SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ ટેડ રાજસ્થાન * = * , * -- - * રાજસિંહાસને બેસવાને હક તેને હતે. પણ ગજસિંહે તેને પડતા મુકી, પિતાના બીજા પુત્ર યશવંતસિંહના લલાટમાં રાજતિલક કર્યું. મોટોભાઈ વિદ્યમાન છતાં નાનભાઈ શામાટે ઉત્તરાધિકારીત્વના હક માટે પસંદ થયે. તેનું વિશેષ કારણ હતું અમરસિંહ પ્રચંડ ઉદ્ધત અને ઉત્કૃષ્ટ પ્રકૃતિવાળો હતે, તે માટે ગજસિંહ તથા તેની પ્રજા તેના ઉપર પ્રીતિ રાખતી નહિ. વળી તેનામાં રાજ એગ્ય એકે ગુણ નહોતે. અમરસિંહ નિસ્તેજ અને નિર્વીર્ય નહોતું. તેની તેજસ્વીતા અને વીર્યવતા પ્રસિદ્ધ હતી, દક્ષિણાવર્ત પ્રદેશમાં ગજસિંહ જે સઘળા યુદ્ધ કાર્યમાં વ્યાપ્ત હતું. તે સઘળા કાર્યમાં અમરસિંહે વિશેષ દક્ષતા બતાવી હતી. અમરસિંહ વિવાદમાં અગ્રગામી, યુદ્ધમાં નિર્ભીક અને ઔધત્યમાં અગ્રગણ્ય હતું, તેના ગુણ સાથે જેના ગુણને મેળ હોય તેને બનાવ અમરસિંહ સાથે હતે. અમરસિંહની એવી ઉદ્ધત પ્રકૃતિથી દેશ પીડિત થવા લાગ્યો. પ્રજા હિતેષી ગજસિંહે રાજ્યના મંગળ માટે અને પ્રજાના હિત સારૂ ઉદ્ધત અમરસિંહને સિંહાસને બેસવાને નાલાયક ઠરાવ્યું. સંવત્ ૧૬૯૦ ( ઈ.સ. ૧૬૩૪) માં વૈશાખ માસમાં એકવાર મારવાડના સામતે સાથે ગજસિંહ સભા સ્થળે બેઠે હતા, તે સમયે તેણે જેણે પુત્ર અમરસિંહને રાજસિંહાસને બેસવાને હક ભાષણ કરી રદબાતલ કર્યો, તે સમયે અમરસિંહના માટે વિવાસન વિધિ અને તદાનુષંગિક ક્રિયા પદ્ધતિ તૈયાર થઈ ગઈ, એવી રીતને શોચનીય વ્યાપાર રજપુતેથી કઈ દિવસ આચરિત થયે નહિ. તે દિવસે ગજસિંહ ઉંચા સિંહાસને બેઠે, તેના બને પડખે રાજ્યના સામંત, સંમુખે થોડી જમણી આજુએ બનશીબ અમરસિંહ, સભામાં સઘળા નીરવ નિસ્તબ્ધ, સઘળાઓ વિસ્મય વિસ્ફારિત નેત્રે ગજસિંહના મુખ તરફ જતા હતા, આ ક્ષણે સઘળાઓ તેને આદેશ જાણવા ઉત્કંઠિત. એટલામાં તે ગંભીરતા ભાંગી ગંભીર સ્વરે ગજસિંહે કહ્યું, “ અમરસિંહ અગ્રજસ્વત્વથકી વિશ્રુત થયે, હવેથી તે રાજા થવા પામશે નહિ, મારવાડને ભાવિ ઉતરાધિકારિત્વને હક્ક તેના નાનાભાઈને સેંપા, અમરસિંહ નિવસિત આ ક્ષણે તે દેશ છોડી ચાલ્યો જાય, એ કઠેર આજ્ઞાનો પ્રચાર થયે કે તેનાં નિવાસિનનાં વસનભૂષણ તૈયાર થયા. અમરસિંહે તે વસનભૂષણ પહેરી લીધા, સઘળું કાળાવણુંનું હતું, કાળે પાયજામો, કાળું અંગરખું, માથાની કાળી ટોપી, કાળી ઢાલ તલવાર, અમરસિંહે તે સઘળું પહેરી લીધું, તલવાર ઢાલ લઈ તે સજીત થયે, એક કાળો ઘેડે તેની સ્વારી માટે હાજર રાખે, તે તેના ઉપર બેસી તક્ષણ ત્યાંથી રવાના થયે, તેણે કેળના તરફ જોયું નહિ, કેઈને પણ અનુગામી થવા કહ્યું નહિ. તેજસ્વી અમરસિહે કોઈની મદદ ચાહી નહિ, ખરી પણ તે એકલે દેશમાંથી નીકળે નહિ, ઘણા સામતે તેની સાથે થયા, અમરસિંહ તે વિવસ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy