SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ટેડ રાજસ્થાન, રાજપુત્રાચિત સંમાને જલાંજલી આપી અજ્ઞાત વાસે સંગે જે કાલ યાપન કરેલું છે, તેથી તેની કાપુરૂષતા અને હનસાહસતા જણાતી નથી. પણ તેની અપૂર્વ ભાવિદશીતા અને વીરચિત સહિષ્ણુતા જણાય છે, તે અપૂર્વ ભાવિદશિતાના બળે, તેણે મેવાડની ભવિષ્ય લિપિ વાંચી લીધી નહત, તેણે આગળ પાછળ જોયા વિના પ્રકાશ્ય શત્રુતા પૃથ્વીરાજ સાથે કરી દીધી હત, તે મેવાડનું ઘેર અનિષ્ટ થઈ ગયું હત. સંગ્રામસિંહ, એક યુદ્ધ વિશારદ રાજા હતા. તેણે પ્રકૃણ યુદ્ધનીતિના કાયદાના અનુસારે પિતાની સેના, સંગઠિત કરી હતી. તૈમુરના વીરવંશધરની સામે યુદ્ધમાં ઉતર્યા પહેલાં તે સેના સાથે સંગ્રામસિંહ માળવાના અને દિલ્લીના યવનાધિપ સામે અઢાર યુદ્ધમાં ઉતર્યો હતો, તે અઢાર યુદ્ધમાં તેણે જય મેળવ્યું. તિ માં બે વાર, દીલ્લીશ્વર ઇબ્રાહીમ લેદી, તલવાર લઈ તેની વિરૂધ્ધ યુદ્ધમાં કર્યો હતે. તે બે યુધ્ધમાં યવને એટલા બધા માર્યા ગયા કે તેમાંથી માત્ર થોડા યવન બચી શકયા. એ સમયે મેવાડ રાજ્યની સીમા ચારે તરફ વધારે વધી હતી. ઉત્તરમાં બીયાનાના સીમાડે વહતી પલાખા નદી સુધી, પૂર્વ સીધનદી સુધી, દક્ષિણે માળવ રાજ્ય સુધી અને પશ્ચિમે મેવાડની નિબીડ ગિરીમાળા સુધી તેની હદ હતી. એ ચતુસ્સીમાબત મેવાડ રાજ્યનું શાસનસૂત્ર તે સમયે રાણા સંગ્રામસિંહના હાથમાં હતું. એ પમાણે સુવિસ્તૃત રાજ્યને શાસન કર્તા હાઈ સંગ્રામસિંહ સ્વદેશીય અને સ્વજાતીય રાજાઓનું અપૂર્વ સંમાન પામી ગૌરવના ઉંચા પગથીયા ઉપર જઈ ચઢ. તેટલામાં યવન વીર બાબરને શ્રવણ ભેરવ સિંહનાદ ભારતવર્ષના પશ્ચિમ દ્વારે સંભળાયો. તે ભીષણ નાદે સઘળી ભારતભૂમિ, એક પ્રચંડ તાડિતબળે કપિત થઈ, તેના સંગે રાણું સંગને ઉન્નતિ સત ચાલતો અટક. વિરવર બાબર અસુર અને ક્ષારતીસ નદીના તીર વતી ભિમવિક્રાંત ઉક અને તાતાર સૈન્ય લઈ ભારતવર્ષમાં ન આવત, જે ભારતવર્ષના ક્ષીણ યવન રાજાઓ તેના વાવટા નીચે એકડા ન થાત તે ભારતવર્ષ આજ કયા રસ્તાથી પરિચાલીત થાત તે કહી શકાતું નથી. આર્ય ચક્રવર્તીનો હેમ મુકુટ હીંદુના આગ્રાથી પચીસ માઈલ પશ્ચિમે વિયાના અવસ્થિત - એક સંકર જાતી પણ તેને જોવાથીને તુક છે એમ કહી શકાય. તુર્કી, મોગલ અને નાક વીગેરે કેટલાક મુસલમાન જતિના સમવાયે તેની પેદાશ છે અને તેણે પુર્વે ઐબીરીયાને મોટે વિભાગ કબજે કર્યો છે. હાલ ઉજવેક કે અશુઃ નદીના તીરવતી વિશાળ પ્રદેશમાં અવસ્થિત ઈ.સ.૧૩૪. તેઓએ પોત મા અધિનાયક ઉજવેકખાંના સમયમાં મુસલમાન ધર્મ સ્વીકાર્યો કેટલાક વેદાનને અભિપ્રાય છે કે તે અધિનાયક ઉજવેક થકી તે સંકર જાતિનું નામ ઊજવેક પડ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy