SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ ટાડ રાજસ્થાન પરિચય આપે. જે રાજસિંહાસને બેસી એવા ગુણથી વિભૂષિત થયેલ હોઈ મેગલ સમ્રાટની સાથે યુદ્ધ કરત તો મોગલ ગ્રાસમાંથી સ્વદેશને તે ઉદ્ધાર કરત. પણ તેની સ્ત્રી પરાયણતાએ તેનો સર્વ નાશ કર્યો. તે ઝી પરાયણતાની પાપ પ્રરચનામાં વિમુઢ થઈ તે બિલકુલ આળસુ અને અકર્મણ્ય થઇ પડે, અને બાલ્યકાળમાં મેળવેલા સઘળા ગુણો ખોઈ બેઠો. રાણા જયસિંહના સ્વર્ગવાસ ઉપર તેને મેટો પુત્ર અમરસિંહ [ દ્વિતીય સંવત્ ૧૭પ૬ ( ઇ. સ. ૧૭૦૦ ) માં રાજ સિંહાસને ઠે. અમર એવા નામનું જેમ મહાગ્યે તે તેનામાં સંકામિત હતું. પોતાના પૂર્વ પુરૂષ અમરસિંહના ઘણાખરા ગુણનું તેણે અનુકરણ કર્યું હતું. તેણે ચિંતાની સાથે વિવાદમાં ઉતરી મેવાડને સર્વ નાશ કર્યો. મેવાડના દુરથી રાજસિંહના પરિવારમાં મેટો કલહ થયે. જેથી મોગલ સમ્રાટની સામે થઈ રજપુતો મેવાડનો ઉદ્ધાર કરી શક્યા નહિ. વળી સ્વદેશ પ્રેમિક રાજસિંહના પુત્ર જયસિંહે સ્ત્રીપરાયણ થઈ રાજ્યની કાયા લેચના ન કરી તેથી કરીને પણ મેવાડને અધ:પાત થયે. રાણા રાજસિંહ અને જયસિંહના રાજ્યશાસનના વિવરણનું અનુશીલન કરવાથી પણ પ્રતીતિ થાય છે જે જેવી રાજસિંહના સમયમાં મેવાડની આબાદી હતી. તેવી જયસિંહના સમયમાં નહોતી. રાજ સિંહાસને બેઠા પછી તરત રાણા અમરસિંહે સમ્રાટના ભાવી ઉતરા ધીકારી શાહઆલમની સાથે સંધિ સ્થાપી. એવી રીતની સંધિ સ્થાપનાથી તેની ભાવિદશિતાને વિલક્ષણ પરિચય માલુમ પડે છે. જે સમયે તે પિતૃરાજ્ય અભીપીકત થયે, તે સમયે મેગલ સામ્રાજ્યમાં વિષમ અંતરીપ્લવ સળગી ઉઠયે. ઔરંગજેબના પુત્રે પરસ્પરના હૃદય તેડી ફોડી તે સળગેલા વિવાદાગ્નિમાં તેઓના લેહીનું બળીદાન આપતા હતા. મેગલ સામ્રાજ્યની એવી દુરવસ્થા જે રાણ અમરે ભાવી મેગલ સામ્રાજ્યેતરાધિકારી શાહઆલમ સાથે સંધી રથાપી તે સંધી બહુ છાનાઈથી થયે. જે સમયે શાહઆલમ સિંધુ નદના પર પારે ગયે હતું. તે સમયે શાહઆલમ સાથે અમરસિંહે સંધી કયે. . રાણું અને શાહઆલમ બહાદુર વચ્ચે થયેલ ગુમસ ધી. સંધીપત્ર શાહઆલમનું સ્વાક્ષરીત. પ્રજાના મંગલ વિધાન માટે આ પ્રસ્તાવ આપવાથી ઉથાપીત અને મારાથી સમથત છે તે ઈશ્વરના આદેશથી સંપુર્ણ પાળવામાં આવશે. 1 શાહજહાનના સમયમાં જેવું ચીતડનું ગઠન હતું તેવું તેનું ગઠન કરવું. ૨ ગે વધનું નિવારણ ૩ શાહજહાનના સમયમાં જે પ્રદેશો મેવાડના અંતભુકત હતા તે સઘળાં અમને પાછા આપવા જ જે અકબર હાલ સ્વર્ગ ધામે વાસ કરે છે. તેના શાસન કાળમાં જેમ હીંદુ લોકો દેવની પુજા અને ધર્માચરણ કરતા હતા તે પ્રમાણે હિંદુ લકે હાલ કરી શકે. ૫ આપ જેને પદવુત કરશો તે રાજ પાસેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy