SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ રજપુતેને સ્ત્રી વિષયક શિષ્ટાચાર. ૧૫૧ ભયાનક અછિ સળગાવી દીધે તે થોડાથી એલવા નહિ. તેને ઓલવવામાં રાજ્યની એક કાયમની પ્રથાને વ્યભિચાર થયો અને તેથી કરી મેવાડનું જે અનિષ્ટ થયું તેવું અનિષ્ટ મંગલ કે મહારાષ્ટ્રિય લેકના હુમલાથી થયું નથી. - સુખથી અને દુઃખથી લાંબાં વર્ષનું આયુષ્ય ભોગવી રાણું લાક્ષે ઘડ૫ ની અવસ્થામાં પગલું મુકાયું એ સમયે અર્થકારી વિષય ચિંતાનો ત્યાગ કરી. પરમાર્થ ચિંતામાં મને નિવેશ કરી શાંતીમય જીવન કહાડવાને ઉદ્યોગ કરવા લાગ્યું. તેના પુત્ર અને પત્ર યથા યેગ્ય વૃત્તિ અને ભૂમિ સંપતિ પામી પુષ્કળ આનંદમાં કાળનું નિર્ગમન કરવા લાગ્યા. હવે રાણુને શાથી ચિંતા હોય ! જેણ પુત્ર ચંડને રાજ્ય ઉપર અભિષિક્ત કરી નિશ્ચિંત થઈ ઈશ્વરારાધનામાં કાળ ક્ષેપ કરવાની માત્ર એક ચિતાં તેના હદયમાં હતી. પણ વિધાતાએ વાદી અને સામા વાળા થઈ તેને સંસાર સાગરના પ્રબળ વમળમાં નાંખી દીધા તેથી તેને પરમાત્મા ચિંતનમાં વ્યાઘાત થયે. તેની શાંતીની સડકમાં કાંટા અને શુળ પથરાયા. આ વિષમયી સંસાર ચિંતામાંથી છુટવાને તેણે મહેનત કરી પણ નિર્થક ગઈ. એક સમયે રાણે લાલ પિતાના પરિવાર સામંત સરદાર વગેરેની સાથે રાજ સભામાં બેઠો હતો તે સમયે મારવાડ રાજ્ય રણમલનો એક દત નારીયેલ લઈ ત્યાં આવ્યે રાણાએ તે દૂતને સત્કાર અને સંભ્રમથી વાસ આપવાનું કરી મારવાડના રાજા વગેરેની કુશલતા પુછી આવવાનું ખરું કારણ પુછયું તે કહ્યું- મહારાણાના જેષ્ઠ પુત્ર ચંડની સાથે તેની પુત્રીને વિવાહ કરવા મહારાજ રણમલે નિશ્ચય કરી નારીયેલ સાથે મને મેક છે ચંડ તે સમયે રાજ સભામાં ન હેતે એટલે કે છેડે સમય રાહ જોઈ રહેવાનું દૂતને કહી રાણે બેલ્યો “ ચંડ હાલ આવી એ પ્રસ્તાવમાં સંમતિ આપશે ત્યાર પછી તે પોતાની મુછ મરડો મરડતે પરિહાસછલે બધે જે “મારા જેવા ધળી દાઢી મુછવાળા વૃદ્ધ માટે તમોએ એ ખેલવાની સામગ્રી મોકલી નથી ” રાણાનું એ મધુર કેતુકાવહ વચન સાંભળી સભાના સઘળા લેક પરમાનંદે પુલકિત થયા. અને તેના તે રસસિક્ત વચનની સઘળા પ્રશંશા કરવા લાગ્યા. એટલામાં મે પુત્ર ચંડ સભામાં આ સભામાં આવી તેણે સર્વ વૃત્તાંત સાંભળ્યો કેતકના વશવર્તી થઈ પિતાએ જે સંબંધ થોડા સમયના માટે પોતાને કરી મા તે સંબંધ પુત્ર શીરીતે સ્વીકારે ? એ કુછ ચિંતા ચંડના હૃદયમાં ઉદય પામી તેણે છેવટ સ્થિર કર્યું જે તે વિવાદમાં સમંત થવું યોગ્ય નથી. તેને તો સિદ્ધાંત રાણાના સાંભળવામાં આવ્યો તેણે પુત્રની તે સિદ્ધાંતમાં પ્રગલભતામાની વારંવાર તેને યોગ્ય શિખામણ આપી. પણ રાણાની સઘળી શીખામણ વ્યર્થ ગઈ. તે ચંડને દ્રઢ સંકલ્પ કરવી શકો નહિ રાણાને બે તરફથી સંકટ આવી પડયું એક તરફ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy