SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ટડ રાજસ્થાન તેઓની વિશ્વાસઘાતકતાથી તેજસ્વી યશયવસિંત નિરૂત્સાહ થયે નહિ. પણ તેને ઉત્સાહ અગાઉના કરતાં બમણે વધે. મેગલોએ તેને પરિત્યાગ કરે. સમ્રાટ તરફથી લડનારી બત્રીસ હજાર રજપુતની સેના તેના વાવટા નીચે ... રહી. રજપુત સેના ભયંકર નાદે ઉપડી, શત્રુ સેનાના અગ્ર ભાગ ઉપર જઈ પડી. રાજા યશવંતસિંહ, પિતાના ઘડા ઉપર ચઢી સમ્રાટના બે પુત્ર ઉપર હમલે કર્યો. તે ભયંકર યુદ્ધમાં દશ હજાર મુસલમાને પડ્યા. તેઓને સંહાર કરતાં સતર રાઠેડ વીગેરે યુદ્ધસ્થળે મરણ પામ્યા. ઔરંગઝેબ અને મુરાદ અતિકષ્ટ પ્રાણ લઈ પલાયન કરી ગયા. એ ભયંકર યુદ્ધ ઘટના ભટ્ટ લોકેના વર્ણન સાથે સુસલમાન ઐતિહાસિક વિવરણ અને બેરનીયરનું કરેલું વર્ણન મળતું આવે છે. બોરનીયર ખુદ યુદ્ધ સ્થળે હાજર હતા, બેરનીયરે કહેલ છે જે, બન્ને રાજકુમાર બહબળસંપન્ન હતા. વળી તેઓની સેનામાં ફરાસી ગાલંદાજ હતા. ફતેહાબાદ ક્ષેત્ર, રજપુતના વીરત્વનું એક પ્રધાન વિસ્કુરણ થળ–એ થળે તેઓને વીર્યવાહિ પ્રચંડવેગે સળગી ઉઠયે, તેથી વિદ્રોહી ઔરંગઝેબ ત્રસ્ત થયે. તે યુદ્ધમાં રાજસ્થાનના સઘળા રજપુત સમ્રાટની મદદે ઉતર્યા હતા. મેગલ ઇતિહાસક લખે છે જે તે યુદ્ધમાં જ પંદર હજાર રજપુતેએ પ્રાણ આપ્યા. રજપુતે વિશ્વાસઘાતક નહિ. જે તેઓના વિશ્વાસ ઉપર રહે. તેને તેઓ પ્રાણુતે પણ વિપદમાં પડવા દે નહિ ભગ્નહદય શાહજહાંને, આફતમાં પડી તેઓના ઉપર વિશ્વાસ રાખે. તેની આપત્તિમાં તેણે એક માત્ર રજપુતોના ઉપર નઝર રાખી. વીર હૃદય રજપુતોએ સમ્રાટના સરલ વિશ્વાસને ગેરપિગ કર્યો નહિ. દુરાકાંક્ષી ઔરંગઝેબે તેઓને હસ્તગત કરવાની આશાએ ઘણાં પ્રલેભન બતાવ્યાં. પણ રજપુતે તેથી મોહિત થયા નહિ. રજપુતેએ તેથી કરી તેની મંગળવાસના કરી નહિ. તેઓએ પોતપોતાની પ્રતિજ્ઞા પ્રાણ આપી પાળી. વિશ્વાસઘાતક મોગલેના ચરિત જોઈ તેઓ તે જાતિને ઘણાની દષ્ટિએ જેવા લાગ્યા. તેઓ સમ્રાટને આદેશ પાળી આગ્રાની બહાર નીસર્યા. પણ તે મે પલે ઓરગઝેબને મળી ગયા. એ શું રાજભક્તિ ! એ શું પવિત્ર સ્વામી ધર્મ ! એ ભયંકર યુદ્ધ ક્ષેત્રમાં જે જે રજપુતેએ ઉત્તમબળ અને વીરત્વ બતાવ્યું તેતે રજપૂતેમાં રતલામને રત્નસિંહ પ્રધાન અને શ્રેષ્ઠ હતું, તેના અપ્રમેય વીરત્વ ઉપર મોહિત થઈ તે સઘળાને પ્રશંસાપાત્ર થયે. ભટ્ટ કવિઓએ વિરરસવાળી કલમે તે વીરનું વીરત્વ વર્ણવેલ છે. તેઓએ રાસારાવરત્નમાં તેનું સારું વર્ણન આપ્યું છે. એ યુદ્ધ ઈ. સ. ૧૮૫૮ના માર્ચ માસના શેષભાગમાં થયું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy