SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ રાડ રાજસ્થાન, એક પવિત્ર બ્રાતત્વ બંધનના અનુરાધે મેગલવીર હુમાયુન, દુષે બહાદુર શાહના કરાળ ગ્રાસમાંથી ચિતેડને ઉગારવા આહતા. ઉદયસિંહની જનની કરણવતીએ, તેને એ પવિત્ર ભાતૃત્વ બંધને બાંધે હતે રજપુતે તે પવિત્ર બંધનને રાખી બંધન” નામે બોલે છે. જે રજપુત વગેરે આ યુત ધર્મ બંધનથી બંધાય છે. તેને રજપુત રાખી બંધ ભાઈ કહે છે. ભટ્ટ ગ્રંથમાં વણિત છે જે ચિતેડના તે ભયાવહ કાળમાં જ્યારે વીરનારી જરહરબાઈએ આત્મત્સગ કર્યો, ત્યારે રાણી કર્ણવતીબાઈએ, પિતાના પુત્રના બચાવને કોઈ ઉપાય ન જોતાં, છેવટે, હુમાયુનની મદદની પ્રાર્થના કરી તેની પાસે પવિત્ર “રાખી બંધન મોકલાવી દીધું વીરપૃથાના ઉપયુક્ત વિધિના અનુસારે હુમાયુને, તે ભ્રાતૃ સંબંધે પવિત્ર હૃદયમાં ગ્રહણ કર્યો અને તે પિતાની ધર્મ ભગિનીને વિપદમાંથી બચાવવા દઢ પ્રતિજ્ઞાવાળે થયે. તે સેના સાથે ચિતોડ તરફ ચાલ્યું. તે જે આ ભીષણ યુદ્ધના સમયમાં આવી પહોંચ્યું હતું તે નિષ્ફર બહાદુર ચિતડનો ધ્વંસ કરી શકતા નહિ અને તેથી કરીને તે પોતાની ધર્મ ભગિનીને ઉદ્ધાર કરી શકત પણ મહીષી કર્ણાવતીનું દુભાગ્ય જે હુમાયુન અતિવિલંબે ત્યાં આવ્યું. મધુમય વસંત સમયમાં રાખી ઉત્સવનું આચરણ થાય છે. એ સમયે રજપુત મહિલાઓ, પિતાપિતાના પસંદ કરેલા ભાઈને રાખવલય મકલી, તેને ધર્મભ્રાતૃપણે બાંધે છે. એ પવિત્ર પ્રથા કયા કાળથી પ્રચારિત થઈ તેનું અનુમાન થઈ શકતું નથી. ભારત વર્ષના ભારતેશ્વર ભુવન વિદિત અકબર જહાંગીર શાહજહાંન અને ઔરંગઝેબ ૪ વગેરે યવન રાજાઓ, એવી રાખી રાખી પિતાને કૃતાર્થ ગણેલ છે મેગલવીર હુમાયુન, કર્ણવતીનું રાખી વલય રાખી પિતે કૃતાર્થ થયે અને આનંદથી બોલી ઉઠયે જે બેન જે કરવા માંગે છે તે હું સર્વતભાવે કરી આપીશ. તેને રણથંબર કીલે લેવાની આકાંક્ષા હોય તે તે પણ હું આપી દેવા તૈયાર છું હુમાયુન પિતાની પ્રતિજ્ઞા પાળવા વિશેષ ચેષ્ટિત થયું. પિતાની ધર્મ ભગિની અને ભાણેજને બચાવવા, તે બંગાળા છોડી મેવાડમાં આવ્યું. રાણું કર્ણાવતી એ યંગ્ય પાત્રને રાખીવલય કહ્યું હતું. હુમાયુ સંપૂર્ણ રીતે આત્મપ્રતિજ્ઞા પાળવા સતાવાળે હતું. તેણે દુરાચાર બહાદુરને ચિતોડમાંથી દૂર કર્યો. વળી માળવપતિની રાજધાની માંદુનગર લઈ, રાજા વિક્રમજીતને આપી, ચિતોડના સિંહાસને બેસા. - અ હિંદુષી રંગઝેબ અગર જોકે રજપુત ઉપર અત્યંત જુલમ કરતો હતે પણ તેણે ઉદયપુરની રાજમાતા તરફથી રાખવલય મેળવ્યું હતું. આરંગઝેબે તેના સંબંધ તેને કેટલાક પત્ર મોકલ્યા છે. તે સઘળા પત્રો પવિત્ર ભાવવાળા સારથી ભરપૂર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy