SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ ટાડ રાજસ્થાન. અકબરના અનુગ્રહ કામળ હતા પણ તે વીરવર પ્રતાપસિંહના હૃદયમાં કાણું પાડી દેતે હતે. તે અકખરને અને એવા અનર્થંકર રાજ સમાનને હઝારે ધિક્કાર આપવા લાગ્યા. પ્રતાપસિ’હુ પ્રાઢાવસ્થામાં આવી પડચે. તેની યાયનની આશા શાંત મૂર્તિ ધારણ કરી ગૈાઢ દશામાં આવી જઇ ભવિષ્યત વૃદ્ધાવસ્થાની સૂચના કરતી હતી. વીરચુડામણિ પ્રતાપસિંહ તે અવસ્થામાં પણ સુખ પામ્યા નહિ. ચિંતા કલેશ ચત્રણા વીગેરે ભાગવી. પ્રાઢાવસ્થામાં થોડા કાળ કાઢી તે વૃદ્ધાવસ્થામાં આવી પહોંચ્યું, તેનુ શરીર વિશુષ્ક થઈ ગયું તેની તેજસ્વીની અવસ્થાએ શાંત મુર્તિ ધારણ કરી. આશા ફળવાળી થઇ નહેાતી તે પણ તે આશા પ્રતાપસિંહે છોડી નહાતી, તેણે ચિાડ ઉદ્ધારની આશા છેડી નહોતી. તે ચિતાય તેના જીવનનું જીવન હતું. ઉદયપુરના શૈલશેખર ઉપર બેસી, તે ચિતાડના મહેલના ઉચા ઉંચા સ્તંભે જોતા હતા. પ્રતાપસિહ ચિતાડપુરીના ઉદ્ધાર કરી શકયા નહિ. એ ભયંકર અનુતાપે પ્રતાપસિંહનું હૃદય કાયમમળતું હતું. ભટ્ટ પ્રથામાં લખેલ છે જે એકવાર પ્રતાપસિંહ નૈદાદ્ય દિનાંતે ઉદયપુર પાસેની પર્વતમાળાના શિખર ઉપર બેસી એકાગ્રહ ચિત્તે. ચિતાડના અબ્રભેદી મહેલાના તભાને જોતા હતા. દિવાકર સુદી દવા ભાગોડી કલાંત દેહે ધીરે ધીરે પશ્ચિમાચલ, તરફ જાતેા હતેા. તેના કિરણેા વાદળામાં પ્રતિફલિત થઇ સુંદર શોભા ધારણ કરતાં હતાં. પ્રતાપસિહં, ચિતાડના રકતરશ્મિ મડીત દુર્ગપ્રાચીર અને સ્ત ંભે જોતા હતા. પણ તે પ્રકૃતિને એ સાદ રાગ જોતા નહાતા. તેના નયન ઉઘાડાં હતાં પણ તે સ્વકાર્ય સાધનમાં નિરત નહાતાં. તે બાહ્ય જગતને છેડી દઈ અતર્જગતનુ એક વિસ્મયકર ચિત્ર જોતા હતા. તેણે જોયું જે યુવક આપ્પારાળ મા માનસિંહના માથા ઉપરથી રત્ન મૉંડિત રાજ મુકુટ લેઇ લઈ પોતાના મસ્તકે મુકે છે, ત્યારપછી સમર કેસરી સમરિસંહ જીવનના કરાળ ગ્રાસમાંથી ભારતવર્ષની સ્વાધીનતા લક્ષ્મી ઉદ્ધારવા માટે વીરવર પૃથ્વીરાજ સાથે પવિત્ર દષવૃતીના તીરે પ્રાણ હારી જાય છે. એટલામાં કયાંકથી મેઘમાળાએ આવી, ચિતાડને આચ્છન્ન કરી દીધું. તે મેઘમાળાને તોડી ચિતાડની અધિષ્ઠાત્રી દેવી ચિતાડના ઉંચા કીલ્લા ઉપર જઈ બેઠી. અકસ્માત શ્રવણુ ભૈરવ વિનાદે સઘળી મેવાડ ભૂમિ ત્રસ્ત થઇ ગઇ. તેમાં રાણા લક્ષ્મણસિંહના ખાર પુત્રાએ, દેવીનું ખપ્પર પોતાનાં લોહી આપી ભરી દીધું. તે ભયંકર દય ક્રોમે વધારે ભયંકર થઇ પડ્યુ. એટલામાં દેવલ સરદાર વાઘજી વીરવર જયમલૈં અને પુત્ત તેની વીરજનની અને વીરપત્ની પ્રચંડ રણ તુર'ગે બેસી ભયંકર રણુ સાગરમાં કુદી પડયા. એકદમ ચિતોડના જીવ'તભાવ અંતર્હિત થયા. એકદમ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy