________________
મારવાડ
૪૮૫ તે રાડ રાજ તરફ એટલે બધે સંતુષ્ટ થશે જે તેણે તેનું હસ્તમદન કર્યું. તેણે તેના હાથનું ચુંબન કર્યું. વિક્રેડી પુત્રનું દમન કરવા માટે સમ્રાટે તે સઘળા રજપુત રાજાઓને સારે ઉત્સાહ આવે, ત્યાર પછી સઘળા પિતપિતના સેના દળના અગ્ર ભાગે રહી વિહદમ ને અગ્રેસર થયા. વારાણસીની પાસે આવતાં તેઓએ સુરમની સેનાને જોઈ ત્યારે સત્રાટે સારી રીતે પિતાની સેનાને ગોઠવી દેવા આજ્ઞા આપી, અંબાધિપતિ મીરજાના હાથમાં સઘળો સેનાભાર સેં. તેજસ્વી ગજસિંહને તે ભાર હૈયે નહિ, ગજસિંહ એવા આચરણથી અત્યંત અપમાનિત થયે. તે પિતાને વાવટો નીચે નમાવી રાજકીય સેનાદળને ત્યાગ કરી દૂર ચાલ્યા ગયે, પણ મનમાં વિચાર્યું જે નિસંશવ હેઈ છાના રહી દૂર રહી યુદ્ધનું ફળાફળ જેવું છે, પણ તેને તે વિચાર પાર પડે નહિ. શિશદીય ભીમસેનના તીણ વાકબાણે અત્યંત મહત હોઈ તેણે છેવટે સમ્રાટને પક્ષ પકડયે, જે ભીમસિંહ એ પ્રમાણે રાઠોડને ઉતેજીત ન કરત તે અને ગાજસિંહ જે નિલિસભાવે દર્શકની જેમ તટસ્થ રહત તે સુરમ તેજ દિવસે ભારતવષને સમ્રાટ મુકુટ પિતાના માથા ઉપર પહેરત, પણ વિધાતાએ વૃદ્ધ સમ્રાટને સહાય આવી ભીમસિંહે એક પત્રથી ગજસિંહને ખબર આપ્યા, તે સુરમને પક્ષ પકડે નહિ તે કુરમના વિરૂદ્ધ યુદ્ધમાં ઉતરે, તે પત્રના સારથી ગજસિંહ ઉત્સાહિત થયે, પિતાને વાવટે ઉંચે કરી તે સમ્રાટના પક્ષમાં પેઠે, સમ્રાટની સેના ભયંકર ઉત્સાહથી વિદ્રોહીન ઉપર પડી, તેજસ્વી ભીમસિંહ મરાણ, ગોવિંદદાસની હત્યાને પ્રતિરોધ થયે, પ્રચંડ વિદ્રોહાનળ પ્રશમિત થયે, બનશીબ ક્યુરમ પરાભવ પામી પલાયન કરી ગયે.
તે વીર કાર્યથી ગજસિંહનું સંમાન અને ગૌરવ અનેક રીતે વધી ગયું. પણ દુઃખ અને શેકને વિષય કે તે તે સંમાન અને ગૌરવભેગવવા લાંબે વખત રહયે નહિ, સંવત ૧૬૪ (ઈ. સ. ૧૬૩૮ ) માં ગુર્જરના એક યુદ્ધમાં તે હણા, ગજસિંહ રાઠોડ કુળને ઉપયુકત રાજા, સ્વદેશના પ્રખ્યાત રાજાઓમાં તેણે પિતાનું નામ અચળ અને અટળ રાખ્યું, તે અમરસિંહ અને યશવતસિંહ નામના બે પુત્ર પાછળ મુકી સ્વર્ગવાસી થયે, તેને અચળ નામને એક ત્રીજો પુત્ર થયા હતા, પણ તે બાલ્યાવસ્થામાં કાળના ગ્રાસમાં પડે.
રજપુત લેકે સ્વભાવથી પ્રાચીન સંસ્કારના વશીભૂત. તે કોઈ દિવસ પણ પૂર્વજના આચાર વ્યવહારથી વિરૂદ્ધ ચાલતા નથી, પણ તેઓના સન્માનમાં કયાંક કયાંક ઉતરાધિકારિત્વની પ્રથાને વ્યભિચાર જોવામાં આવે છે,
ગજસિંહના મોટા પુત્રનું નામ અમરસિંહ. ઉત્તરાધિકારીત્વના હક મુજબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com