SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ટાડ રાજસ્થાન, પામ્યું. શિલાદિત્યની નીચે નવમી પેઢીએ બાપ્પા રામેળને જન્મ થયા. વલ્રભી પુરના નાશ સવત ૨૦૫ ના વર્ષમાં થયા. રાણાના મહેલમાં જે સઘળા ભટ્ટગ્રંથે છે તે જોવાથી માલુમ પડેછે જે સંવત્ ૧૯૧ ( ઇ. સ. ૧૩૫ ) માં બાપ્પારાએળના જન્મ થયે. વળી એક શિલાલિપિથી માલુમ પડેછે જે સંવત્ ૭૭૦ ( ઇ. સ. ૭૧૪ ) માં ચીતાડપુરીમાં માર્યવશીય નાનસિંહુરાજા રાજ્ય કરતા હતા. ८८ બાપ્પા રાણાના મહેલમાં રાખેલા ભટ્ટગ્રંથ સ્પષ્ટ વાચે જાહેર કરેછે જે, રાએળ, માનરાજાને ભાણેજ હતા. તે પદરવર્ષની ઉમ્મરે, માનરાજા ( માનસિહ ) થી સામ'તસરદારની નેકરીમાં દાખલ થયા અને સામત સરદારના અનુકુળથી, પોતાના મામા માનસહુને ભ્રષ્ટ કરી, બાપ્પા ચીતેાડના સીંડાસન ઉપર બેઠો. આ ક્ષણે એ સઘળા વિસવાદી મતેામાં હવે કયા મત સત્ય ગણવે! ? બાપ્પારાએળને માર્યવશીય માનસીંહના ભાણેજ અને સમસામયિક ગણીએ તે તેનેા કાળ નિર્દેશ શીરીતે સદ્ધ થઈ શકે? કાલ્પનિક અલ'કારવાળી વાતમાં ખરી વાત ઢંકાઇ જાયછે. કાલ્પનીક વાલેને વિકૃત નહી ગણતાં પ્રકૃત ગણવી જોઇએ, જ્યારે આમ છે ત્યારે ગિલ્ડાટ કુળતિલક વીર કેસરી બાપ્પારાએાળનુ જીવનવૃત્તાંત જીઠું અને કલ્પનાજાળથી ઢંકાયેલ મનાઇ શકે કે ? મહાનુભાવ ટાડ સાહેબના હૃદયમાં એકવાર એ વિતર્કને ઉદય થયા હતા. તે, તે વસવાડી મતનું સમન્વય સાધન કરી પ્રકૃત વૃત્તાંતને ઉદ્ધાર કરવા તૈયાર થયેા. હર્ષના વિષય એટલે છે જે તેને તે સ ંકલ્પ સિદ્ધ થયા, શિલાલિપિની, તામ્રશાસનની, પ્રાચીન મુદ્રાની, કાતરેલા સ્ત'ભ વીગેરેની શેાધનાં, જે કાંઇ ઉપકરણ મેવાડરાજ્યમાં જે કોઇ સ્થળેથી તેને મળ્યાં, તે ઉપકરણ થકી, અધ્યવસાય અને અનુસંધાન સાથે તેણે સત્યવિષયને અવિષ્કાર કરવામાં યત્ન કર્યો. એવા યત્નમાં છ વર્ષ નીકળી ગયાં તાપણુ યત્નનું સાફલ્ય થયું નહિ. જુદા જુદા સંદેહથી અને ચિંતનથી આકુળ થઇ છેવટે તે ઉદ્દે પુરથી વિદાય થઇ સારાષ્ટ્ર તરફ આવવા નીસર્યા. તેના મનની વાસના હતી જે ગિÈાટકુળના આદિ સ્થાન સૈારાષ્ટ્રને હેવાથી તેના મનેરથ સફળ થાશે. ભાગ્યવશે, ત્યાં તેના મનેરથ સિદ્ધ થયે. તેના અસીમ પરિશ્રમ અને અવ્યવસાય પિરણામે સુફળ થયે. મહુ શેષ કયા પછી મહાત્મા ટેડ સાહેબને સેમનાથ ચિતાડપુરીના પ્રસિદ્ધ માનસરાવરના તટ ઉપર એક વિજય સ્તંભ છે. તેના ઉપર એક શિલાલિપિને શોધ થયા છે તે શિલાલિપિમાં એક સ્થળે લખેલ છે જે મહારાજ માનૂ એકવાર્ નગર ભ્રમણ કરતા હતા. તે સમયે એક જરા જીર્ણ વૃ, તેની પાસે અતિ કષ્ટે ચાલ્યેા ગયા, તેમે તેને તેના મનમાં એક ગ ંભીર ભાવ ઉપન્ન થયેા. તેણે વિચાર્યું. માનવ જીવન ક્ષણ સ્વ:સી, પદ્મપત્ર સ્થિત જળબિંદુ જેવું 'ચન્ન, રાજ્યરત્ન ધનભડાર વીગેરે ક્ષણુભંગુર, ” એ રીતના વિચાર કરી નરનાય માનસીંડું તાતું નામ અક્ષય રાખવા, આ વિશાળ સરેશ્વરની પ્રતિષ્ઠા કરી. .. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy