન કેવા પ્રકારનું છે. અને જેના વડે મને આટલી સેવા અર્થાત આ જીવનવૃત્ત લખવાની ઈચ્છા ઉદ્દભવી શકી છે. તેનું દિગ્દર્શન મારા વાચક બધુઓને હવે પછી કરાવીશ કારણ કે, મારા અને તેઓ મિત્ર વચ્ચેના સ્નેહને ચિતાર આપવાને આ રથાને અવકાશ નથી કારણ કે એ સંબંધી મારે ડું કે ઘણું જે કંઈ કહેવાનું છે તે માટે હું જુદોજ પ્રસંગ લઈશ, પરંતુ સમાપ્ત કરતાં એટલી વિનંતી કરવા રજા લઉં છું કે આ પ્રવૃત્તિ કરવામાં હું કેટલે દરજે ફળીભૂત થયે છું. તેની પરિક્ષા કરવાનું હું મારા આ ગ્રન્થના અવલોકન કરનારા પુરૂષોને સોંપુ છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy