SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ રાણા સંગ્રામસિંહનું સિંહાસનારોપણ ઈ. ૧૯૭ પુત રાજાની જેમ પ્રસાર થયે હતો. સંગના જીવન કરતાં બાબરનું જીવન અધિક આપન્યાસિક દર્ય સમલંકૃત હતું. પિતાના વીર અને તેજસ્વિત્વે અંધ થઈબાબરે કદી પણ અવિવેકને વશ થઈ પોતાનું જીવન આપત્તિમાં નાંખ્યું નથી. ઇ. સ. ૧૪૯૪માં વીરવર બાબર ફરગણાના સિંહાસને બેઠે. ત્યાં તેને શત્રુઓ તેને કાયમ ઉપદ્રવ કરનારા થયાં. તેના ઉપર વારંવાર આપત્તિ આવવા લાગી ત્યારે ફરગણાને પિતાના રક્ષણ માટે છેડી દેવા બાબરને ફરજ પડી. મથિત હદયે હીંદુ કુશ સિલ માળા ઓળંગી ઈ. સ. ૨૫૧૯ માં સિંધુનદના પૂર્વ ધારે તેણે આશ્રય લીધે, ત્યારપછી કાબુલમાં અને પંચનદ પ્રદેશમાં તેણે સાત વર્ષ અતિકષ્ટ કહાઢથા તે સમયમાં બાબર આત્મોદ્વારનો રસ્તો શોધવા લાગે. ઉગી અને ઉદ્યમશીળ માનવ લાખો આફતમાં પડેલે છતાં એક માત્ર પિતાના પુરુષાર્થની મદદે તે વિપત સાગરને તરી જઈ સૌભાગ્યલમીને સુપ્રસાદ પામે છે. બાબર રાજપુત્ર હતા, જે વિશાળ રાજ્યને અધિકારી હતો આજ તે રાજ્યને વંચિત હતે. બાબર, નિશિતની જેમ દૂર દેશમાં વાસ કરતો હતો. તેની સઘળી આશા વિલુપ્ત થઈ ગઈ હતી પણ તે એક ઘડીભર નિરૂત્સાહ થયે નહોતો. કમે ઘણા સેનિકોએ, તેનો પક્ષ પકડે આત્મોન્નતિનો માર્ગ પ્રસારિત કરતો કરતા, તે દિલ્દીશ્વર ઈબ્રાહીમ લોદીના સાથે સંગ્રામ સ્થળમાં ઉતર્યો. સૌભાગ્ય લક્ષ્મીએ બાબરના માથા ઉપર જયમુકટ મુ. દિલ્લીવર ઈબ્રાહીમ રણસ્થળ ઉપર મરાયે. તેના સિન્ય સામંત પલાયન કરી ગયા ત્યારે, દીલી અને આગ્રાના લોકોએ વિજયી બાબરની અભ્યર્થના કરી. કરૂણાનિધાન ઈશ્વરના અનુગ્રહમાં વિરવર બાબર ચમત્કૃત થયો અને કૃતજ્ઞતા સાથે અને સંપૂર્ણ ભક્તિ સાથે, તે બોલ્યો “ હે જગદીશ્વર ! આ, જય મારે નથી, તમારે છે. તમારી અપાર કરૂણાને જય છે. ” દિલી જય પછી એક વર્ષ ઉપર વિરવર બાબરે, રણકેસરી સંગ્રામસિંહના વિરૂદ્ધ પિતાની વિચિની સેના ચલાવી. આ સમયે, એક સમકક્ષ મહાવીર શત્રુના વિરૂદ્ધ પ્રતિબંદ્ધિતા ક્ષેત્રમાં તેને ઉતરવાનું હતું. અગાઉ તેણે જેટલા મહા સુર પુરૂષના શેણીતયુદ્ધ સ્થળે પાડયાં છે. તેટલા મહાશુર પુરૂષોની સાથે તુલના કરતાં સંગ્રામસિંહ અસાધારણ શુર હતું. બાબર જેવો વીર હતા, તેવા વીર તેના સૈનિકે હતા. વારસાગના વિકમશાળી તાતાર લોકો તેની સહાય માટે યુદ્ધક્ષેત્રમાં ઉતર્યા હતા. તેઓ આર્યવીર સંગ્રામસિંહના ભીષણ વિક્રમભાવે પોતાના જીવનના અસ્તિત્વની શંકા કરતા હતા. સંગ્રામસિંહના વીર્ય પાસે તેઓની જીતવાની આશા નીફળ હતી. સંગ્રામસિંહની સેના જોઈ બાબરનું સૈન્ય નિરૂત્સાહ થઈ ગયું. બાબર આવા વિષમ સંકટમાંથી નિકૃતિ પામે , તેના બળથી, કળથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy