SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ મહા કવિ ચંદ બારોટ પ્રણીત ઐતિહાસીક વિવરણાવળી. ૧૦૭ પંચડ પ્રરાક્રમથી તેમને શરણ થયા હતા અને તેમને આદેશ ( હુકમ) માથે ચડાવતાં હતા. દિલ્લીના શેષતુંઆર સમ્રાટના રાજકાળમાં એ સઘળા રાજાઓ ભારત વર્ષમાં જુદા જુદા ભૂભાગે પિતાનું રાજ્ય કરતા હતા. મહારાજાધિરાજ અનંગપાળ તે સઘળા રાજાઓના શિર્ષસ્થાને રહી એ સઘળાને આદેશ આપતા હતો. જે દિવસે ભદ્દી લેકે, જાબાળીસ્તાનથી પિનાડિત થઈ ભારતવર્ષમાં ફરી પેઠા તે દિવસથી, છેડા સમયમાં તેઓ પંજાબના શાલીવાહન પૂરને ભાનેટને, અને મરૂ ભૂમિના લહુવા નામના શહેરને હસ્તગત કરવા સમર્થ થયા. અને દેરવાલ નગરીનું સ્થાપના કરી તેમાં પ્રસિદ્ધજેસલમેર નગરી સ્થાપન કરવા ગોઠવણ કરવા લાગ્યા. તે સમયે, ચોહાણવીર પૃથ્વીરાજ દીલીના સિંહાસને બેઠો હતો. ભક્ટિ લોકો તે સમયે જેસલમેર નગરની પ્રતિષ્ઠા કરવા મશગુલ હતા. તે સમયે, તે નગરી વિશેષ ખ્યાતિ મેળવી શકી નહિ. જેસલમેરની સ્થાપનાના પૂર્વે ભક્ટિ લોકે તે અપ્રશસ્ત ભૂભાગમાં રહી ખલીફાના સેનાપતિઓ સાથે યુધ્ધમાં ગુંથાયા હતા. બન્ને પક્ષમાં ભીષણ યુધ્ધ થયું હતું તે યુધ્ધ વ્યાપારમાં ભટિંઓ સમયે સમયે જય મેળવી સિંધુનદની તક્ષકની રાધાની પ્રર્યંત પિતાને પ્રતાપ ફેલાવતા હતા અને છેવટે તે સ્થળ પર્યંત, પિતાના પૂર્વ પુરૂષનું વિસ્તૃત રાજ્ય મેળવી શક્યા હતા. જે સમયે, મુસલમાનના દુધર્ષ વિક્રમપ્રભાવે, ભારતવર્ષમાં મેટી ઉથલપાથલ થઈ. ભટ્ટીવાશીય રજપુતો તે સમયે તે સંકીર્ણ રાજ્યમાં રહી રાજનૈતિક જગતમાં અતિ સામાન્ય ઉન્નતી મેળવી શકયા હતા, પણ ચેહાણ રાજ દીલ્લીશ્વર પૃથ્વીરાજના શાસનકાળમાં તેઓની ઉન્નતિને સૂત્રપાત થયું. તે સમયથી તેઓની વીરતા કમેકમે વધતિ ગઈ. ભારતીએતિવૃત્તિમાં વર્ણવેલ છે જે પૃથ્વીરાજના તાબામાં અખીલેશ નામને એક સેનાપતિ હતો તે ભઠ્ઠીવંશને રજપુત હતા. ઉપર આપણે કહી ગયા કે મહારાજ અનંગપાળ તે સમયે ભારતવર્ષમાં સાર્વભૌમ રાજા હતા. તે દીલ્હીના પ્રથમ તુવાર રાજા વિલનદેવથી નીચે ઓગણીશમે પુરૂષહતો. મહારાજ યુધિષ્ઠિરનું લીલાનિકેતન પ્રાચીન ઇદ્રપ્રસ્થ સેંકડો વર્ષ સુધી શ્મશાન ભૂમિ રૂપે પરિણામ પામી પડી રહ્યું હતું. એ દીર્ઘકાળનવ્યાપીની અરાજકતા. મળે જે મહાપુરૂષે મૃતસંજીવનના મંત્રબળે તેઇંદ્રપ્રસ્થની પૂર્વશેભાને ઉદ્ધાર કર્યો તેનું નામ વિનળદેવ, વિનળદેવે અનંગપાળ નામ ધારણ કરી, યુધિષ્ઠિરના રાજસિંહાસને બેઠે.તેના ઉતરાધિકારીઓના રાજ્યકાલમાં અજમેરમાં ચેહાણ રજપુતે, દીલીના રાજાની આધીનતામાં સામંત રાજારૂપે વિરાજતા હતા. પણ હાણરાજ વિશાળદેવના વિક્રમ પ્રભાવે એ આધીનતા અલિતથી માત્ર નામની રહી હતી કાલના અપૂર્વ મહિમાએ તે આધીનતા ચેહાણ રજપુતાના પક્ષમ કઈ રીતે કણકર થઈ શકી નહી કારણકે નહીતો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy