SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ - - - વનવીરનું મેવાડ શાસન ઈ. ૨૩૭ ચંદાવત શિરોમણી કૃષ્ણને પુછ્યું જે “પ્રતાપસિંહ ખરા ઉતરાધીકારી હોઈ રાજસિંહાસન પામે નહિ. આપ સજીવ બેડા છતાં આપે એમ થવામાં કેમ સંમતિ આપી” સામંતશેખર કૃણે ધીર વચને જવાબ આપે, “રેગી કહેવાઅંતિમ કાળે ડું દુધ પીવા ચાહે, તે તેને પીવા ન આપવું તે કાંઈ સારૂ કહેવાય” શનિગુરૂરાવ તમારા ભાણેજને મેં ગાદીએ બેસાડવા પસંદ કર્યો છે. હું પ્રતાપસિંહના પડખે ઉભો છું. ગમલ ભજનાગારમાં પેસી રાણાની ઉંચી ગાદીએ બેઠે હતે. મેવાડ રાજ્ય છે જવા માટે પ્રતાપસિંહે પિતાને ઘોડો તૈયાર કર્યો. એટલામાં વાલીયરના પદચૂત રાજાની સાથે રાવત્ કૃષ્ણ તે ઘરમાં પેઠે, તેઓ પેઠા કે તરત તેઓએ ગમલના બે હાથ પકડી તેને ગાદીએથી નીચે ઉતારી દીધે. આસન ઉપરથી નીચે ઉતારી રાવતકૃણે ધીરનમ્ર સ્વરે તેને કહ્યું. “મહારાજ” ગમલ! તમે બ્રમમાં પડ્યા છે. આ આસને બેસવાને માત્ર પ્રતાપસિંહને અધિકાર છે, શાલબ્રાધિપતિએ, પ્રતાપસિંહને રાજેશે સજજત કર્યો. દેવદત્ત ખડગ તેના હાથમાં આપી તેણે તેને ગાદીએ બેસા. ત્રણવાર પિતાના હાથે ભૂમિતાળને સ્પર્ષ કરી, તેણે તેને મેવાડાધીવરના નામે બોલાવ્યા. સામંત સરદારોએ પણ રાવતકૃષ્ણનું અનુકરણ કર્યું. એ માંગલિક કાર્ય સમાપ્ત થયું કે તુરત નવીન ભૂપતિ પ્રતાપસિંહે સઘળાને બોલાવી કહ્યું, આહેરીયા ઉત્સવ પાસે આવે, આપણે સઘળા ચાલે, ઘેડા ઉપર ચડી મૃગયા વ્યાપાર કરીએ, અને તેથી આવતા વર્ષનું ફળાફળ જોઈએ, પરમાનંદે આનંદિત થઈ સઘળા તે મૃગયામાં પ્રવૃત થયા. તેઓએ અસંખ્ય વરાહને ઘાત કર્યો, તે ઉપરથી મેવાડના મંગળની સ ધારણ કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy