SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ રાણુ સંગામસીહનું સિંહાસના પણ છે. પુત્રને રાજ્ય સિંહાસને બેસારશે, એ માટે રાજપત્નીએ લાંચમાં બાબરને રણ કંભરને કીલે અને માળવરાજને રાજમુગટ આપે. રાણા સંગ્રામસિંહની આકૃતી મધ્યમ, તેની કાયાક સત્તા વિલક્ષણ હતી. તેની કાંતિ ગારવણની હતી. નયન પુષ્કળ વિશાળ હતાં. તે એક પ્રચંડ ચેો હતો. તેની સત્યતા તેનાં અવયવ જોવાથી માલુમ પડતી હતી. જુદા જુદા રણાભીનમાં તેનાં અનેક અંગ પ્રત્યંગ નષ્ટ થયાં હતાં. તેનું સાહસ અદમ્ય તેને અધ્યવસાય અવિચલિત હતે. ઘણાખરા રાજગુણે રાણે સંગ્રામસિંહ વિભૂષિત હતું. તેને વેરી બાબર તેના ગુણની પ્રસંશા કરતા હતા. બાબર તેની ભકિત અને ભય રાખતો હતો. તે બીજીવાર તેની સાથે યુદ્ધમાં ઉતયે નહોતે. સંગનું અનુકરણ પહેલા યુદ્ધમાં તે કરી શકો નહિ. સંગે તેના આવા વિચિત્ર ગુણે ઉપયુક્ત કાર્યમાં વાપયા નહિ જેથી તેનું જીવન અકાળે વિનષ્ટ થયું. સંગ્રામસિંહના સાત પુત્ર હતા તેમાંથી પહેલે અને બીજો પુત્ર બાળવયમાં મૃત્યુ પામ્યા હતા. ત્રીજો પુત્ર રત્નસિંહ ચિતડના સિંહાસને બેડે. - ઈ. સ. ૧૫૮૬ (સં.૧૫૩૦)માં રાણે રત્નસિંહ ચિતોડના રાજ્ય સિંહાસને બેઠે. વીરતા, તેજસ્વિતા, સહિષ્ણુતા વિગેરે જે સઘળા ગુણોથી રજપુત વિભૂષિત હોય છે તે સઘળા ગુણે રત્નસિંહમાં હતા. પિતાના પિતાની માફક તેણે પણ પ્રતિજ્ઞા કરી હતી જે “રાજધાનીને ત્યાગ કરી યુદ્ધ ક્ષેત્રમાં અવિરામ વાસ કરે. ચિતોડના સઘળા દરવાજા ખુલ્લા રાખી તે બેલ હતું જે “શત્રુએ અંદેશા વિના ચિતડમાં પેસવું” રાણા રત્નસિંહ, સંગ્રામસિંહની જેમ પરિણામ દશિતાનું કામ કર્યું હતું, તેણે વને ચિત પ્રગલભતા અને અંધતેજસ્વિતાને વશીભૂત થઈ કામ ન કર્યું હતું, તે, તે પિતૃપતિજ્ઞાની સંપુર્ણતાને પુરે અમલ કરત, તેથી કરી વિરવર બાબરના વંશધરે, ભારતવર્ષ ઉપર રાજ્યાશાસન કરત નહિ. દુર્ભાગ્યવશે ચિવનના પ્રારંભમાં આ લેકના વાસમાંથી મેળે થયે. તેજસ્વી અને પ્રચંડ પ્રકૃતિવાળા રજપુતના પક્ષમાં યવનકાળ ભયાનક છે. તે સમયે તેઓ, અનર્થક વિવાદ વિર્ષવાદમાં મત થઈ પિતાના જીવનને વિષય કરી દે છે, તે વિષમય વિવાદમાં રાજ્યનું કેટલુંક અનિષ્ટ અને અમંગળ થયું છે. તેની વાંચનારને પરિ. ચિતી થઈ હશે એવા અનર્થકર સંઘર્ષને પેદા કરી અનેક રજપુત રાજાઓ અકાળે. આ લેકમાંથી વિદાય થયા છે. અનેક રજપુત રાજાઓ રાજ્યને વંચિત થઈ અસીમ દુઃખની અવસ્થામાં પડયા છે. રાણે રત્નસિંહ પણ એવા કુછદમાં પદ્ય વિષયમય જીદગી કહાડવા લાગ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy