SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ રાણા પ્રતાપસિહનું સિંહાસનારોહણ મેઘજાળે ચિતોડનાં સઘળાં અંગ ઢંકાઈ ગયાં. ચિતોડની અધિષ્ઠાત્રી દેવી ચિતેઓને છોડી ચાલી ગઈ. અંધારૂં વધારે ગાઢ થવા લાગ્યું. કાપુરૂષ ઉદયસિંહ સ્વાધીનતાની આવાસ ભૂમિ ચિતોડને છોડી ચાલ્યો ગયો. એવાં દશ્ય જોઈ પ્રતાપસિંહ દારૂણ મને વેદનાથી પીડિત થયું. તેને તે વિકટ ચિંતા સ્ત્રોત એકદમ બંધ પડી ગયે. સહસા તેને બાહ્ય જ્ઞાનનો ઉદય થયે. વિસ્મયથી વિષાદથી વિચલિત થઈ તેણે બહિર્જગત ઉપર ધ્યાન આપ્યું. તેણે જોયું જે દિવાકર અર્તગત ત્યારપછી આત્મવિશ્વયિણી ચિંતાને પ્રાદુર્ભાવ થયો. તેણે પિતાની વર્તમાન અવસ્થા છે. તે સઘળી ચિંતાએ તેના ઉપર હુમલો કર્યો. યુદ્ધ બંધ પાડી દઈ અકબરે, જે અનુગ્રહ બતાવ્યું હતું તે અનુગ્રહ પ્રતાપસિંહના હૃદયમાં સહ્ય થાય ખરે ! વીર કેસરી પ્રતાપસિંહ શત્રુને અનુગ્રહ સહન કરે તે નહોતો. તે દિવસથી વીરશેખર પ્રતાપસિંહના હૃદયમાં જે આઘાત લાગે તે આઘાતની મેટી વ્યથામાંથી તે આરેગ્યતા મેળવી શક્યો નહિ, તે આઘાતથી પ્રતાપસિંહના હૃદયનાં દરેક સ્તર દબાઈ ગયાં, તેનું હૃદય ભગ્ન થઈ ગયું. તેનું હૃદય શોચનીય અવસ્થાથી ભાંગી ગયું. થોડા દિવસમાં તેણે પિતાના ગરવમય મધ્યાન્હ કાળે અકાળે આલોકમાંથી વિદાયગિરી લીધી તેના અંતિમકાળના વિવરણને પાઠ કરવાથી કોઈ આશામી શકાશ્ર બંધ કરે તેમ નથી. તે જે અલોકિક મહત્વે અને વીરત્વે જીવિત હતો. તે જ અલૈકિક મહત્વે અને વીરત્વે મૃત હતે. તે ક્ષત્રિય ગૌરવ અને માહાસ્યને આદર્શ સ્વરૂપ હતા. રાજગૃહમાં પેદા થઈ કઈ પણ આશામી પ્રતાપસિંહ જે દુર્દશાગ્રસ્ત થયો નથી. કેઈ પણ આશામીએ ભયંકર વિને અને આપતિની સામે પ્રતાપસિંહની માફક યુદ્ધ કર્યું નથી, સ્વદેશાનુરાગ અને સ્વજાતિ પ્રેમના પવિત્ર મંત્રે પ્રણાદિત થઇ કે આસામીએ પ્રતાપસિંહની જેમ, એ રીતને આત્મત્યાગ કર્યો નથી. તેથી જ ઐતિહાસિક ઉલ્લેખ છે જે પ્રતાપસિંહ દેવતા, પ્રતાપસિંહ નરરૂપે દેવ, આ બેનશીબ ભારતભૂમિના ઉદ્ધાર માટે પ્રતાપસિંહ પાપી પૃથ્વી ઉપર અવતર્યો. રાજ મહેલ વગેરેને ત્યાગ કરી વીરપુંગવ પ્રતાપસિંહે પેશલા સરોવરના તટ ઉપર કેટલીક કોટડીઓ બનાવી હતી. તે કોટડીઓમાં નિવાસ કરી પિતે અને પિતાના સામતે દારૂણ શિત ગ્રીગ્નિ અને વરષાના પ્રાકૃતિક ઉત્પીડનથી પિતાને બચાવ કરતા હતા. આજ જીવનના અંતિમકાળે, પ્રતાપસિંહ તે કોટડી માટેની એક કોટડીમાં સામાન્ય શા ઉપર સુતે હતા, ત્યાં સુઈ મૃત્યુના કઠોર આદેશની તે પ્રતીક્ષા કરતા હતા. તેના સુખ દુઃખના અનુચર સરદારે તેની શય્યા તરફ બેઠા હતા. સઘળા સામંત સરદારો પ્રતાપસિંહના પ્લાન મુખ તરફ જોઈ રહ્યા હતા. હવે એકદમ અનિષ્ટ થાશે એમ જાણી સઘળા તેની અંગભંગી તરફ સતર્ક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy