SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ 3 - 4 -. , - - - - - - - - રાજા લમણસિંહ, ચિતડ ઉપર અલાઉદીનને હુમલે ઈ. ૧૩૩ એ નામે કહેવાતો હતો. તે ઉપાધિ તેણે પોતાના ચલની નાણાંમાં લખાવી દાખલ કરી. તેના કઠોર હસ્તના ભયંકર પ્રહારે રાજસ્થાનના ઘણા પ્રદેશ શોચનીય અવસ્થામાં વિદવસ્ત કર્યા. મદગવિત અણહીલવાડ, પ્રાચીન ધારાનગર પ્રખ્યાત અવંતી, નામાંકિત સુંદર સમૃદ્ધદેવગઢ વિગેરે જે સઘળા, ગારવાન્વિતપુરમાં એક કાળે પ્રસિદ્ધ સોલંકી, પરમાર, પુરીહાર, તક્ષક વંશના રાજાઓ રાજ્ય કરતા હતા, તે સઘળા પ્રદેશ હીંદુ વિદ્વેષી અલ્લાઉદીને વિધ્વસ્ત કર્યો, જે અતિકુળમાં ઉત્પન્ન થયેલ રાજાઓના ભૂગુટી પાસે એકવાર સઘળા ભારતવર્ષનું અદઇચક નિયમિત હતું. આજ તે રાજાઓ, મુસલમાનોના અત્યાચારના પ્રભાવે પોતાના વંશની સાથી નાશ પામ્યા, આજે તેઓના વિપુલ વંશનું એક સામાન્ય નિદર્શન પણ જોવામાં આવતું નથી. ભદિવંશના, ખીચીવંશના અને હારવંશના રાજાઓના લીલાસ્થળ જેસળમીર ગણોત અને બુંદીને અલ્લાઉદીને શોચનીય અવસ્થાને પમાડયાં. પણ કાળના અવશ્ય ભાવી પ્રભાવના આધારે તે અધ:પતિત શહેરો પાછા મતક ઉઠાવી સમૃદ્ધ થયાં છે, જે સમયે અલાઉદીને મેવાડમાં પ્રવેશ કર્યો તે સમયે મારવાડના રાઠોડ રજપુતે અને અંબરના કુસાવહ રજપુત ભારતવર્ષના ઈતિવૃતમાં થેલી પ્રતિષ્ઠા મેળવી શકયા છે. તે સમયે રાઠોડ રજપુતો પુરીહાર વંશીય રાજાના તાબામાં સામંત રાજ રૂપે રહેતા હતા. એ પરતંત્રતાવાળા જીવનમાંથી તેઓ ધીમે ધીમે પિતાનું માથું ઉચું કરતા હતા. પણ કુશાવહકુળ ઘરહીને દુર્દશામાં આવી ગયું હતું. તેઓની દુર્દશા જોઈ આદિમ અસભ્યમીન જાતી વારંવાર તેઓ ઉપર હલ્લો કરી પીડા કરતી હતી. તે હલાને પ્રતિરોધ કુશાવહ રજપુતો કરી શક્યા નહોતા. વિજયેત્સવે મત્ત થઈ અલ્લાઉદીન શેડા જ ચીતડમાં રહ્યા. તે રહેવાના સમયમાં ચિતોડની શોભનીય હવેલીઓ, રમ્ય દેવ મંદીરે, સુંદર મહેલ, ચૈત્ય વિગેરે તે સનાતન ધર્મ વિદ્વેષી યવનના હાથથી ચુર્ણ વિચુર્ણ થઈ ગયાં. પણ એક માત્ર આલોક સામાન્યા પતિની નીવાસ મહેલ, તેના સર્વ સંહારક હાથના ભયંકર પ્રહારથી બ. પિતાની ચિત્ત વિદીનીની યાદગીરીની નીશાનીની સારૂ તે નિવાસ મહેલ, અલ્લાઉદીને તે નહી. તે ભયંકર યવન વિપ્નમાં શિશોદીયા કુળમાં પિંડદાન કરવા માટે એક માત્ર અજયસિંહ જીવિત હતા. અગાઉ વર્ણિત થયું છે જે અજયસિંહ કેલવારા જનપદમાં જઈ રહ્યો હતો. મેવાડના પશ્ચિમ પાસે વિશાળ આરાવલી પર્વતની તળેટીના પ્રદેશમાં શેરોનલ નામનો એક અતિ સમૃદ્ધ પ્રદેશ છે. તેના શિર્ષ સ્થાને કેલવારા સ્થાપિત તે દુરના પર્વતવાળા પ્રદેશમાં રહી રાણે અજયસિંહ, પોતાના પિતૃરાજ્યના ઉદ્ધાર માટે પ્રતીક્ષા કરતા હતા, જેચિતોડ તેના પૂર્વ પુરૂષનું લીલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy