SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ રજપુતેને સ્ત્રી વિષયક શિષ્ટાચાર. ૧૬૩ શિશદીય બે ભાઈઓ નિરૂત્સાહિત ન થયા. તે બન્ને પ્રચંડ વેગે શત્રુની સામે થયા. ચોધરાવ કેવી રીતથી સહાય સંપન્ન થઈ આવ્યું છે એમ ચંડના પુત્ર કંથડજીએ પહેલાથી જોયું નહિ. કંથડજી અને મુંજએ, ધરાવને દળ બળમાં હલકે ગણી, તેના હુમલા ઉપર સામે હુમલે કરવા તૈયારી કરી. એ અપરિ મદશિતાનું અને હીન બુદ્ધિતાનું વિષમ ફળ તેઓએ તરત જોગવ્યું. યોધરાવના ભયંકર લશ્કરની પ્રતિરોધ કરવામાં હીન બુદ્ધિ કંથડજી, પોતાના પુષ્કળ સૈનિક સાથે યુદ્ધમાં પડયો. નાનો ભાઈ મુંજજી, પલાયન કરી ગયે, પણું તેમ કરવાથી તે ધરાવના કરાળ ગ્રાસમાંથી બએ નહિ. તે ગદવાર રાજ્યની સીમામાં પહોંચી ગયા. ત્યાં વિજયી ધરાવે તેને પકડી પાડયું. ત્યાં જ તેને વિજય ધરાવ થકી નિપાત થયો. એ રીતે રાઠોડ વીર યોધરાવે તેની પ્રચંડ પ્રતિ ઘાંસાંનિ પરિતૃપ્તિ કરી. આ સઘળાં કામ કરી ધરાવ નિઃશંક બેસી રહ્યો નહિ. તેના મનમાં સતત આવતું હતું જે વરવર ચંડ, ભીષણ મુતિ ધારણ કરી તેની વાંસે આવે છે. દુકામાં ચોધરા નિશ્ચિત ન રહેતાં, પિતાની અવસ્થાની સૂક્ષ્મ હકીકત જેવા લાગ્યું. તેણે વિચાર્યું જે ચંડની સાથે તેની તુળના થાય તે તેમાં તે નિઃસહાય ગણાય તેવું છે, તે પારકાના દળ બળની સહાયે આવા કઠોર યુદ્ધમાં ઉતર્યો છે. તેઓ તો માત્ર એક વાર કે બે વાર તેની મદદ કરે તેવું હતું. જ્યારે મેવાડની વિશાળ સેના આવી, તેના ઉપર હુમલો કરશે, ત્યારે તે તેની મદદથી આત્મ રક્ષા કરશે, એવા વિચાર તેના મનમાં આવ્યા કરતા હતા. આ વિવાદને પ્રથમ અને પ્રધાનઉત્તેજક તેનો બાપ રણમલ હતો. તેના જ દેશથી રાઠેડ વંશીય અને શિશદીય વંશના વચમાં ભયંકર કલહ ચાલ્યા. આવી અવસ્થામાં વિવાદ ભંજન કરવાનું ઉચિત છે. એ પ્રમાણેની જ્ઞાન ગર્ભચિંતા કરી, ધરાવે ચંડની પાસે સંધિની દરખ્યાસ્ત કરી. તે દરમ્લાસ્તમાં તેણે સઘળો ગદવાર પ્રદેશ ચંડને આપવાનું કબુલ કર્યું. જે સ્થળે ચંડના બીજા પુત્ર મુંજાજીને નિપાત થયો હતો, તે સ્થળ મારવાડ અને મેવાડની હદ સ્વરૂપે ગણવું એમ દરમ્નાસ્તમાં કહી મેકલા, ધરાવની સંધિની દરખ્યાસ્ત મંજુર રહી. બન્ને વંશવાળા રજપુતા, ગયા વૃતાંત ભુલીને સંધિસૂત્રથી બંધાઈ એક બીજાને ૮દયમાં ધારણ કરી, પ્રગાઢ મિત્રતા સાથે વર્તવા લાગ્યા. મેવાડ પતિને જે સમૃદ્ધ ગદવાર રાજ્ય મળ્યું તે રાજ્ય, મેવાડપતિના રાજ્યની અંદર સો વર્ષ રહ્યું. કાયમની પ્રસિદ્ધ ઉતરાધિકારિત્વ પ્રથાને વ્યભિચાર થવાથી ગદવાર પ્રદેશ, મેવાડેશ્વરના કબજામાં આવ્યો. પણ તેજ પ્રદેશ તેજ વ્યભિચારના કારણે ત્રણ વર્ષ પછી તેના હાથમાંથી ગયે. વિરવર ઉદાર ચરિત ચંડના અપૂર્વ સ્વાર્થ ત્યાગથી મુકૂલનો સૌભાગ્ય સૂર્ય ઉદય પામે, પણ તે સૂર્ય બહુ કાળ ઉદિતાવસ્થામાં રહે નહિ મળ્યાહના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy