SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ મારવાડ ૪૪૩ nimmmmmmmm ઉપર કહેલ બે કુળાખ્યાન ગ્રંથ શિવાય કેટલાક ભટ્ટ ગ્રંથમાં મારવાડનું જે વિશેષ વિવરણ માલુમ પડે છે, તેમાં સૂર્ય પ્રકાશ, રાજરૂપકાખ્યાન અને વિજય વિલાસ નામના ગ્રંથ પ્રધાન છે. આપણે તે ત્રણ ગ્રંથની સમાલોચના કરવા પ્રવૃત થઈએ. મારવાડના એક રાજા અભયસિંહના રાજત્વકાળમાં તેની અનુમતિથી કણિધન નામના ભાટે સૂર્યપ્રકાશ ગ્રંથ રચ્યું. તેમાં ૭૫૦૦ શ્લોક દાખલ કરેલ છે. તે કણિધને તે ગ્રંથ માનવ સૃષ્ટિના વર્ણનથી આરંભ્ય છે અને મહારાજ સુમિત્રના રાજત્વકાળ સુધી તેમાં વર્ણન કરેલ છે. તેમાં નયનપાળ વગેરે કેટલાક રાજાનું વર્ણન નથી, તે ગ્રંથમાં માત્ર વર્ણવેલ છે. મહારાજ નયનપાળે કને જ રાજ્યને છતી તેને કબજામાં લઈ કામદેવજ ઈલ્કાબ ધારણ કર્યો, કવિ કણિધને, રાજકીય વિવરણ વળિમાંથી સ્વચરિત ગ્રંથની સામગ્રી એકઠી કરેલ છે, પણનદાલયના દેવમંદિરમાંથી જે કુળતાલિકા હાથ આવી છે, તેના વિવરણ સાથે સૂર્યપ્રકાશના વિવરણને સારે મેળ છે. સૂર્યપ્રકાશમાં રાઠોડનું કને જનું વિરત્વ શેડું વરણવેલ છે. સૂર્ય પ્રકાશ કરનારાએ કને જાધિપતિ જયચંદ્રના પરાજયની ઘટનાનું અને તેના મરણની ઘટનાનું વર્ણન છેડી દીધું છે. તેણે મહારાજ શિવજીના વંશધરનું સંક્ષિપ્ત વર્ણન આપ્યું છે. રાજરૂપકાખ્યાત ગ્રંથમાં સર્વ પ્રથમે સૂર્યવંશનું કેટલુંક વિવરણ આપ્યું છે. જે સમયે મહારાજ ઈશ્વાકુના વંશધરે, પિતાની પ્રાચીન રાજધાની અયોધ્યા નગરીના સિંહાસને બેઠા હતા, તે સમયનું વિવરણ તે ગ્રંથમાં છે. તે સઘલા વિવરણ પછી ગ્રંથકર્તાએ રાડેડ રજપુત શિવજીના સ્વદેશત્યાગનું વિવરણ કરેલું છે. જે દીવસે રાઠોડવીર શિવજીએ મરૂસ્થળમાં પિતાનું વિશાળ વંશવૃક્ષ રેપ્યું. જે દિવસે તેના અદમ્ય અધ્યવસાયે તે ઉજડ મરૂસ્થળ રાજ પ્રાસાદથી શેજિત થયુ. તે દિવસથી આરંભી મહારાજ યશવંતસીંહના મૃત્યુ સુધીનું વિવરણ તે ગ્રંથમાં દાખલ કરેલું જોવામાં આવે છે. મહારાજ યશવંતસિંહના અન્યાયનિધન પછી તેને પુત્ર અજીતસિંહ કેવા પ્રકારના ઘટનાસ્રોતમાં પ. પોતાના રાજ્ય સિંહાસનને પાસે અને શી રીતે તેણે શાસન ચલાવ્યું તે સઘળું વિવરણ રાજરૂપકાખ્યાત ગ્રંથમાં છે. ગ્રંથકારે એટલા સુધી વર્ણન કરી કલમને ત્યાગ કર્યો નથી. તેણે રાઠોડવીર અજીતસિંહ અને તેના પુત્ર અભયસિંહના રાજત્વથી તે ગુર્જર પ્રદેશના પ્રતિનિધિ શિર બુંદેલખાં સાથેના યુદ્ધના અંત સુધી તે સઘળે વૃત્તાંત તે ગ્રંથમાં સન્નિવેશિત છે. એ શિવાય, વિજ્યવિલાસ અને ખ્યાત નામના બે ગ્રંથ મારવાડને પુરાતન વૃત્તાંત આપણને પાર પાઠ આપે છે. વિવિલાસ, એંકર એકલાખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy